શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ, જગદીશ ઠાકોરનું પત્તુ કપાયું


  • Published By :
  • Published Date : 2023-06-09 22:53:58

ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ ગુજરાત કોંગ્રેસની કમાન રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપી છે. તેઓ અત્યાર સુધી દિલ્હી અને હરિયાણાના પ્રભારી તરીકે સેવા આપતા હતા. 


દિપક બાબરિયા અને પરેશ ધાનાણી પણ હતા પદના દાવેદાર


ગુજરાત કોગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, આ અગ્રણી નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, શૈલેષ પરમાર, સિદ્ધાર્થ પટેલ અને દીપક બાબરિયાનો સમાવેશ થતો હતો. પાર્ટીના નવા રાજ્ય પ્રભારી અને અધ્યક્ષની નિમણૂક કરવા માટે રાજ્યના ટોચના નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે દિલ્હીમાં લાંબી ચર્ચા-વિચારણા થઈ હતી. પ્રદેશ અધ્યક્ષના પ્રમુખ પદના ટોચના દાવેદારોમાં દિપક બાબરિયા અને પરેશ ધાનાણી પણ હતા. આખરે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ પર દાવ અજમાવ્યો છે. 


જગદીશ ઠાકોરને મોટો ઝટકો


દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડએ મહત્વનો નિર્ણય લીધો છે, હાઈકમાન્ડ દ્વારા શક્તિસિંહ ગોહિલને ગુજરાતની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હવે લોકસભાની ચૂંટણી શક્તિસિંહ ગોહિલ માટે સૌથી મોટી પરીક્ષા છે પણ આ પરીક્ષા પાસ કરી તો કોંગ્રેસ માટે નવો સૂરજ ઉગશે. હાઈકમાન્ડનો આ નિર્ણય જગદીશ ઠાકોર માટે મોટા ઝટકા સમાન છે. શક્તિસિંહ ગોહિલ હાલમાં રાજ્ય સભાના સાંસદ છે અને 2026 સુધી તેઓ સાંસદ બની રહેશે.


ગ્યાસુદ્દીન શેખે પણ કરી હતી રજૂઆત 


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લોકસમસ્યાને લઇને સંઘર્ષ કરી શકવાની ક્ષમતા ધરાવતા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવજો એવી રજૂઆત સોશિયલ મીડિયા મારફત કોંગ્રેસના મોવડી મંડળને કરી છે. તેમણે લખ્યું છે કે હાઇકમાન્ડે વિવેકબુદ્ધિ અને સર્વેને આધારે કોંગ્રેસની વિચારધારાને સમર્પિત હોય તેવા નેતા અને જમીન સ્તરના કાર્યકરોને સન્માન આપે તેવા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ.


ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારોની થઈ રહી હતી ચર્ચા


ગુજરાતમાં કારમી હાર બાદ ગુજરાત કોગ્રેસમાં મોટા ફેરફારો થશે તેવી રાજકીય વર્તુળોમાં આશંકા પહેલેથી વ્યક્ત કરવામાં આવી રહી હતી. વિધાનસભાની ચૂંટણીમાં 35 ટિકિટો વેચાઈ હતી એવા આક્ષેપો બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પાંચ અગ્રણી નેતાઓને દિલ્હી બોલવવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની  જાહેરાત કરી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.