બિલ્કીસ બાનો પર ગેંગરેપનો દોષિત શૈલેષ ભટ્ટ ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળતા હોબાળો


  • Published By :
  • Published Date : 2023-03-27 19:48:26

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ 2002ના કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા તે વખતે બિલ્કીસ બાનો પર ગેંગરેપ થયો હતો. આ કેસના 11 દોષિતોને સજાના નિર્ધારીત સમય પહેલા મુક્તી આપવામાં આવી હતી. તેમાનાં એક દોષિત શૈલેષ ભટ્ટ શનિવારે એક સરકારી કાર્યક્રમમાં ભાજપના દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ભાજપના ધારાસભ્ય શૈલેષ ભાભોર સાથે મંચ પર જોવા મળ્યા હતા. જાહેર મંચ પર બળાત્કારના દોષિતની હાજરીના કારણે રાજકારણ રાજકારણ ગરમાયું છે.


સરકારી કાર્યક્રમમાં કેમ ગેંગરેપનો દોષિત કેમ?


બિલ્કિસ બાનો ગેંગરેપના કેસના દોષિત  63 વર્ષીય શૈલેષ ભટ્ટે, દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કરમડી ગામમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી. દાહોદ જિલ્લા માહિતી વિભાગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમની તસ્વીરોમાં જશવંતસિંહ ભાભોર અને સીંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ કાંતા ડામોર વચ્ચે શૈલેષ ભટ્ટ આગળની હરોળમાં બેઠા હતા. ભાજપના સાંસદ અને ધારાસભ્યની બાજુમાં બળાત્કાર કેસનો દોષિત બેઠેલો જોવા મળ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શૈલેષ ભટ્ટને આ કાર્યક્રમમાં કોણે આમંત્રણ આપ્યું હતું? 


શૈલેષ ભટ્ટ સહિત ગેંગરેપના 11 દોષિત

    

અત્રે ઉલ્લેખનિય છે કે ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા. ઉશ્કેરાયેલું ટોળું બિલકીસ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. ટોળાથી બચવા માટે બિલકીસ બાનો પોતાના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ ગયો હતો. તોફાનીઓએ ગર્ભવતી બિલકિસ પર દુષ્કર્મ આચર્યું હતું. તે ઉપરાંત અન્ય ત્રણ મહિલા સાથે બળાત્કાર આચર્યો હતો. તે ઉપરાંત 17 પરિવારજનોમાંથી 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં માત્ર બિલકિસ, એક પુરૂષ અને ત્રણ વર્ષનો બાળક બચી ગયા હતા. આ ગેંગરેપ કેસમાં 2004માં આરોપીઓની ધરપકડ  કરવામાં આવી હતી. જાન્યુઆરી 2008માં સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા 11 દોષિતોને 11 વર્ષની સજા ફટાકારવામાં આવી હતી. આ 11 દોષિતોમાં શૈલેષ ભટ્ટનો પણ સમાવેશ થતો હતો. બિલકીસબાનો ગૅંગરેપ કેસના 11 દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા. આ લોકોને ગુજરાત સરકારની સજામાફી નીતિ હેઠળ ગત વર્ષે 15મી ઑગસ્ટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ તમામ  દોષિતોને સજાની મુદ્દત પુરી થાય તે પહેલા જ મુક્તી આપવામાં આવી હતી. જ્યારે તેઓ તેમના જેલ બહાર આવ્યા ત્યારે જેલ બહાર મીઠાઈ અને હાર પહેરાવી, ફટાકડાં ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બિલકિસ બાનોએ આ સજા મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.