ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે કરી પ્રેસ કોન્ફરન્સ! જાણો પત્રકારોના સવાલોના શું આપ્યા જવાબ?


  • Published By :
  • Published Date : 2023-06-10 19:23:46

ગુજરાત કોંગ્રેસની કમાન હજી સુધી જગદીશ ઠાકોર સંભાળી રહ્યા હતા પરંતુ ગઈકાલે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બનાવાયા છે. ત્યારે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે હું પક્ષનો સૈનિક છું. વિચારમંથન બાદ મને આ જવાબદારી સોંપવામાં આવી છે. મેં આ નિર્ણયને દિલથી આવકાર્યો છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ખેડૂતો, દલીતો, મોંઘવારી, રોજગારી સહિતના મુદ્દાઓ પર આગળ વધવામાં આવશે.


18 જૂનના રોજ સત્તાવાર રીતે સંભાળશે કાર્યભાર!

ગઈકાલે ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ મળ્યા છે. શક્તિસિંહ ગોહિલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નવનિયુક્તિ બાદ આજે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ કેવી રીતે આગળ વધશે તેવી જાણકારી આપવામાં આવી હતી. શક્તિસિંહ ગોહિલ 18 જૂનના રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળવાના છે અને તે પહેલા 10 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને નમન કરશે અને તે બાદ રાજીવ ભવન ખાતે જઈ પોતાનો કાર્યભાર સંભાળશે. 

   

આગામી સમયમાં કોંગ્રેસની રાજનીતિ અંગે કરી વાત!

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ ખેડૂતો, દલિતો, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર રાજનીતિ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુદ્દા આધારિત ચૂંટણી હોવી જોઈએ. અમે લોકો વચ્ચે જઈશું.જગ્યા ખાલી છે અને યુવાનોને નોકરી નથી મળી રહી. ગેસનો બાટલો,પેટ્રોલ,ડીઝલ અને મોંઘવારીના મુદ્દા સાથે સકારાત્મક વલણ સાથે કામ કરીશું. હું જૂથબંધીવાળો રાજકારણી નથી. મારી જોડે આવો અને ખુલ્લા મને ચર્ચા કરો.કોંગ્રેસમાં ક્યારેય કોઈનો અસ્વિકાર નથી, બધાને આવકાર છે પણ બળજબરી પૂર્વક નહીં.

  

ભાજપ પર જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આ જવાબ આપ્યો!

કોંગ્રેસમાંના અનેક કદાવર નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કરી લીધો છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોંગ્રેસને નવા અધ્યક્ષ  મળે છે ત્યારે કોઈ કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાઈ જાય છે. જ્યારે આ વાતને લઈ તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું કેટલાક લોકોને ઓળખું છું, કે તેમને નથી જવું હોતું પણ મજબૂરીથી, ધાક ધમકીથી તેમને લઈ જવામાં આવે છે. અમે તોડજોડની રાજનીતિમાં નથી માનતા. ભાજપ અનેક વખત કોંગ્રેસ પર ભ્રષ્ટાચારને લઈ આરોપો લગાવતા હોય છે. તેમણે ચેલેન્જ કરતા કહ્યું કે, જો અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો કોંગ્રેસના નેતાને જેલમાં નાખો, 9 વર્ષથી તમારી જ સરકાર છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.