Heart Attack અને Corona Vaccine મુદ્દે બોલ્યા Shaktisinh Gohil, શા માટે તેમણે કહ્યું કે કોરોનાની કઈ વેક્સિન લીધી છે તેની તપાસ થવી જોઈએ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-24 15:14:22

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. દરરોજ હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે હાહાકાર મચ્યો હતો. લાખો લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે કોરોનામાં. ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. મોટી ઉંમરના લોકો નહીં પરંતુ યુવાનોનેકાળ ભરખી રહ્યો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે  ચિંતા વધી છે. યુવાનો તો ભોગ બની રહ્યા છે પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે. ત્યારે છેલ્લા 12 કલાકમાં ચાર લોકોના મોત હાર્ટ એટેકના કારણે થયા છે.  

શક્તિસિંહ ગોહીલે કોરોના વેક્સિનને લઈ કહી આ વાત

થોડા સમય પહેલા યુવાનોમાં વધતા હાર્ટ એટેકને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરી હતી યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા એવી વાતો થઈ રહી હતી કે કોરોના વેક્સિનને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. યુવાનોમાં હાર્ટ એટેક કોરોના વેક્સિનને કારણે આવી રહ્યો છે તેવી વાતો ચર્ચામાં હતી. ત્યારે હવે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વિશે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વાત કરી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ તેમણે નિવેદન આપ્યું કે સરકારે સર્વે અને નિષ્ણાતોની ટીમ દ્વારા સત્વરે કારણ જાણવું જોઈએ. કોરોનાની કઈ વેક્સિન લીધી હતી? તેની પણ તપાસ જરૂરી છે. યોગ્ય કારણ  શોધી આગોતરી દવાઓ અને તપાસ માટે વ્યવસ્થા થવી જોઈએ જેથી કોઈએ જીવ ગુમાવવાનો વારો ન આવે. 


પૂર્વ મુખ્યમંત્રીએ પણ હાર્ટ એટેકને લઈ વ્યક્ત કરી હતી ચિંતા 

હાર્ટ એટેકના વધતા કેસ અંગે ચિંતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ કરી હતી. હાર્ટએટેકથી મૃત્યુનાં તમામ કેસનું પરીક્ષણ થવું જોઈએ. હાર્ટએટેકમાં મહિલા અને પુરૂષ કેટલા તેનો પણ સર્વે કરાવવો જોઈએ તેવું સુચન પણ તેમણે કર્યું હતું. તેમણે કહ્યું કે, “દેશમાં અનેક લોકોના મોત હાર્ટ અટેકથી થઈ રહ્યા છે, નવરાત્રિમાં કેટલાક લોકોના મોત હાર્ટ અટેકથી થયા,આ સમગ્ર બાબતનું એનાલીસીસ થવું જરૂરી છે. ગરબા રમતા સમયે હાર્ટ અટેકથી મોતની ઘટના વધી છે. કેમ હાર્ટ અટેકના કેસ વધ્યા તેનું એનાલીસીસ જરૂરી છે. કોરોનાના કારણે હાર્ટ અટેકના કેસ વધ્યા તે વાત ખોટી છે. 'એક વર્ષમાં કેટલા યુવાનોનું હાર્ટ અટેકથી મોત થયું તેનું એનાલીસીસ થાય તે પણ જરૂરી છે'. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થયા છે. 

Image



ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.