Rajkot Fire Accident મુદ્દે BJP પર શક્તિસિંહ ગોહિલના પ્રહાર, કહ્યું માત્ર પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી... સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-27 15:31:39

રાજકોટમાં બનેલી કરૂણાંતિકાથી લોકો હચમચી ગયા છે.. ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 જેટલા લોકો મોતને ભેટ્યા.. શવની એવી હાલત થઈ ગઈ કે તેની ઓળખાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડી રહ્યો છે. રિપોર્ટ મેચ થઈ રહ્યા છે તે બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. અન્ય મૃતદેહોને શોધવાની કામગીરી કરાઈ રહી છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારને ઘેરી છે.. ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અનેક ફોટાઓ તેમના દ્વારા બતાવવામાં આવ્યા

દાખલો બેસાડવાની જરૂર છે કે.. - શક્તિસિંહ ગોહિલ  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારો પડકાર છે કે તેઓ આ ઘટના જાતે નિર્ણય કરે અને પીડિતોને સારામાં સારું વળતર આપે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. લીપાથોપી બંધ કરવી જોઈએ. માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી કરો. જે કોઈ ઊંચા અધિકારીઓની આ અગ્નિકાંડમાં સંડોવણી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે પીડિતોને સારામાં સારું વળતર આપવામાં આવે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. તે સિવાય તેમણે પૈસા લઈને પોસ્ટિંગ કરવામાં આવે છે તેવી વાત કરી હતી.. 


"નાના અધિકારીઓ સામે પગલા લેવાયા પરંતુ..!"

તેમણે કહ્યું કે સરકારે આજે કેટલા નાના અધિકારીઓના સસ્પેન્ડ કર્યા છે. મારે પૂછવું છે કે, જ્યાં કમિશ્નર જતા હોય, જ્યાં મેયર જતા હોઈ ત્યાં નાનો કર્મચારી પગલાં લઈ શકે ખરો? મારી માંગ છે કે, સરકાર અધિકારીઓના નામ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.. મહત્વનું છે કે સરકાર દ્વારા 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.. સરકાર તેમજ આરએમસીની કોર્ટે ઝાટકણી કાઢી છે.. અનેક સવાલો કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યા છે.. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે