શક્તિપીઠ બહુચરાજી મંદિર માટે લેવાયો મોટો નિર્ણય, મંદિરના શિખરને 71.5 ફૂટ ઊંચે લઈ જવાશે


  • Published By :
  • Published Date : 2023-03-08 13:51:11

ઉત્તર ગુજરાતમાં આવેલ પવિત્ર શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસ માટે મોટો નિર્ણય લેવાયો છે. યાત્રાધામ બહુચરાજી સ્થિત બહુચર માતાજીને મંદિરને 71.5 ફૂટ ઊંચા શિખર સાથે નવેસરથી ઉભું કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે જૂના મંદિરની સરખામણીએ નવું મંદિર એટલું ભવ્ય નહોતું  દેખાતું  તેથી માઈ ભક્તોમાં પણ ભારે અસંતોષ હતો વળી મંદિરનું નિર્માણ પણ વાસ્તુશાસ્ત્ર મુજબ ન હોવાથી તેના જીર્ણોધ્ધારની માગ છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે. રાજ્ય સરકારે આ જાહેરાત કરતાં માઇભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ છે. 


રાજ્ય સરકારે કરી જાહેરાત


રાજ્ય સરકારના બે મંત્રીઓ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને યાત્રાધામ વિકાસ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મંદિરના નવનિર્માણ અંગે જાણકારી આપતા કહ્યું કે લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા મા બહુચરના ધામમાં દર્શનાર્થે આવતા યાત્રિકોને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રાજ્ય સરકારે રૂ.20 કરોડ ફાળવ્યા છે. 


મંદિર કેવું બનશે?


રાજ્ય સરકારે બહુચરાજી મંદિરના જીર્ણોધ્ધાર માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તે મુજબ બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસરને ‘બી’ કેટેગરીમાંથી ‘એ’ કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે. જે મુજબ આગામી 25 વર્ષને ધ્યાને લઇ ત્રણ તબક્કામાં મંદિરનું નિર્માણ કરવામાં આવશે. જેના પ્રથમ તબક્કામાં મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ અને મંદિરના શિખરની ઊંચાઈ 71.5 ફૂટની કરવાનું કામ હાથ ધરાશે. જેના માટે રૂ.20 કરોડ ફાળવાયા છે. આ સાથે છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલા શિખરની ઊંચાઇના વિવાદનો અંત આવ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.