શક્તિસિંહ ગોહિલે કહ્યું, 'રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ભાજપની પોલિટિકલ ઇવેન્ટ', અલ્પેશ ઠાકોરની કાઢી ઝાટકણી


  • Published By :
  • Published Date : 2024-01-11 23:06:05

રામ મંદિરને લઈને રાજકારણ ગરમાયુ છે. રામ મંદિરના પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવના આમંત્રણને લઈને ભાજપ અને કોંગ્રેસ અમને સામને આવી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને ભાજપની ઈવેન્ટ ગણાવીને કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil)  આજે મીડિયાને આ અંગે પ્રતિક્રિયા આપીને પોતાની વાત સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યુ છે કે, મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી ત્યારે કોઇ રાજકીય ફાયદા માટે ભાજપ કાર્યક્રમ કરે છે. તેનો હિસ્સો ના થઈ શકાય. તેમણે કહ્યું કે અમે પુરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું. સાથે સાથે જ શક્તિસિંહ ગોહિલે એવું પણ કહ્યું હતું કે ભાજપ ઇવેન્ટ કરી રહી છે અને આ ઇવેન્ટના ભાગીદાર અમે બનવા નથી માંગતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ભાજપ ચૂંટણી આવી રહી છે એટલે રામને વટાવે છે. આ પ્રસંગે તેમણે ભાજપના નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પણ ઝાટકણી કાઢી હતી.


શું કહ્યું શક્તિસિંહ ગોહિલે?


શક્તિસિંહ ગોહિલે આજે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં કોઈપણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્ર મુજબ, આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજનો હોય છે. શંકરાચાર્યજી મહારાજ જ્યારે એવું કહેતા હોય કે જે મંદિરનું કામ હજુ પૂર્ણ નથી થયું તેની પ્રતિષ્ઠા ન કરી શકાય. હું પોતે એક હિન્દુ છું. મારા માટે સર્વોત્તમ શબ્દોએ શંકરાચાર્યજી મહારાજના જ છે. જ્યારે શંકરાચાર્યજી મહારાજ આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રામના નામે મત લેવા માટે પોલિટિકલ ઈવેન્ટ કરે છે.


અલ્પેશ ઠાકોરના પર બગડ્યા શક્તિસિંહ 


ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ રાવણની વિચાર ધારા રાખે છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે કે અલ્પેશ ઠાકોર પહેલા જયારે કોંગ્રેસમાં હતા ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપ વિશે કેવા પ્રહારો કરતા હતા તે જોઈ લો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.