ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે કરી પ્રેસ કોન્ફરન્સ! જાણો પત્રકારોના સવાલોના શું આપ્યા જવાબ?


  • Published By :
  • Published Date : 2023-06-10 19:23:46

ગુજરાત કોંગ્રેસની કમાન હજી સુધી જગદીશ ઠાકોર સંભાળી રહ્યા હતા પરંતુ ગઈકાલે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બનાવાયા છે. ત્યારે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે હું પક્ષનો સૈનિક છું. વિચારમંથન બાદ મને આ જવાબદારી સોંપવામાં આવી છે. મેં આ નિર્ણયને દિલથી આવકાર્યો છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ખેડૂતો, દલીતો, મોંઘવારી, રોજગારી સહિતના મુદ્દાઓ પર આગળ વધવામાં આવશે.


18 જૂનના રોજ સત્તાવાર રીતે સંભાળશે કાર્યભાર!

ગઈકાલે ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ મળ્યા છે. શક્તિસિંહ ગોહિલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નવનિયુક્તિ બાદ આજે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ કેવી રીતે આગળ વધશે તેવી જાણકારી આપવામાં આવી હતી. શક્તિસિંહ ગોહિલ 18 જૂનના રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળવાના છે અને તે પહેલા 10 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને નમન કરશે અને તે બાદ રાજીવ ભવન ખાતે જઈ પોતાનો કાર્યભાર સંભાળશે. 

   

આગામી સમયમાં કોંગ્રેસની રાજનીતિ અંગે કરી વાત!

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ ખેડૂતો, દલિતો, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર રાજનીતિ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુદ્દા આધારિત ચૂંટણી હોવી જોઈએ. અમે લોકો વચ્ચે જઈશું.જગ્યા ખાલી છે અને યુવાનોને નોકરી નથી મળી રહી. ગેસનો બાટલો,પેટ્રોલ,ડીઝલ અને મોંઘવારીના મુદ્દા સાથે સકારાત્મક વલણ સાથે કામ કરીશું. હું જૂથબંધીવાળો રાજકારણી નથી. મારી જોડે આવો અને ખુલ્લા મને ચર્ચા કરો.કોંગ્રેસમાં ક્યારેય કોઈનો અસ્વિકાર નથી, બધાને આવકાર છે પણ બળજબરી પૂર્વક નહીં.

  

ભાજપ પર જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આ જવાબ આપ્યો!

કોંગ્રેસમાંના અનેક કદાવર નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કરી લીધો છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોંગ્રેસને નવા અધ્યક્ષ  મળે છે ત્યારે કોઈ કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાઈ જાય છે. જ્યારે આ વાતને લઈ તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું કેટલાક લોકોને ઓળખું છું, કે તેમને નથી જવું હોતું પણ મજબૂરીથી, ધાક ધમકીથી તેમને લઈ જવામાં આવે છે. અમે તોડજોડની રાજનીતિમાં નથી માનતા. ભાજપ અનેક વખત કોંગ્રેસ પર ભ્રષ્ટાચારને લઈ આરોપો લગાવતા હોય છે. તેમણે ચેલેન્જ કરતા કહ્યું કે, જો અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો કોંગ્રેસના નેતાને જેલમાં નાખો, 9 વર્ષથી તમારી જ સરકાર છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.