ઈમરાન ખાનને તમામ કેસમાં મળ્યા જામીન, શાહબાઝ સરકાર દેશમાં ઈમરજન્સી લાદવાની ફિરાકમાં


  • Published By :
  • Published Date : 2023-05-12 17:42:35

પાકિસ્તાનના પૂર્વ PM અને PTIના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તમામ કેસમાં ઈમરાન ખાનના જામીન મંજુર કર્યા છે. ઈમરાન ખાન અલ-કાદિર ટ્રસ્ટ મામલે કડક સુરક્ષા વચ્ચે ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC) પહોંચ્યા હતા. જ્યાં તેમની જામીન અરજીની સુનાવણી થઈ હતી.અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પણ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ખાનને બે અઠવાડિયા માટે જામીન આપ્યા હતા. 


સરકાર લગાવી શકે ઈમર્જન્સી


ઈમરાન ખાનની વધતી લોકપ્રિયતાથી ચિંતિત શાહબાઝ શરીફની સરકાર દેશમાં ઈમર્જન્સી લગાવી શકે છે.પાકિસ્તાનની કેબિનેટએ દેશમાં ઈમર્જન્સી સગાવવાની ભલામણ કરી છે.પીએમ શાહબાઝ શરીફે આ મામલે કેબિનેટની બેઠક બોલાવી છે. આ અંગે દેશના પીએમ શાહબાઝ શરીફ જાહેરાત કરી શકે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈમરાન ખાન પર મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે તેમની વિરુદ્ધ 10 કેસમાં ધરપકડ વોરંટ જારી કરાયેલા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.