ડુંગળીના નિકાસ પર લગાવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આવ્યા Shaktisinh Gohil! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-16 12:15:59

ડુંગળીને ગરીબોની કસ્તુરી ગણવામાં આવે છે. રોટલો અને ડુંગળી ખાઈને ગરીબો પોતાના જીવનનો ગુજારો કરતા સામાન્ય રીતે દેખાય છે. ત્યારે  ડુંગળીના નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. નિકાસ ચાલતો હતો ત્યારે ખેડૂતોને આશા રહેતી હતી કે ડુંગળીનો તેમને સારો ભાવ મળશે. પરંતુ નિકાસ પર પ્રતિબંધ મૂકાવાને કારણે ખેડૂતોની કમાણી પર સીધી અસર થઈ છે. પ્રતિબંધને હટાવવા માટે ખેડૂતો વિરોધ કરી પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આવ્યા છે.   

આર્થિક દેવાને કારણે અનેક ખેડૂતો કરે છે આત્મહત્યા

ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ. ખેડૂતો રાત-દિવસ મહેનત કરે છે તેથી જ આપણી થાળીમાં ભોજન આવે છે. ખેતરમાં મજૂરી કરે છે તેથી આપણે ભરપેટ ખાવાનું ખાઈ શકીએ છીએ. પરંતુ ખેડૂતોની હાલત પ્રતિદિન દયનિય બની રહી છે. આર્થિક સ્થિતિ નબળી બની રહી છે. જેને કારણે અનેક ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોની સ્થિતિ સુધરે, ખેડૂતોની આવક ડબલ થાય તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી, ખેડૂતોની હાલત સુધરી છે તેવા દાવા પણ કરવામાં આવે છે પરંતુ તે દાવાની સચ્ચાઈ શું છે તે જાણીએ છીએ. 

માર્કેટ યાર્ડના મેઈન ગેટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું


ડુંગળીના નિકાસ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ 

વરસાદ પર ખેતીનો આધાર રહેલો હોય છે. પરંતુ વરસાદ હવે અનિયમિત થઈ ગયો છે જેને કારણે વરસાદ ક્યારે આવશે તેની જાણ નથી થતી. વરસાદ અનિયમિત થઈ ગયો છે જેને કારણે ગમે ત્યારે વરસાદ પડી રહ્યો છે. આ બધા વચ્ચે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધારે કમાણી થાય તે માટે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર વધારે કર્યું હતું પરંતુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નિકાસ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. રસ્તા પર વિરોધ પ્રદર્શન ખેડૂતો કરી રહ્યા છે. ડુંગળીને રસ્તા પર ફેંકી દીધો અને અનેક રસ્તાઓ બ્લોક પણ કર્યા. 



શક્તિસિંહ ગોહિલે નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટે તે માટે કરી રજૂઆત!    

અનેક ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી જેને લઈ પોલીસે અનેક ખેડૂતોની અટકાયત પણ લીધી છે. બે દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે પણ તેમનો વિરોધ યથાવત છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિરોધ કરી રહેલા ખેડૂતો અંગે વાત કરી છે અને સરકાર પર પ્રહાર કર્યા છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો કેન્દ્ર સરકારનો નિર્ણય ડુંગળી પકવતા ખેડૂતો માટે અન્યાય કર્તા. સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે અથવા પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.