આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ, અંબાજીમાં 5 દિવસ સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો


  • Published By :
  • Published Date : 2023-02-12 15:16:00

રાજ્યના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ગબ્બર તળેટી ખાતે આયોજીત ભવ્ય કાર્યક્રમનો આજથી શુભારંભ થયો છે. ઉદ્યોગ મંત્રી ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અને સાધુ સંતોના હસ્તે દીપ પ્રજ્જવલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.


આજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો


અંબાજીમાં આજે 51 શક્તિપીઠ મહોત્સવ 2023ના પ્રથમ દિવસે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભાયાત્રા, ચામર યાત્રા , શક્તિપીઠમાં યજ્ઞ સાથે સાંજે ભજન મંડળી, સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો યોજાશે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાય છે. મંત્રી બલવંતસિંહ રાજપૂત અને સાધુ સંતો સહિત વહીવટી તંત્ર દ્વારા યજ્ઞનું પણ આરંભ કરાયું હતું. તો મોટી સંખ્યામાં આવેલા તમામ લોકો આ 51 શક્તિપીઠમાં મા દરેક શક્તિપીઠના દર્શન કરી તમામ શક્તિપીઠના લાભ લેશે તો સાથે સાથે તમામ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.


ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ


આ પરિક્રમા મહોત્સવમાં રોજ સાંજે સાત વાગ્યે ગબ્બર ટોચ પર આરતી પરિક્રમાના માર્ગમાં આવતા દરેક મંદિરોમાં એક સાથે આરતી થશે, અને ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ કરવામાં આવશે. સાંજે 7-30 કલાકે ગબ્બર તળેટી પ્રવેશદ્વાર પાર્કિગ પાસે યોજાનાર આ કાર્યક્રમમાં તા.12 મી ફેબ્રુઆરીએ કલાકાર સાંત્વની ત્રિવેદી અને તા.13 ફેબ્રુઆરીના રોજ કીર્તીદાન ગઢવી લોક ડાયરની રંગત જમાવશે. જ્યારે તા.14 મીએ પાર્થિવ ગોહિલ, તા.15મીએ સાંઇરામ દવે અને તા.16 મીએ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલવાશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા ભરતનાટ્યમ, પ્રાર્થના, ગરબો, શાસ્ત્રીય અને ભક્તિ સંગીત, રામની રમઝટ, દુર્ગા સ્તુતિ ભરત નાટ્યમ, લોક નૃત્ય ગરબો, ગરબે ઘૂમે, સંતવાણી સાહિત્ય મા આરાધના અને લોક ડાયરો યોજાશે. તે ઉપરાંત લેસર શો સહિત દિવ્ય પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  


યાત્રાળુઓની સુવિધા માટે ખાસ 2500 બસ


યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે આયોજીત‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’માટે રાજ્ય સરકાર દ્વારા ભાવિકો માટે અંબાજીની યાત્રાના ભાડામાં 50 ટકાની રાહત આપવામાં આવશે. યાત્રાળુઓને અંબાજી આવવામાં કોઈ તકલીફ ના થાય તે માટે પરિવહન નિગમ એસ.ટી તંત્ર દ્વારા 2500 જેટલી એસ.ટી. બસો મુકવામાં આવી છે. આ યાત્રા દરમિયાન યાત્રિકો માટે પાણી-અલ્પાહારની વ્યવસ્થા પણ કરાઇ છે. આ યાત્રા માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવાસનો લાભ મળશે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .