કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે: શક્તિસિંહ ગોહિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:57:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો તેમની રણનિતી તૈયાર કરવામાં લાગી છે. ભાજપના અગ્રણી નેતાઓ આ વખતે  ‘નો રિપીટ થિયરી’હેઠળ વર્તમાન 50 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપવાની જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને મોટું નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ભાજપ ‘નો રિપીટ થિયરી’માં માને છે. કોંગ્રેસ પક્ષ પણ કોઈ ખાસ કારણ હોય, તો જ ધારાસભ્યોની ટિકિટ કાપે છે, બાકી મોટાભાગના ધારાસભ્યોને રીપીટ કરવામાં આવે છે.


કોંગ્રેસના વર્તમાન MLAને રાહત


શક્તિસિંહે કબૂલ્યું છે કે, કોંગ્રેસ સીટિંગ ધારાસભ્યોની ટિકિટ નહીં કાપે. શક્તિસિંહની આ સ્પષ્ટતાએ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોને આડકતરી રીતે જ  તેમની ટિકિટને લઈ સંદેશો આપી દીધો છે. વધુમાં શક્તિસિંહે જણાવ્યું કે, હજુ અમારે તમામ બેઠકો પર ટિકિટના દાવેદારોને સાંભળવાના છે. રાહુલ ગાંધી પણ સતત ભારત જોડો યાત્રાના પ્રવાસે છે. જેના કારણે ઉમેદવારોનો લિસ્ટ જાહેર કરવામાં મોડું થઈ રહ્યું છે.


કોંગ્રેસના નેતાઓની નરેશ પટેલ સાથે બેઠક


આજે રાજકોટ ખાતેથી ‘કોંગ્રેસ કે સાથ માઁ કે દ્વાર’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા બપોરે ખોડલધામ ખાતે પહોંચી હતી, જ્યાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસના આગેવાનોની બંધ બારણે એક બેઠક પણ યોજાઈ હતી. 


ખોડલધામ ખાતે નરેશ પટેલની ઓફિસમાં કોંગ્રેસના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 30 મિનિટ કરતાં પણ વધુ સમય સુધી ચાલી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય પ્રતાપ દૂધાત, ધારાસભ્ય લલિત વસોયા, સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝા, કોંગ્રેસના આગેવાન અને પાટીદાર નેતા મિતુલ દોંગા હાજર રહ્યાં હતા. કોંગ્રેસ નેતાઓએ હળવા માહોલમાં ખોડલધામ નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ અગાઉ પણ કોંગ્રેસમાં જવાના અણસાર આપી ચૂક્યા છે. નરેશ પટેલની કોંગ્રેસના આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજતા અનેક તર્કવતર્કો થઈ રહ્યાં છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .