શક્તિસિંહ ગોહિલે કહ્યું, 'રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ભાજપની પોલિટિકલ ઇવેન્ટ', અલ્પેશ ઠાકોરની કાઢી ઝાટકણી


  • Published By :
  • Published Date : 2024-01-11 23:06:05

રામ મંદિરને લઈને રાજકારણ ગરમાયુ છે. રામ મંદિરના પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવના આમંત્રણને લઈને ભાજપ અને કોંગ્રેસ અમને સામને આવી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને ભાજપની ઈવેન્ટ ગણાવીને કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil)  આજે મીડિયાને આ અંગે પ્રતિક્રિયા આપીને પોતાની વાત સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યુ છે કે, મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી ત્યારે કોઇ રાજકીય ફાયદા માટે ભાજપ કાર્યક્રમ કરે છે. તેનો હિસ્સો ના થઈ શકાય. તેમણે કહ્યું કે અમે પુરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું. સાથે સાથે જ શક્તિસિંહ ગોહિલે એવું પણ કહ્યું હતું કે ભાજપ ઇવેન્ટ કરી રહી છે અને આ ઇવેન્ટના ભાગીદાર અમે બનવા નથી માંગતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ભાજપ ચૂંટણી આવી રહી છે એટલે રામને વટાવે છે. આ પ્રસંગે તેમણે ભાજપના નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પણ ઝાટકણી કાઢી હતી.


શું કહ્યું શક્તિસિંહ ગોહિલે?


શક્તિસિંહ ગોહિલે આજે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં કોઈપણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્ર મુજબ, આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજનો હોય છે. શંકરાચાર્યજી મહારાજ જ્યારે એવું કહેતા હોય કે જે મંદિરનું કામ હજુ પૂર્ણ નથી થયું તેની પ્રતિષ્ઠા ન કરી શકાય. હું પોતે એક હિન્દુ છું. મારા માટે સર્વોત્તમ શબ્દોએ શંકરાચાર્યજી મહારાજના જ છે. જ્યારે શંકરાચાર્યજી મહારાજ આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રામના નામે મત લેવા માટે પોલિટિકલ ઈવેન્ટ કરે છે.


અલ્પેશ ઠાકોરના પર બગડ્યા શક્તિસિંહ 


ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ રાવણની વિચાર ધારા રાખે છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે કે અલ્પેશ ઠાકોર પહેલા જયારે કોંગ્રેસમાં હતા ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપ વિશે કેવા પ્રહારો કરતા હતા તે જોઈ લો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.