Rajkot Fire Accident મુદ્દે BJP પર શક્તિસિંહ ગોહિલના પ્રહાર, કહ્યું માત્ર પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી... સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-27 15:31:39

રાજકોટમાં બનેલી કરૂણાંતિકાથી લોકો હચમચી ગયા છે.. ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 જેટલા લોકો મોતને ભેટ્યા.. શવની એવી હાલત થઈ ગઈ કે તેની ઓળખાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડી રહ્યો છે. રિપોર્ટ મેચ થઈ રહ્યા છે તે બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. અન્ય મૃતદેહોને શોધવાની કામગીરી કરાઈ રહી છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારને ઘેરી છે.. ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અનેક ફોટાઓ તેમના દ્વારા બતાવવામાં આવ્યા

દાખલો બેસાડવાની જરૂર છે કે.. - શક્તિસિંહ ગોહિલ  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારો પડકાર છે કે તેઓ આ ઘટના જાતે નિર્ણય કરે અને પીડિતોને સારામાં સારું વળતર આપે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. લીપાથોપી બંધ કરવી જોઈએ. માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી કરો. જે કોઈ ઊંચા અધિકારીઓની આ અગ્નિકાંડમાં સંડોવણી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે પીડિતોને સારામાં સારું વળતર આપવામાં આવે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. તે સિવાય તેમણે પૈસા લઈને પોસ્ટિંગ કરવામાં આવે છે તેવી વાત કરી હતી.. 


"નાના અધિકારીઓ સામે પગલા લેવાયા પરંતુ..!"

તેમણે કહ્યું કે સરકારે આજે કેટલા નાના અધિકારીઓના સસ્પેન્ડ કર્યા છે. મારે પૂછવું છે કે, જ્યાં કમિશ્નર જતા હોય, જ્યાં મેયર જતા હોઈ ત્યાં નાનો કર્મચારી પગલાં લઈ શકે ખરો? મારી માંગ છે કે, સરકાર અધિકારીઓના નામ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.. મહત્વનું છે કે સરકાર દ્વારા 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.. સરકાર તેમજ આરએમસીની કોર્ટે ઝાટકણી કાઢી છે.. અનેક સવાલો કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યા છે.. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .