વૈષ્ણોદેવી પછી શિરડી પહોંચ્યા શાહરૂખ ખાન, દીકરી સુહાના ખાન સાથે સાંઈ બાબાના કર્યા દર્શન


  • Published By :
  • Published Date : 2023-12-14 20:01:39

બોલિવૂડના કિંગ ખાન ટૂંક સમયમાં ફરીથી મોટા પડદા પર જોવા મળવાના છે. વર્ષ 2023માં આવેલી 'પઠાણ' અને 'જવાન' સુપરહિટ થયા બાદ શાહરૂખ ખાન હવે રાજકુમારી હિરાનીની ફિલ્મ 'ડંકી'માં જોવા મળશે. ફિલ્મ રીલિઝ થાય તે પહેલા શાહરૂખ ખાન તેને હિટ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મના જોરદાર પ્રમોશનની સાથે શાહરૂખ ભગવાનના આશિર્વાદ પણ લઈ રહ્યા છે. હવે  'ડંકી'ની રિલીઝને થોડા જ દિવસો બાકી છે અને તે પહેલા શાહરૂખ ખાન ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે. પહેલા શાહરૂખ પોતાના પરિવાર સાથે વૈષ્ણોદેવીના દર્શને ગયા હતા અને હવે તે દીકરી સુહાના ખાન સાથે શિરડી પહોંચ્યા છે.


સેંકડો ચાહકો ઉમટ્યા


વૈષ્ણોદેવી પછી શેરડી પહોંચેલા શાહરૂખ ખાનને જોવા માટે સેંકડો લોકોની ભીડ ઉમટી પડી હતી. આટલું જ નહીં, ફેન્સની ભીડ જોઈને શાહરૂખ ખાન પણ ઉત્સાહિત જોવા મળ્યો હતો. તેણે ચાહકોનું હાથ હલાવીને પ્રેમભર્યું અભિવાદન કર્યું હતું. ચાહકોની હૂટિંગ સાંભળતા જ તે પાછો ફર્યો હતો અને બધા તરફ બંને હાથ ઉંચા કર્યા અને પછી ફ્લાઈંગ કિસ પણ આપી હતી.


કેવો હતો શાહરૂખ ખાનનો લુક?


શાહરૂખ ખાનના વાયરલ થયેલા વીડિયોમાં તે સફેદ ટી-શર્ટ, બ્લેક ઝિપર હૂડી અને બ્લ્યુ ડેનિમ સાથે બ્લેક કેપ પહેરેલો જોવા મળે છે. શાહરૂખ ખાનની સ્ટાઈલ હંમેશાની જેમ ખૂબ જ કુલ લાગે છે. શાહરૂખ ખાનની લાડકી દીકરીએ સી ગ્રીન કલરનો સૂટ પહેર્યો છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.