Heart Attack અને Corona Vaccine મુદ્દે બોલ્યા Shaktisinh Gohil, શા માટે તેમણે કહ્યું કે કોરોનાની કઈ વેક્સિન લીધી છે તેની તપાસ થવી જોઈએ?


  • Published By :
  • Published Date : 2023-10-24 15:14:22

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. દરરોજ હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે હાહાકાર મચ્યો હતો. લાખો લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે કોરોનામાં. ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. મોટી ઉંમરના લોકો નહીં પરંતુ યુવાનોનેકાળ ભરખી રહ્યો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે  ચિંતા વધી છે. યુવાનો તો ભોગ બની રહ્યા છે પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે. ત્યારે છેલ્લા 12 કલાકમાં ચાર લોકોના મોત હાર્ટ એટેકના કારણે થયા છે.  

શક્તિસિંહ ગોહીલે કોરોના વેક્સિનને લઈ કહી આ વાત

થોડા સમય પહેલા યુવાનોમાં વધતા હાર્ટ એટેકને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરી હતી યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા એવી વાતો થઈ રહી હતી કે કોરોના વેક્સિનને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. યુવાનોમાં હાર્ટ એટેક કોરોના વેક્સિનને કારણે આવી રહ્યો છે તેવી વાતો ચર્ચામાં હતી. ત્યારે હવે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વિશે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વાત કરી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ તેમણે નિવેદન આપ્યું કે સરકારે સર્વે અને નિષ્ણાતોની ટીમ દ્વારા સત્વરે કારણ જાણવું જોઈએ. કોરોનાની કઈ વેક્સિન લીધી હતી? તેની પણ તપાસ જરૂરી છે. યોગ્ય કારણ  શોધી આગોતરી દવાઓ અને તપાસ માટે વ્યવસ્થા થવી જોઈએ જેથી કોઈએ જીવ ગુમાવવાનો વારો ન આવે. 


પૂર્વ મુખ્યમંત્રીએ પણ હાર્ટ એટેકને લઈ વ્યક્ત કરી હતી ચિંતા 

હાર્ટ એટેકના વધતા કેસ અંગે ચિંતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ કરી હતી. હાર્ટએટેકથી મૃત્યુનાં તમામ કેસનું પરીક્ષણ થવું જોઈએ. હાર્ટએટેકમાં મહિલા અને પુરૂષ કેટલા તેનો પણ સર્વે કરાવવો જોઈએ તેવું સુચન પણ તેમણે કર્યું હતું. તેમણે કહ્યું કે, “દેશમાં અનેક લોકોના મોત હાર્ટ અટેકથી થઈ રહ્યા છે, નવરાત્રિમાં કેટલાક લોકોના મોત હાર્ટ અટેકથી થયા,આ સમગ્ર બાબતનું એનાલીસીસ થવું જરૂરી છે. ગરબા રમતા સમયે હાર્ટ અટેકથી મોતની ઘટના વધી છે. કેમ હાર્ટ અટેકના કેસ વધ્યા તેનું એનાલીસીસ જરૂરી છે. કોરોનાના કારણે હાર્ટ અટેકના કેસ વધ્યા તે વાત ખોટી છે. 'એક વર્ષમાં કેટલા યુવાનોનું હાર્ટ અટેકથી મોત થયું તેનું એનાલીસીસ થાય તે પણ જરૂરી છે'. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થયા છે. 

Image



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.