ઈમરાન ખાનને તમામ કેસમાં મળ્યા જામીન, શાહબાઝ સરકાર દેશમાં ઈમરજન્સી લાદવાની ફિરાકમાં


  • Published By :
  • Published Date : 2023-05-12 17:42:35

પાકિસ્તાનના પૂર્વ PM અને PTIના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તમામ કેસમાં ઈમરાન ખાનના જામીન મંજુર કર્યા છે. ઈમરાન ખાન અલ-કાદિર ટ્રસ્ટ મામલે કડક સુરક્ષા વચ્ચે ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC) પહોંચ્યા હતા. જ્યાં તેમની જામીન અરજીની સુનાવણી થઈ હતી.અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પણ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ખાનને બે અઠવાડિયા માટે જામીન આપ્યા હતા. 


સરકાર લગાવી શકે ઈમર્જન્સી


ઈમરાન ખાનની વધતી લોકપ્રિયતાથી ચિંતિત શાહબાઝ શરીફની સરકાર દેશમાં ઈમર્જન્સી લગાવી શકે છે.પાકિસ્તાનની કેબિનેટએ દેશમાં ઈમર્જન્સી સગાવવાની ભલામણ કરી છે.પીએમ શાહબાઝ શરીફે આ મામલે કેબિનેટની બેઠક બોલાવી છે. આ અંગે દેશના પીએમ શાહબાઝ શરીફ જાહેરાત કરી શકે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈમરાન ખાન પર મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે તેમની વિરુદ્ધ 10 કેસમાં ધરપકડ વોરંટ જારી કરાયેલા છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.