Shaktipeeth Ambaji : મોહનથાળમાં નકલી ઘી વપરાતા હોવાનું સામે આવતા લેવાયો આ નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 15:25:43

અંબાજી મોહનથાળનો વિવાદ ફરી એક વખત વકર્યો છે. થોડા સમય પહેલા મોહનથાળ પ્રસાદ બંધ થવાને કારણે હોબાળો થયો હતો. ભાદરવી પૂનમનો લોકમેળા પહેલા મોહનથાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મેળો પૂર્ણ થયા બાદ આ રિપોર્ટનું રિઝલ્ટ આવ્યું છે. જેમાં મોહનથાળ મતલબ કે ફૂડ સેમ્પલ ફેલ થયો છે. ભેળસેળ યુક્ત ઘી વાપરવામાં આવ્યું છે તેવો ખુલાસો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. મોહનથાળ બનાવતી વખતે નકલી ઘી વાપરવામાં આવ્યું હોવાનું સામે આવતા ભક્તોમાં રોષ ભરાયા છે. આ સમાચાર આવ્યા બાદ મંદિર પ્રશાસન દ્વારા આ બાદ મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી. 

Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં હવે નહીં મળે મોહનથાળનો પ્રસાદ, ફક્ત સુકો  પ્રસાદ મળશે, ambaji-temple-management-committee-decided-to-stop-mohanthal -prasad-in-ambaji-temple


ભાદરવી પૂનમના મેળામાં લીધો હતો લાખો ભક્તોએ પ્રસાદનો લાભ

ભાદરવી પૂનમનો મેળો થોડા સમય પહેલા પૂર્ણ થયો છે. લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. લાખો ભક્તોએ મોહનથાળનો પ્રસાદ આરોગ્ય છે. આ બધા વચ્ચે એક સમાચાર સામે આવ્યા કે મોહનથાળમાં વપરાતું ઘી નકલી છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાદ્ય વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે. 

Government announces continuation of Prasad of both Mohanthal and Chiki,  feeling of joy among devotees, leaders receive Divya Bhaskar thanks |  સરકારે મોહનથાળ અને ચીકી બંનેનો પ્રસાદ ચાલુ રાખવાની જાહેરાત ...

મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ કરાયો રદ્દ 

આ સમાચાર સામે આવ્યા બાદ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.  આ વિવાદ વધે તે પહેલા જ એક નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. મોહિની કેટરર્સ સાથેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કવરામાં આવ્યો નથી. હાલ પ્રસાદ બનાવવાની કામગીરી મંદિર હસ્તક લઈ લેવામાં આવ્યો છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી