આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ, અંબાજીમાં 5 દિવસ સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો


  • Published By :
  • Published Date : 2023-02-12 15:16:00

રાજ્યના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ગબ્બર તળેટી ખાતે આયોજીત ભવ્ય કાર્યક્રમનો આજથી શુભારંભ થયો છે. ઉદ્યોગ મંત્રી ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અને સાધુ સંતોના હસ્તે દીપ પ્રજ્જવલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.


આજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો


અંબાજીમાં આજે 51 શક્તિપીઠ મહોત્સવ 2023ના પ્રથમ દિવસે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભાયાત્રા, ચામર યાત્રા , શક્તિપીઠમાં યજ્ઞ સાથે સાંજે ભજન મંડળી, સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો યોજાશે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાય છે. મંત્રી બલવંતસિંહ રાજપૂત અને સાધુ સંતો સહિત વહીવટી તંત્ર દ્વારા યજ્ઞનું પણ આરંભ કરાયું હતું. તો મોટી સંખ્યામાં આવેલા તમામ લોકો આ 51 શક્તિપીઠમાં મા દરેક શક્તિપીઠના દર્શન કરી તમામ શક્તિપીઠના લાભ લેશે તો સાથે સાથે તમામ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.


ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ


આ પરિક્રમા મહોત્સવમાં રોજ સાંજે સાત વાગ્યે ગબ્બર ટોચ પર આરતી પરિક્રમાના માર્ગમાં આવતા દરેક મંદિરોમાં એક સાથે આરતી થશે, અને ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ કરવામાં આવશે. સાંજે 7-30 કલાકે ગબ્બર તળેટી પ્રવેશદ્વાર પાર્કિગ પાસે યોજાનાર આ કાર્યક્રમમાં તા.12 મી ફેબ્રુઆરીએ કલાકાર સાંત્વની ત્રિવેદી અને તા.13 ફેબ્રુઆરીના રોજ કીર્તીદાન ગઢવી લોક ડાયરની રંગત જમાવશે. જ્યારે તા.14 મીએ પાર્થિવ ગોહિલ, તા.15મીએ સાંઇરામ દવે અને તા.16 મીએ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલવાશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા ભરતનાટ્યમ, પ્રાર્થના, ગરબો, શાસ્ત્રીય અને ભક્તિ સંગીત, રામની રમઝટ, દુર્ગા સ્તુતિ ભરત નાટ્યમ, લોક નૃત્ય ગરબો, ગરબે ઘૂમે, સંતવાણી સાહિત્ય મા આરાધના અને લોક ડાયરો યોજાશે. તે ઉપરાંત લેસર શો સહિત દિવ્ય પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  


યાત્રાળુઓની સુવિધા માટે ખાસ 2500 બસ


યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે આયોજીત‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’માટે રાજ્ય સરકાર દ્વારા ભાવિકો માટે અંબાજીની યાત્રાના ભાડામાં 50 ટકાની રાહત આપવામાં આવશે. યાત્રાળુઓને અંબાજી આવવામાં કોઈ તકલીફ ના થાય તે માટે પરિવહન નિગમ એસ.ટી તંત્ર દ્વારા 2500 જેટલી એસ.ટી. બસો મુકવામાં આવી છે. આ યાત્રા દરમિયાન યાત્રિકો માટે પાણી-અલ્પાહારની વ્યવસ્થા પણ કરાઇ છે. આ યાત્રા માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવાસનો લાભ મળશે.



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.