ડુંગળીના નિકાસ પર લગાવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આવ્યા Shaktisinh Gohil! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-16 12:15:59

ડુંગળીને ગરીબોની કસ્તુરી ગણવામાં આવે છે. રોટલો અને ડુંગળી ખાઈને ગરીબો પોતાના જીવનનો ગુજારો કરતા સામાન્ય રીતે દેખાય છે. ત્યારે  ડુંગળીના નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. નિકાસ ચાલતો હતો ત્યારે ખેડૂતોને આશા રહેતી હતી કે ડુંગળીનો તેમને સારો ભાવ મળશે. પરંતુ નિકાસ પર પ્રતિબંધ મૂકાવાને કારણે ખેડૂતોની કમાણી પર સીધી અસર થઈ છે. પ્રતિબંધને હટાવવા માટે ખેડૂતો વિરોધ કરી પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આવ્યા છે.   

આર્થિક દેવાને કારણે અનેક ખેડૂતો કરે છે આત્મહત્યા

ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ. ખેડૂતો રાત-દિવસ મહેનત કરે છે તેથી જ આપણી થાળીમાં ભોજન આવે છે. ખેતરમાં મજૂરી કરે છે તેથી આપણે ભરપેટ ખાવાનું ખાઈ શકીએ છીએ. પરંતુ ખેડૂતોની હાલત પ્રતિદિન દયનિય બની રહી છે. આર્થિક સ્થિતિ નબળી બની રહી છે. જેને કારણે અનેક ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોની સ્થિતિ સુધરે, ખેડૂતોની આવક ડબલ થાય તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી, ખેડૂતોની હાલત સુધરી છે તેવા દાવા પણ કરવામાં આવે છે પરંતુ તે દાવાની સચ્ચાઈ શું છે તે જાણીએ છીએ. 

માર્કેટ યાર્ડના મેઈન ગેટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું


ડુંગળીના નિકાસ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ 

વરસાદ પર ખેતીનો આધાર રહેલો હોય છે. પરંતુ વરસાદ હવે અનિયમિત થઈ ગયો છે જેને કારણે વરસાદ ક્યારે આવશે તેની જાણ નથી થતી. વરસાદ અનિયમિત થઈ ગયો છે જેને કારણે ગમે ત્યારે વરસાદ પડી રહ્યો છે. આ બધા વચ્ચે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધારે કમાણી થાય તે માટે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર વધારે કર્યું હતું પરંતુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નિકાસ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. રસ્તા પર વિરોધ પ્રદર્શન ખેડૂતો કરી રહ્યા છે. ડુંગળીને રસ્તા પર ફેંકી દીધો અને અનેક રસ્તાઓ બ્લોક પણ કર્યા. 



શક્તિસિંહ ગોહિલે નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટે તે માટે કરી રજૂઆત!    

અનેક ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી જેને લઈ પોલીસે અનેક ખેડૂતોની અટકાયત પણ લીધી છે. બે દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે પણ તેમનો વિરોધ યથાવત છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિરોધ કરી રહેલા ખેડૂતો અંગે વાત કરી છે અને સરકાર પર પ્રહાર કર્યા છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો કેન્દ્ર સરકારનો નિર્ણય ડુંગળી પકવતા ખેડૂતો માટે અન્યાય કર્તા. સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે અથવા પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.