Ahmedabadની કેડી હોસ્પિટલમાં દાખલ છે Shahrukh Khan, ડીહાઈડ્રેશન થતા બગડી તબિયત, જાણો ક્યારે મળી શકે છે રજા?


  • Published By :
  • Published Date : 2024-05-23 14:14:52

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચ રમાઈ.. શાહરૂખ ખાન ટીમ Kolkata Knight Ridersને સપોર્ટ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. ગરમીને કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને ખબર આવી કે ગઈકાલે એટલે કે 22 તારીખે તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા .ડિ-હાઈડ્રેશન થવાને કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી તેવી વાત સામે આવી હતી. હાલ તેમની તબિયત સારી છે અને આજ બપોર સુધીમાં તેમને રજા પણ આપી દેવાશે તેવી માહિતી સામે આવી છે.. શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાન તેમજ જૂહી ચાવલા હોસ્પિટલ પહોંચ્યા હતા. 


આજ બપોર સુધીમાં કિંગ ખાનને મળી શકે છે રજા 

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 46 ડિગ્રીને નજીક હતું.. આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ વધારે રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.. વધતી ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે અને તેમને ડિ હાઈડ્રેશન થઈ રહ્યું છે.. ત્યારે કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પણ ડિહાઈડ્રેશનના શિકાર બન્યા..તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને હાલ તેમની તબિયત સ્થિર છે તેવી માહિતી સામે આવી છે... બપોર સુધીમાં તેમને રજા પણ મળી શકે છે..     


ગરમીને કારણે લોકો પડી રહ્યા છે બિમાર 

મહત્વનું છે કે ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.. આટલી ગરમી વધવાને કારણે લોકોની તબિયત બગડી રહી છે, લોકો બિમાર પડી રહ્યા છે. ગરમીથી બચવા માટે અનેક ઉપાયો આપણે કરવા જોઈએ.. કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ.. અને જો ઘરની બહાર નિકળવાનું થાય છે તો સાવધાની રાખીને જવું જોઈએ.. ઉપરાંત પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ..    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .