Shaktipeeth Ambaji : મોહનથાળમાં નકલી ઘી વપરાતા હોવાનું સામે આવતા લેવાયો આ નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 15:25:43

અંબાજી મોહનથાળનો વિવાદ ફરી એક વખત વકર્યો છે. થોડા સમય પહેલા મોહનથાળ પ્રસાદ બંધ થવાને કારણે હોબાળો થયો હતો. ભાદરવી પૂનમનો લોકમેળા પહેલા મોહનથાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મેળો પૂર્ણ થયા બાદ આ રિપોર્ટનું રિઝલ્ટ આવ્યું છે. જેમાં મોહનથાળ મતલબ કે ફૂડ સેમ્પલ ફેલ થયો છે. ભેળસેળ યુક્ત ઘી વાપરવામાં આવ્યું છે તેવો ખુલાસો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. મોહનથાળ બનાવતી વખતે નકલી ઘી વાપરવામાં આવ્યું હોવાનું સામે આવતા ભક્તોમાં રોષ ભરાયા છે. આ સમાચાર આવ્યા બાદ મંદિર પ્રશાસન દ્વારા આ બાદ મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી. 

Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં હવે નહીં મળે મોહનથાળનો પ્રસાદ, ફક્ત સુકો  પ્રસાદ મળશે, ambaji-temple-management-committee-decided-to-stop-mohanthal -prasad-in-ambaji-temple


ભાદરવી પૂનમના મેળામાં લીધો હતો લાખો ભક્તોએ પ્રસાદનો લાભ

ભાદરવી પૂનમનો મેળો થોડા સમય પહેલા પૂર્ણ થયો છે. લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. લાખો ભક્તોએ મોહનથાળનો પ્રસાદ આરોગ્ય છે. આ બધા વચ્ચે એક સમાચાર સામે આવ્યા કે મોહનથાળમાં વપરાતું ઘી નકલી છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાદ્ય વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે. 

Government announces continuation of Prasad of both Mohanthal and Chiki,  feeling of joy among devotees, leaders receive Divya Bhaskar thanks |  સરકારે મોહનથાળ અને ચીકી બંનેનો પ્રસાદ ચાલુ રાખવાની જાહેરાત ...

મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ કરાયો રદ્દ 

આ સમાચાર સામે આવ્યા બાદ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.  આ વિવાદ વધે તે પહેલા જ એક નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. મોહિની કેટરર્સ સાથેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કવરામાં આવ્યો નથી. હાલ પ્રસાદ બનાવવાની કામગીરી મંદિર હસ્તક લઈ લેવામાં આવ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.