Shaktisinh Gohilએ મતદાન કર્યા બાદ ભાજપ પર આકરા પ્રહાર કર્યા! પ્રતિક્રિયા આપતા Amit Shahનો કર્યો ઉલ્લેખ, સાંભળો શું કહ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-07 14:20:02

ગુજરાતમાં આજે લોકસભા બેઠક માટે મતદાન થઈ રહ્યું છે.. 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. અનેક જગ્યાઓથી સમાચાર સામે આવ્યા કે ઈવીએમ ખોરવાઈ ગયા છે. ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે..  શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.  

શક્તિસિંહ ગોહિલે લગાવ્યો આરોપ કે... 

શક્તિસિંહ ગોહિલ દ્વારા એક આરોપ લગાવામાં આવ્યો છે.. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે આરોપ લગાવ્યો છે કે વાસણ ગામમાં રૂમ નંબર ત્રણમાં અનઅધિકૃત રીતે ભાજપના એક ધારાસભ્યના પતિએ વાસણ ગામમાં મતદાન બંધ કરાવ્યું છે. ચૂંટણી પંચ ને કહીશ કે આ સંદર્ભે કાર્યવાહી કરે. તે સિવાય તેમણે અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા છે. ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પણ કેસરી ખેસ પહેરીને મતદાન કરવા ગયા હતા. 



આને લઇ પણ તેમણે ઉઠાવ્યો વાંધો

તેમણે કહ્યું કે કેસરી ખેસ પહેરીને અમિતભાઈએ વોટિંગ કર્યું છે એવી જ રીતે હું પણ આ ખેસ પહેરીને વોટીંગ કરીશ. હવે જોવાનું છે કે એમના માટેના નિયમો અને અમારા માટેના નિયમો અલગ અલગ છે કે કેમ. મહત્વનું છે કે તેની પહેલા પણ તેમના દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપના સિમ્બોલ વાળી પેનના‌ ઉપયોગ સામે ચૂંટણી પંચ સમક્ષ વિરોધ દર્શાવ્યો છે.   



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.