Rajkot Fire Accident મુદ્દે BJP પર શક્તિસિંહ ગોહિલના પ્રહાર, કહ્યું માત્ર પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી... સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-27 15:31:39

રાજકોટમાં બનેલી કરૂણાંતિકાથી લોકો હચમચી ગયા છે.. ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 જેટલા લોકો મોતને ભેટ્યા.. શવની એવી હાલત થઈ ગઈ કે તેની ઓળખાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડી રહ્યો છે. રિપોર્ટ મેચ થઈ રહ્યા છે તે બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. અન્ય મૃતદેહોને શોધવાની કામગીરી કરાઈ રહી છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારને ઘેરી છે.. ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અનેક ફોટાઓ તેમના દ્વારા બતાવવામાં આવ્યા

દાખલો બેસાડવાની જરૂર છે કે.. - શક્તિસિંહ ગોહિલ  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારો પડકાર છે કે તેઓ આ ઘટના જાતે નિર્ણય કરે અને પીડિતોને સારામાં સારું વળતર આપે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. લીપાથોપી બંધ કરવી જોઈએ. માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી કરો. જે કોઈ ઊંચા અધિકારીઓની આ અગ્નિકાંડમાં સંડોવણી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે પીડિતોને સારામાં સારું વળતર આપવામાં આવે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. તે સિવાય તેમણે પૈસા લઈને પોસ્ટિંગ કરવામાં આવે છે તેવી વાત કરી હતી.. 


"નાના અધિકારીઓ સામે પગલા લેવાયા પરંતુ..!"

તેમણે કહ્યું કે સરકારે આજે કેટલા નાના અધિકારીઓના સસ્પેન્ડ કર્યા છે. મારે પૂછવું છે કે, જ્યાં કમિશ્નર જતા હોય, જ્યાં મેયર જતા હોઈ ત્યાં નાનો કર્મચારી પગલાં લઈ શકે ખરો? મારી માંગ છે કે, સરકાર અધિકારીઓના નામ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.. મહત્વનું છે કે સરકાર દ્વારા 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.. સરકાર તેમજ આરએમસીની કોર્ટે ઝાટકણી કાઢી છે.. અનેક સવાલો કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યા છે.. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .