વૈષ્ણોદેવી પછી શિરડી પહોંચ્યા શાહરૂખ ખાન, દીકરી સુહાના ખાન સાથે સાંઈ બાબાના કર્યા દર્શન


  • Published By :
  • Published Date : 2023-12-14 20:01:39

બોલિવૂડના કિંગ ખાન ટૂંક સમયમાં ફરીથી મોટા પડદા પર જોવા મળવાના છે. વર્ષ 2023માં આવેલી 'પઠાણ' અને 'જવાન' સુપરહિટ થયા બાદ શાહરૂખ ખાન હવે રાજકુમારી હિરાનીની ફિલ્મ 'ડંકી'માં જોવા મળશે. ફિલ્મ રીલિઝ થાય તે પહેલા શાહરૂખ ખાન તેને હિટ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મના જોરદાર પ્રમોશનની સાથે શાહરૂખ ભગવાનના આશિર્વાદ પણ લઈ રહ્યા છે. હવે  'ડંકી'ની રિલીઝને થોડા જ દિવસો બાકી છે અને તે પહેલા શાહરૂખ ખાન ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે. પહેલા શાહરૂખ પોતાના પરિવાર સાથે વૈષ્ણોદેવીના દર્શને ગયા હતા અને હવે તે દીકરી સુહાના ખાન સાથે શિરડી પહોંચ્યા છે.


સેંકડો ચાહકો ઉમટ્યા


વૈષ્ણોદેવી પછી શેરડી પહોંચેલા શાહરૂખ ખાનને જોવા માટે સેંકડો લોકોની ભીડ ઉમટી પડી હતી. આટલું જ નહીં, ફેન્સની ભીડ જોઈને શાહરૂખ ખાન પણ ઉત્સાહિત જોવા મળ્યો હતો. તેણે ચાહકોનું હાથ હલાવીને પ્રેમભર્યું અભિવાદન કર્યું હતું. ચાહકોની હૂટિંગ સાંભળતા જ તે પાછો ફર્યો હતો અને બધા તરફ બંને હાથ ઉંચા કર્યા અને પછી ફ્લાઈંગ કિસ પણ આપી હતી.


કેવો હતો શાહરૂખ ખાનનો લુક?


શાહરૂખ ખાનના વાયરલ થયેલા વીડિયોમાં તે સફેદ ટી-શર્ટ, બ્લેક ઝિપર હૂડી અને બ્લ્યુ ડેનિમ સાથે બ્લેક કેપ પહેરેલો જોવા મળે છે. શાહરૂખ ખાનની સ્ટાઈલ હંમેશાની જેમ ખૂબ જ કુલ લાગે છે. શાહરૂખ ખાનની લાડકી દીકરીએ સી ગ્રીન કલરનો સૂટ પહેર્યો છે.



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.