સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે શૈલેષ ઠાકરણની વરણી કરાઈ


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-10 20:01:12

અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. 

છેલ્લા 35 વર્ષથી શ્રી શૈલેષ ઠાકર જિલ્લા અને પ્રદેશ કક્ષાએ સતત કાર્યરત રહી સમાજની કામગીરી કરતા આવ્યા છે. સરળ, નિખાલસ અને પરગજુ સ્વભાવ ધરાવતા  શૈલેષ ઠાકરની બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર ગુજરાત ઉપરાંત પંચમહાલ, મહીસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રહેતા બ્રાહ્મણ સમાજમાં આનંદની લાગણી હોય તે સ્વાભાવિક છે. 

આ તકે શૈલેષભાઈએ જણાવ્યું કે, ભૂતપૂર્વ પ્રમુખ પીનાકીન ભાઈ રાવલની મુદ્દત પૂર્ણ થતા આજે સર્વાનુમતે મારી વરણી કરાઈ ત્યારે સમાજનું હું ખુબ આભારી છું. તમામ પ્રમુખોને સાથે લઈને અમે ચાલીશું અને પીનાકીનભાઈએ જે મજબુત પાયો નાંખ્યો તેને આગળ ધપાવવાનું કામ કરીશું. સમાજના ઉત્થાનનું સતત કામ કરતા રહીશું. 

સંસ્થાના હાલના પ્રમુખ પિનાકીનભાઇ રાવલની અધ્યક્ષતામાં યોજાયેલ આજની સામાન્ય સભામાં અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, મણીનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ પ્રમુખ મહેશભાઈ મહેતા, એશીયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડીન અને પંજાબ એમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કમલેશભાઈ ઉપાધ્યાય, મહામંત્રી અનિલભાઈ શુકલ, મહિલા પ્રમુખ ધારીણીબેન શુકલ, મહિલા ઉપપ્રમુખ રીનાબેન પંડ્યા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ દેવાંગભાઈ દવે, બ્રહ્મ સમાજના યુવા આગેવાન જીગ્નેશભાઈ જોશી,  આઇ.ટી સેલના ઇન્ચાર્જ પલકભાઈ ભટ્ટ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ પદાધિકારીઓ, હોદ્દેદારો સહિત ખુબ મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે