ડુંગળીના નિકાસ પર લગાવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આવ્યા Shaktisinh Gohil! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-16 12:15:59

ડુંગળીને ગરીબોની કસ્તુરી ગણવામાં આવે છે. રોટલો અને ડુંગળી ખાઈને ગરીબો પોતાના જીવનનો ગુજારો કરતા સામાન્ય રીતે દેખાય છે. ત્યારે  ડુંગળીના નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. નિકાસ ચાલતો હતો ત્યારે ખેડૂતોને આશા રહેતી હતી કે ડુંગળીનો તેમને સારો ભાવ મળશે. પરંતુ નિકાસ પર પ્રતિબંધ મૂકાવાને કારણે ખેડૂતોની કમાણી પર સીધી અસર થઈ છે. પ્રતિબંધને હટાવવા માટે ખેડૂતો વિરોધ કરી પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આવ્યા છે.   

આર્થિક દેવાને કારણે અનેક ખેડૂતો કરે છે આત્મહત્યા

ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ. ખેડૂતો રાત-દિવસ મહેનત કરે છે તેથી જ આપણી થાળીમાં ભોજન આવે છે. ખેતરમાં મજૂરી કરે છે તેથી આપણે ભરપેટ ખાવાનું ખાઈ શકીએ છીએ. પરંતુ ખેડૂતોની હાલત પ્રતિદિન દયનિય બની રહી છે. આર્થિક સ્થિતિ નબળી બની રહી છે. જેને કારણે અનેક ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોની સ્થિતિ સુધરે, ખેડૂતોની આવક ડબલ થાય તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી, ખેડૂતોની હાલત સુધરી છે તેવા દાવા પણ કરવામાં આવે છે પરંતુ તે દાવાની સચ્ચાઈ શું છે તે જાણીએ છીએ. 

માર્કેટ યાર્ડના મેઈન ગેટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું


ડુંગળીના નિકાસ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ 

વરસાદ પર ખેતીનો આધાર રહેલો હોય છે. પરંતુ વરસાદ હવે અનિયમિત થઈ ગયો છે જેને કારણે વરસાદ ક્યારે આવશે તેની જાણ નથી થતી. વરસાદ અનિયમિત થઈ ગયો છે જેને કારણે ગમે ત્યારે વરસાદ પડી રહ્યો છે. આ બધા વચ્ચે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધારે કમાણી થાય તે માટે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર વધારે કર્યું હતું પરંતુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નિકાસ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. રસ્તા પર વિરોધ પ્રદર્શન ખેડૂતો કરી રહ્યા છે. ડુંગળીને રસ્તા પર ફેંકી દીધો અને અનેક રસ્તાઓ બ્લોક પણ કર્યા. 



શક્તિસિંહ ગોહિલે નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટે તે માટે કરી રજૂઆત!    

અનેક ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી જેને લઈ પોલીસે અનેક ખેડૂતોની અટકાયત પણ લીધી છે. બે દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે પણ તેમનો વિરોધ યથાવત છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિરોધ કરી રહેલા ખેડૂતો અંગે વાત કરી છે અને સરકાર પર પ્રહાર કર્યા છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો કેન્દ્ર સરકારનો નિર્ણય ડુંગળી પકવતા ખેડૂતો માટે અન્યાય કર્તા. સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે અથવા પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.