આવતી કાલથી શાકંભરી નવરાત્રીનો થશે પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-01-02 08:08:56

વર્ષ દરમિયાન ચાર નવરાત્રીઓ આવે છે. જેમાંથી બે નવરાત્રી પ્રસિદ્ધ છે જ્યારે બે નવરાત્રીને ગુપ્ત નવરાત્રી ગણવામાં આવે છે. દર ત્રણ મહિને નવરાત્રી આવે છે. આસો નવરાત્રી, ચૈત્ર નવરાત્રી, પોષ મહિનામાં આવતી શાકંભરી નવરાત્રી અને અષાઢ મહિનામાં નવરાત્રી આવે છે. નવરાત્રીના દિવસો દરમિયાન મા આદ્યશક્તિની ઉપાસના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે. 

મુખ્યત્વે દરેક નવરાત્રીનો પ્રારંભ એકમથી થઈ જતો હોય છે. પરંતુ પોષ મહિનામાં આવતી નવરાત્રીનો પ્રારંભ આઠમથી થાય છે. આ નવરાત્રી પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી ચાલે છે. આ નવરાત્રી દરમિયાન પણ માતાજીના વિવિધ સ્વરૂપોની આરોધના કરવામાં આવે છે. આ નવરાત્રીને શાકંભરી નવરાત્રી પણ કહેવામાં આવે છે. 


Shakmbhari-Devi_edited – Shakambhari Mata


કેવી રીતે થઈ માતા શાકંભરીની ઉત્પતિ

શાકંભરી માતાના ઉત્પત્તિને લઈ હિંદુ ગ્રંથોમાં અલગ-અલગ પ્રમાણો મળે છે. માર્કણ્ડેય પુરાણમાં મળતા ઉલ્લેખ પ્રમાણે પ્રસન્ન થઈ દેવતાઓને માતાજીએ આશીર્વાદ આપ્યા હતા કે ભવિષ્યમાં એકવાર ભારે અનાવૃષ્ટિ સર્જાશે, દુકાળનો સામનો કરવો પડશે. ઋષિ-મુનીઓની પ્રાર્થનાથી હું પ્રસન્ન થઈશ અને અયોનિજા સ્વરૂપે પ્રગટ થઈશ અને મારા અંગોમાંથી અનેક પ્રકારના શાકભાજી ઉત્પન્ન થશે.

શાકંભરી માતાનો બીજો ઉલ્લેખ શિવ પુરાણમાં મળી આવે છે. તે મુજબ દુર્ગા દેવીને શતાક્ષી રૂપે બતાવામાં આવ્યા છે. દુર્ગ નામના રાક્ષસે ત્રણેય લોક પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. જેને કારણે લોકો યજ્ઞ કાર્ય કરી શક્તા ન હતા. જેને કારણે દેવતાઓની શક્તિ ઓછી થઈ ગઈ હતી. વરસાદ પણ ન વરસ્યો હતો જેને કારણે દુકાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભક્તોને દુખી હાલતમાં જોઈ માતાજી 100 આંખોથી રડી પડ્યા જેને કારણે પૃથ્વી પર પાણીનું આગમન થયું ઉપરાંત શાકભાજી તેમજ ફળફળાદીની પણ વર્ષા થઈ. સો આંખો હોવાને કારણે તેઓ શતાક્ષી તરીકે ઓળખાયા.

शाकम्भरी - विकिपीडिया


કેવું છે માતાજીનું સ્વરૂપ 

શાકમ્ભરી નીલવર્ણા નીલોત્પલવિલોચના| 

ગમ્ભીરનાભિસ્ત્રવલીવભૂષિતતનૂદરી||

માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતા શાકંભરી કમળમાં નિવાસ કરે છે. તેમનો વર્ણ નીલવર્ણ સમાન છે. વિશાળ શતનેત્રોને કારણે તેઓ નીલવર્ણના લાગે છે. ત્રિવલીથી શોભતું તેમનું ઉદર નાજૂક છે. અનેક પ્રકારની શાકભાજી તેમજ ફળફળાદીથી તેઓ ઘેરાયેલા છે. 


કયાં મંત્રનું ઉચ્ચારણ કરવાથી માતાજી થશે પ્રસન્ન 

આ ઋતુ દરમિયાન લગભગ દરેક શાકભાજી ઉપલબ્ધ હોય છે. દરેક પ્રકારના ફૂટ પણ જોવા મળે છે. આ નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરવી જોઈએ. ઉપરાંત પૂનમના દિવસે માતાજી સમક્ષ વિવિધ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત આ નવરાત્રીમાં સાચા મનથી માની ભક્તિ કરે છે તે ઘર પર માતા સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે. ભક્તના ઘરમાં ધન ધાન્યની અછત નથી સર્જાતી. નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. જો તે શક્ય નથી તો શાકંભરી માતાના આ મંત્રનો જાપ કરવો જોઈએ. 

શાકમ્ભરી સ્તુવન્ ધ્યાયંજપન્ સમ્પૂજયન્નમન્| 

અક્ષય્યમષ્નુતે શીઘ્રમન્નપાનામૃતં ફલમ્||     



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.