ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે કરી પ્રેસ કોન્ફરન્સ! જાણો પત્રકારોના સવાલોના શું આપ્યા જવાબ?


  • Published By :
  • Published Date : 2023-06-10 19:23:46

ગુજરાત કોંગ્રેસની કમાન હજી સુધી જગદીશ ઠાકોર સંભાળી રહ્યા હતા પરંતુ ગઈકાલે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બનાવાયા છે. ત્યારે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે હું પક્ષનો સૈનિક છું. વિચારમંથન બાદ મને આ જવાબદારી સોંપવામાં આવી છે. મેં આ નિર્ણયને દિલથી આવકાર્યો છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ખેડૂતો, દલીતો, મોંઘવારી, રોજગારી સહિતના મુદ્દાઓ પર આગળ વધવામાં આવશે.


18 જૂનના રોજ સત્તાવાર રીતે સંભાળશે કાર્યભાર!

ગઈકાલે ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ મળ્યા છે. શક્તિસિંહ ગોહિલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નવનિયુક્તિ બાદ આજે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ કેવી રીતે આગળ વધશે તેવી જાણકારી આપવામાં આવી હતી. શક્તિસિંહ ગોહિલ 18 જૂનના રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળવાના છે અને તે પહેલા 10 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને નમન કરશે અને તે બાદ રાજીવ ભવન ખાતે જઈ પોતાનો કાર્યભાર સંભાળશે. 

   

આગામી સમયમાં કોંગ્રેસની રાજનીતિ અંગે કરી વાત!

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ ખેડૂતો, દલિતો, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર રાજનીતિ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુદ્દા આધારિત ચૂંટણી હોવી જોઈએ. અમે લોકો વચ્ચે જઈશું.જગ્યા ખાલી છે અને યુવાનોને નોકરી નથી મળી રહી. ગેસનો બાટલો,પેટ્રોલ,ડીઝલ અને મોંઘવારીના મુદ્દા સાથે સકારાત્મક વલણ સાથે કામ કરીશું. હું જૂથબંધીવાળો રાજકારણી નથી. મારી જોડે આવો અને ખુલ્લા મને ચર્ચા કરો.કોંગ્રેસમાં ક્યારેય કોઈનો અસ્વિકાર નથી, બધાને આવકાર છે પણ બળજબરી પૂર્વક નહીં.

  

ભાજપ પર જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આ જવાબ આપ્યો!

કોંગ્રેસમાંના અનેક કદાવર નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કરી લીધો છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોંગ્રેસને નવા અધ્યક્ષ  મળે છે ત્યારે કોઈ કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાઈ જાય છે. જ્યારે આ વાતને લઈ તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું કેટલાક લોકોને ઓળખું છું, કે તેમને નથી જવું હોતું પણ મજબૂરીથી, ધાક ધમકીથી તેમને લઈ જવામાં આવે છે. અમે તોડજોડની રાજનીતિમાં નથી માનતા. ભાજપ અનેક વખત કોંગ્રેસ પર ભ્રષ્ટાચારને લઈ આરોપો લગાવતા હોય છે. તેમણે ચેલેન્જ કરતા કહ્યું કે, જો અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો કોંગ્રેસના નેતાને જેલમાં નાખો, 9 વર્ષથી તમારી જ સરકાર છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.