ઈમરાન ખાનને તમામ કેસમાં મળ્યા જામીન, શાહબાઝ સરકાર દેશમાં ઈમરજન્સી લાદવાની ફિરાકમાં


  • Published By :
  • Published Date : 2023-05-12 17:42:35

પાકિસ્તાનના પૂર્વ PM અને PTIના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તમામ કેસમાં ઈમરાન ખાનના જામીન મંજુર કર્યા છે. ઈમરાન ખાન અલ-કાદિર ટ્રસ્ટ મામલે કડક સુરક્ષા વચ્ચે ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC) પહોંચ્યા હતા. જ્યાં તેમની જામીન અરજીની સુનાવણી થઈ હતી.અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પણ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ખાનને બે અઠવાડિયા માટે જામીન આપ્યા હતા. 


સરકાર લગાવી શકે ઈમર્જન્સી


ઈમરાન ખાનની વધતી લોકપ્રિયતાથી ચિંતિત શાહબાઝ શરીફની સરકાર દેશમાં ઈમર્જન્સી લગાવી શકે છે.પાકિસ્તાનની કેબિનેટએ દેશમાં ઈમર્જન્સી સગાવવાની ભલામણ કરી છે.પીએમ શાહબાઝ શરીફે આ મામલે કેબિનેટની બેઠક બોલાવી છે. આ અંગે દેશના પીએમ શાહબાઝ શરીફ જાહેરાત કરી શકે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈમરાન ખાન પર મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે તેમની વિરુદ્ધ 10 કેસમાં ધરપકડ વોરંટ જારી કરાયેલા છે. 



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'