Ahmedabadની કેડી હોસ્પિટલમાં દાખલ છે Shahrukh Khan, ડીહાઈડ્રેશન થતા બગડી તબિયત, જાણો ક્યારે મળી શકે છે રજા?


  • Published By :
  • Published Date : 2024-05-23 14:14:52

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચ રમાઈ.. શાહરૂખ ખાન ટીમ Kolkata Knight Ridersને સપોર્ટ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. ગરમીને કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને ખબર આવી કે ગઈકાલે એટલે કે 22 તારીખે તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા .ડિ-હાઈડ્રેશન થવાને કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી તેવી વાત સામે આવી હતી. હાલ તેમની તબિયત સારી છે અને આજ બપોર સુધીમાં તેમને રજા પણ આપી દેવાશે તેવી માહિતી સામે આવી છે.. શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાન તેમજ જૂહી ચાવલા હોસ્પિટલ પહોંચ્યા હતા. 


આજ બપોર સુધીમાં કિંગ ખાનને મળી શકે છે રજા 

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 46 ડિગ્રીને નજીક હતું.. આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ વધારે રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.. વધતી ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે અને તેમને ડિ હાઈડ્રેશન થઈ રહ્યું છે.. ત્યારે કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પણ ડિહાઈડ્રેશનના શિકાર બન્યા..તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને હાલ તેમની તબિયત સ્થિર છે તેવી માહિતી સામે આવી છે... બપોર સુધીમાં તેમને રજા પણ મળી શકે છે..     


ગરમીને કારણે લોકો પડી રહ્યા છે બિમાર 

મહત્વનું છે કે ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.. આટલી ગરમી વધવાને કારણે લોકોની તબિયત બગડી રહી છે, લોકો બિમાર પડી રહ્યા છે. ગરમીથી બચવા માટે અનેક ઉપાયો આપણે કરવા જોઈએ.. કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ.. અને જો ઘરની બહાર નિકળવાનું થાય છે તો સાવધાની રાખીને જવું જોઈએ.. ઉપરાંત પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ..    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે