આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ, અંબાજીમાં 5 દિવસ સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો


  • Published By :
  • Published Date : 2023-02-12 15:16:00

રાજ્યના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ગબ્બર તળેટી ખાતે આયોજીત ભવ્ય કાર્યક્રમનો આજથી શુભારંભ થયો છે. ઉદ્યોગ મંત્રી ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અને સાધુ સંતોના હસ્તે દીપ પ્રજ્જવલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.


આજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો


અંબાજીમાં આજે 51 શક્તિપીઠ મહોત્સવ 2023ના પ્રથમ દિવસે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભાયાત્રા, ચામર યાત્રા , શક્તિપીઠમાં યજ્ઞ સાથે સાંજે ભજન મંડળી, સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો યોજાશે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાય છે. મંત્રી બલવંતસિંહ રાજપૂત અને સાધુ સંતો સહિત વહીવટી તંત્ર દ્વારા યજ્ઞનું પણ આરંભ કરાયું હતું. તો મોટી સંખ્યામાં આવેલા તમામ લોકો આ 51 શક્તિપીઠમાં મા દરેક શક્તિપીઠના દર્શન કરી તમામ શક્તિપીઠના લાભ લેશે તો સાથે સાથે તમામ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.


ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ


આ પરિક્રમા મહોત્સવમાં રોજ સાંજે સાત વાગ્યે ગબ્બર ટોચ પર આરતી પરિક્રમાના માર્ગમાં આવતા દરેક મંદિરોમાં એક સાથે આરતી થશે, અને ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ કરવામાં આવશે. સાંજે 7-30 કલાકે ગબ્બર તળેટી પ્રવેશદ્વાર પાર્કિગ પાસે યોજાનાર આ કાર્યક્રમમાં તા.12 મી ફેબ્રુઆરીએ કલાકાર સાંત્વની ત્રિવેદી અને તા.13 ફેબ્રુઆરીના રોજ કીર્તીદાન ગઢવી લોક ડાયરની રંગત જમાવશે. જ્યારે તા.14 મીએ પાર્થિવ ગોહિલ, તા.15મીએ સાંઇરામ દવે અને તા.16 મીએ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલવાશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા ભરતનાટ્યમ, પ્રાર્થના, ગરબો, શાસ્ત્રીય અને ભક્તિ સંગીત, રામની રમઝટ, દુર્ગા સ્તુતિ ભરત નાટ્યમ, લોક નૃત્ય ગરબો, ગરબે ઘૂમે, સંતવાણી સાહિત્ય મા આરાધના અને લોક ડાયરો યોજાશે. તે ઉપરાંત લેસર શો સહિત દિવ્ય પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  


યાત્રાળુઓની સુવિધા માટે ખાસ 2500 બસ


યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે આયોજીત‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’માટે રાજ્ય સરકાર દ્વારા ભાવિકો માટે અંબાજીની યાત્રાના ભાડામાં 50 ટકાની રાહત આપવામાં આવશે. યાત્રાળુઓને અંબાજી આવવામાં કોઈ તકલીફ ના થાય તે માટે પરિવહન નિગમ એસ.ટી તંત્ર દ્વારા 2500 જેટલી એસ.ટી. બસો મુકવામાં આવી છે. આ યાત્રા દરમિયાન યાત્રિકો માટે પાણી-અલ્પાહારની વ્યવસ્થા પણ કરાઇ છે. આ યાત્રા માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવાસનો લાભ મળશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.