વૈષ્ણોદેવી પછી શિરડી પહોંચ્યા શાહરૂખ ખાન, દીકરી સુહાના ખાન સાથે સાંઈ બાબાના કર્યા દર્શન


  • Published By :
  • Published Date : 2023-12-14 20:01:39

બોલિવૂડના કિંગ ખાન ટૂંક સમયમાં ફરીથી મોટા પડદા પર જોવા મળવાના છે. વર્ષ 2023માં આવેલી 'પઠાણ' અને 'જવાન' સુપરહિટ થયા બાદ શાહરૂખ ખાન હવે રાજકુમારી હિરાનીની ફિલ્મ 'ડંકી'માં જોવા મળશે. ફિલ્મ રીલિઝ થાય તે પહેલા શાહરૂખ ખાન તેને હિટ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મના જોરદાર પ્રમોશનની સાથે શાહરૂખ ભગવાનના આશિર્વાદ પણ લઈ રહ્યા છે. હવે  'ડંકી'ની રિલીઝને થોડા જ દિવસો બાકી છે અને તે પહેલા શાહરૂખ ખાન ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે. પહેલા શાહરૂખ પોતાના પરિવાર સાથે વૈષ્ણોદેવીના દર્શને ગયા હતા અને હવે તે દીકરી સુહાના ખાન સાથે શિરડી પહોંચ્યા છે.


સેંકડો ચાહકો ઉમટ્યા


વૈષ્ણોદેવી પછી શેરડી પહોંચેલા શાહરૂખ ખાનને જોવા માટે સેંકડો લોકોની ભીડ ઉમટી પડી હતી. આટલું જ નહીં, ફેન્સની ભીડ જોઈને શાહરૂખ ખાન પણ ઉત્સાહિત જોવા મળ્યો હતો. તેણે ચાહકોનું હાથ હલાવીને પ્રેમભર્યું અભિવાદન કર્યું હતું. ચાહકોની હૂટિંગ સાંભળતા જ તે પાછો ફર્યો હતો અને બધા તરફ બંને હાથ ઉંચા કર્યા અને પછી ફ્લાઈંગ કિસ પણ આપી હતી.


કેવો હતો શાહરૂખ ખાનનો લુક?


શાહરૂખ ખાનના વાયરલ થયેલા વીડિયોમાં તે સફેદ ટી-શર્ટ, બ્લેક ઝિપર હૂડી અને બ્લ્યુ ડેનિમ સાથે બ્લેક કેપ પહેરેલો જોવા મળે છે. શાહરૂખ ખાનની સ્ટાઈલ હંમેશાની જેમ ખૂબ જ કુલ લાગે છે. શાહરૂખ ખાનની લાડકી દીકરીએ સી ગ્રીન કલરનો સૂટ પહેર્યો છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.