વૈષ્ણોદેવી પછી શિરડી પહોંચ્યા શાહરૂખ ખાન, દીકરી સુહાના ખાન સાથે સાંઈ બાબાના કર્યા દર્શન


  • Published By :
  • Published Date : 2023-12-14 20:01:39

બોલિવૂડના કિંગ ખાન ટૂંક સમયમાં ફરીથી મોટા પડદા પર જોવા મળવાના છે. વર્ષ 2023માં આવેલી 'પઠાણ' અને 'જવાન' સુપરહિટ થયા બાદ શાહરૂખ ખાન હવે રાજકુમારી હિરાનીની ફિલ્મ 'ડંકી'માં જોવા મળશે. ફિલ્મ રીલિઝ થાય તે પહેલા શાહરૂખ ખાન તેને હિટ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મના જોરદાર પ્રમોશનની સાથે શાહરૂખ ભગવાનના આશિર્વાદ પણ લઈ રહ્યા છે. હવે  'ડંકી'ની રિલીઝને થોડા જ દિવસો બાકી છે અને તે પહેલા શાહરૂખ ખાન ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે. પહેલા શાહરૂખ પોતાના પરિવાર સાથે વૈષ્ણોદેવીના દર્શને ગયા હતા અને હવે તે દીકરી સુહાના ખાન સાથે શિરડી પહોંચ્યા છે.


સેંકડો ચાહકો ઉમટ્યા


વૈષ્ણોદેવી પછી શેરડી પહોંચેલા શાહરૂખ ખાનને જોવા માટે સેંકડો લોકોની ભીડ ઉમટી પડી હતી. આટલું જ નહીં, ફેન્સની ભીડ જોઈને શાહરૂખ ખાન પણ ઉત્સાહિત જોવા મળ્યો હતો. તેણે ચાહકોનું હાથ હલાવીને પ્રેમભર્યું અભિવાદન કર્યું હતું. ચાહકોની હૂટિંગ સાંભળતા જ તે પાછો ફર્યો હતો અને બધા તરફ બંને હાથ ઉંચા કર્યા અને પછી ફ્લાઈંગ કિસ પણ આપી હતી.


કેવો હતો શાહરૂખ ખાનનો લુક?


શાહરૂખ ખાનના વાયરલ થયેલા વીડિયોમાં તે સફેદ ટી-શર્ટ, બ્લેક ઝિપર હૂડી અને બ્લ્યુ ડેનિમ સાથે બ્લેક કેપ પહેરેલો જોવા મળે છે. શાહરૂખ ખાનની સ્ટાઈલ હંમેશાની જેમ ખૂબ જ કુલ લાગે છે. શાહરૂખ ખાનની લાડકી દીકરીએ સી ગ્રીન કલરનો સૂટ પહેર્યો છે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.