કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે: શક્તિસિંહ ગોહિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:57:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો તેમની રણનિતી તૈયાર કરવામાં લાગી છે. ભાજપના અગ્રણી નેતાઓ આ વખતે  ‘નો રિપીટ થિયરી’હેઠળ વર્તમાન 50 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપવાની જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને મોટું નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ભાજપ ‘નો રિપીટ થિયરી’માં માને છે. કોંગ્રેસ પક્ષ પણ કોઈ ખાસ કારણ હોય, તો જ ધારાસભ્યોની ટિકિટ કાપે છે, બાકી મોટાભાગના ધારાસભ્યોને રીપીટ કરવામાં આવે છે.


કોંગ્રેસના વર્તમાન MLAને રાહત


શક્તિસિંહે કબૂલ્યું છે કે, કોંગ્રેસ સીટિંગ ધારાસભ્યોની ટિકિટ નહીં કાપે. શક્તિસિંહની આ સ્પષ્ટતાએ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોને આડકતરી રીતે જ  તેમની ટિકિટને લઈ સંદેશો આપી દીધો છે. વધુમાં શક્તિસિંહે જણાવ્યું કે, હજુ અમારે તમામ બેઠકો પર ટિકિટના દાવેદારોને સાંભળવાના છે. રાહુલ ગાંધી પણ સતત ભારત જોડો યાત્રાના પ્રવાસે છે. જેના કારણે ઉમેદવારોનો લિસ્ટ જાહેર કરવામાં મોડું થઈ રહ્યું છે.


કોંગ્રેસના નેતાઓની નરેશ પટેલ સાથે બેઠક


આજે રાજકોટ ખાતેથી ‘કોંગ્રેસ કે સાથ માઁ કે દ્વાર’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા બપોરે ખોડલધામ ખાતે પહોંચી હતી, જ્યાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસના આગેવાનોની બંધ બારણે એક બેઠક પણ યોજાઈ હતી. 


ખોડલધામ ખાતે નરેશ પટેલની ઓફિસમાં કોંગ્રેસના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 30 મિનિટ કરતાં પણ વધુ સમય સુધી ચાલી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય પ્રતાપ દૂધાત, ધારાસભ્ય લલિત વસોયા, સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝા, કોંગ્રેસના આગેવાન અને પાટીદાર નેતા મિતુલ દોંગા હાજર રહ્યાં હતા. કોંગ્રેસ નેતાઓએ હળવા માહોલમાં ખોડલધામ નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ અગાઉ પણ કોંગ્રેસમાં જવાના અણસાર આપી ચૂક્યા છે. નરેશ પટેલની કોંગ્રેસના આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજતા અનેક તર્કવતર્કો થઈ રહ્યાં છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.