કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે: શક્તિસિંહ ગોહિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:57:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો તેમની રણનિતી તૈયાર કરવામાં લાગી છે. ભાજપના અગ્રણી નેતાઓ આ વખતે  ‘નો રિપીટ થિયરી’હેઠળ વર્તમાન 50 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપવાની જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને મોટું નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ભાજપ ‘નો રિપીટ થિયરી’માં માને છે. કોંગ્રેસ પક્ષ પણ કોઈ ખાસ કારણ હોય, તો જ ધારાસભ્યોની ટિકિટ કાપે છે, બાકી મોટાભાગના ધારાસભ્યોને રીપીટ કરવામાં આવે છે.


કોંગ્રેસના વર્તમાન MLAને રાહત


શક્તિસિંહે કબૂલ્યું છે કે, કોંગ્રેસ સીટિંગ ધારાસભ્યોની ટિકિટ નહીં કાપે. શક્તિસિંહની આ સ્પષ્ટતાએ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોને આડકતરી રીતે જ  તેમની ટિકિટને લઈ સંદેશો આપી દીધો છે. વધુમાં શક્તિસિંહે જણાવ્યું કે, હજુ અમારે તમામ બેઠકો પર ટિકિટના દાવેદારોને સાંભળવાના છે. રાહુલ ગાંધી પણ સતત ભારત જોડો યાત્રાના પ્રવાસે છે. જેના કારણે ઉમેદવારોનો લિસ્ટ જાહેર કરવામાં મોડું થઈ રહ્યું છે.


કોંગ્રેસના નેતાઓની નરેશ પટેલ સાથે બેઠક


આજે રાજકોટ ખાતેથી ‘કોંગ્રેસ કે સાથ માઁ કે દ્વાર’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા બપોરે ખોડલધામ ખાતે પહોંચી હતી, જ્યાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસના આગેવાનોની બંધ બારણે એક બેઠક પણ યોજાઈ હતી. 


ખોડલધામ ખાતે નરેશ પટેલની ઓફિસમાં કોંગ્રેસના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 30 મિનિટ કરતાં પણ વધુ સમય સુધી ચાલી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય પ્રતાપ દૂધાત, ધારાસભ્ય લલિત વસોયા, સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝા, કોંગ્રેસના આગેવાન અને પાટીદાર નેતા મિતુલ દોંગા હાજર રહ્યાં હતા. કોંગ્રેસ નેતાઓએ હળવા માહોલમાં ખોડલધામ નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ અગાઉ પણ કોંગ્રેસમાં જવાના અણસાર આપી ચૂક્યા છે. નરેશ પટેલની કોંગ્રેસના આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજતા અનેક તર્કવતર્કો થઈ રહ્યાં છે.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .