ઈમરાન ખાનને તમામ કેસમાં મળ્યા જામીન, શાહબાઝ સરકાર દેશમાં ઈમરજન્સી લાદવાની ફિરાકમાં


  • Published By :
  • Published Date : 2023-05-12 17:42:35

પાકિસ્તાનના પૂર્વ PM અને PTIના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તમામ કેસમાં ઈમરાન ખાનના જામીન મંજુર કર્યા છે. ઈમરાન ખાન અલ-કાદિર ટ્રસ્ટ મામલે કડક સુરક્ષા વચ્ચે ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC) પહોંચ્યા હતા. જ્યાં તેમની જામીન અરજીની સુનાવણી થઈ હતી.અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પણ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ખાનને બે અઠવાડિયા માટે જામીન આપ્યા હતા. 


સરકાર લગાવી શકે ઈમર્જન્સી


ઈમરાન ખાનની વધતી લોકપ્રિયતાથી ચિંતિત શાહબાઝ શરીફની સરકાર દેશમાં ઈમર્જન્સી લગાવી શકે છે.પાકિસ્તાનની કેબિનેટએ દેશમાં ઈમર્જન્સી સગાવવાની ભલામણ કરી છે.પીએમ શાહબાઝ શરીફે આ મામલે કેબિનેટની બેઠક બોલાવી છે. આ અંગે દેશના પીએમ શાહબાઝ શરીફ જાહેરાત કરી શકે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈમરાન ખાન પર મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે તેમની વિરુદ્ધ 10 કેસમાં ધરપકડ વોરંટ જારી કરાયેલા છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.