Ahmedabadની કેડી હોસ્પિટલમાં દાખલ છે Shahrukh Khan, ડીહાઈડ્રેશન થતા બગડી તબિયત, જાણો ક્યારે મળી શકે છે રજા?


  • Published By :
  • Published Date : 2024-05-23 14:14:52

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચ રમાઈ.. શાહરૂખ ખાન ટીમ Kolkata Knight Ridersને સપોર્ટ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. ગરમીને કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને ખબર આવી કે ગઈકાલે એટલે કે 22 તારીખે તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા .ડિ-હાઈડ્રેશન થવાને કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી તેવી વાત સામે આવી હતી. હાલ તેમની તબિયત સારી છે અને આજ બપોર સુધીમાં તેમને રજા પણ આપી દેવાશે તેવી માહિતી સામે આવી છે.. શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાન તેમજ જૂહી ચાવલા હોસ્પિટલ પહોંચ્યા હતા. 


આજ બપોર સુધીમાં કિંગ ખાનને મળી શકે છે રજા 

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 46 ડિગ્રીને નજીક હતું.. આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ વધારે રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.. વધતી ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે અને તેમને ડિ હાઈડ્રેશન થઈ રહ્યું છે.. ત્યારે કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પણ ડિહાઈડ્રેશનના શિકાર બન્યા..તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને હાલ તેમની તબિયત સ્થિર છે તેવી માહિતી સામે આવી છે... બપોર સુધીમાં તેમને રજા પણ મળી શકે છે..     


ગરમીને કારણે લોકો પડી રહ્યા છે બિમાર 

મહત્વનું છે કે ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.. આટલી ગરમી વધવાને કારણે લોકોની તબિયત બગડી રહી છે, લોકો બિમાર પડી રહ્યા છે. ગરમીથી બચવા માટે અનેક ઉપાયો આપણે કરવા જોઈએ.. કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ.. અને જો ઘરની બહાર નિકળવાનું થાય છે તો સાવધાની રાખીને જવું જોઈએ.. ઉપરાંત પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ..    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.