બિલ્કીસ બાનો પર ગેંગરેપનો દોષિત શૈલેષ ભટ્ટ ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળતા હોબાળો


  • Published By :
  • Published Date : 2023-03-27 19:48:26

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ 2002ના કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા તે વખતે બિલ્કીસ બાનો પર ગેંગરેપ થયો હતો. આ કેસના 11 દોષિતોને સજાના નિર્ધારીત સમય પહેલા મુક્તી આપવામાં આવી હતી. તેમાનાં એક દોષિત શૈલેષ ભટ્ટ શનિવારે એક સરકારી કાર્યક્રમમાં ભાજપના દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ભાજપના ધારાસભ્ય શૈલેષ ભાભોર સાથે મંચ પર જોવા મળ્યા હતા. જાહેર મંચ પર બળાત્કારના દોષિતની હાજરીના કારણે રાજકારણ રાજકારણ ગરમાયું છે.


સરકારી કાર્યક્રમમાં કેમ ગેંગરેપનો દોષિત કેમ?


બિલ્કિસ બાનો ગેંગરેપના કેસના દોષિત  63 વર્ષીય શૈલેષ ભટ્ટે, દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કરમડી ગામમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી. દાહોદ જિલ્લા માહિતી વિભાગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમની તસ્વીરોમાં જશવંતસિંહ ભાભોર અને સીંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ કાંતા ડામોર વચ્ચે શૈલેષ ભટ્ટ આગળની હરોળમાં બેઠા હતા. ભાજપના સાંસદ અને ધારાસભ્યની બાજુમાં બળાત્કાર કેસનો દોષિત બેઠેલો જોવા મળ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શૈલેષ ભટ્ટને આ કાર્યક્રમમાં કોણે આમંત્રણ આપ્યું હતું? 


શૈલેષ ભટ્ટ સહિત ગેંગરેપના 11 દોષિત

    

અત્રે ઉલ્લેખનિય છે કે ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા. ઉશ્કેરાયેલું ટોળું બિલકીસ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. ટોળાથી બચવા માટે બિલકીસ બાનો પોતાના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ ગયો હતો. તોફાનીઓએ ગર્ભવતી બિલકિસ પર દુષ્કર્મ આચર્યું હતું. તે ઉપરાંત અન્ય ત્રણ મહિલા સાથે બળાત્કાર આચર્યો હતો. તે ઉપરાંત 17 પરિવારજનોમાંથી 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં માત્ર બિલકિસ, એક પુરૂષ અને ત્રણ વર્ષનો બાળક બચી ગયા હતા. આ ગેંગરેપ કેસમાં 2004માં આરોપીઓની ધરપકડ  કરવામાં આવી હતી. જાન્યુઆરી 2008માં સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા 11 દોષિતોને 11 વર્ષની સજા ફટાકારવામાં આવી હતી. આ 11 દોષિતોમાં શૈલેષ ભટ્ટનો પણ સમાવેશ થતો હતો. બિલકીસબાનો ગૅંગરેપ કેસના 11 દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા. આ લોકોને ગુજરાત સરકારની સજામાફી નીતિ હેઠળ ગત વર્ષે 15મી ઑગસ્ટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ તમામ  દોષિતોને સજાની મુદ્દત પુરી થાય તે પહેલા જ મુક્તી આપવામાં આવી હતી. જ્યારે તેઓ તેમના જેલ બહાર આવ્યા ત્યારે જેલ બહાર મીઠાઈ અને હાર પહેરાવી, ફટાકડાં ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બિલકિસ બાનોએ આ સજા મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે