Heart Attack અને Corona Vaccine મુદ્દે બોલ્યા Shaktisinh Gohil, શા માટે તેમણે કહ્યું કે કોરોનાની કઈ વેક્સિન લીધી છે તેની તપાસ થવી જોઈએ?


  • Published By :
  • Published Date : 2023-10-24 15:14:22

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. દરરોજ હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે હાહાકાર મચ્યો હતો. લાખો લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે કોરોનામાં. ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. મોટી ઉંમરના લોકો નહીં પરંતુ યુવાનોનેકાળ ભરખી રહ્યો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે  ચિંતા વધી છે. યુવાનો તો ભોગ બની રહ્યા છે પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે. ત્યારે છેલ્લા 12 કલાકમાં ચાર લોકોના મોત હાર્ટ એટેકના કારણે થયા છે.  

શક્તિસિંહ ગોહીલે કોરોના વેક્સિનને લઈ કહી આ વાત

થોડા સમય પહેલા યુવાનોમાં વધતા હાર્ટ એટેકને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરી હતી યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા એવી વાતો થઈ રહી હતી કે કોરોના વેક્સિનને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. યુવાનોમાં હાર્ટ એટેક કોરોના વેક્સિનને કારણે આવી રહ્યો છે તેવી વાતો ચર્ચામાં હતી. ત્યારે હવે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વિશે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વાત કરી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ તેમણે નિવેદન આપ્યું કે સરકારે સર્વે અને નિષ્ણાતોની ટીમ દ્વારા સત્વરે કારણ જાણવું જોઈએ. કોરોનાની કઈ વેક્સિન લીધી હતી? તેની પણ તપાસ જરૂરી છે. યોગ્ય કારણ  શોધી આગોતરી દવાઓ અને તપાસ માટે વ્યવસ્થા થવી જોઈએ જેથી કોઈએ જીવ ગુમાવવાનો વારો ન આવે. 


પૂર્વ મુખ્યમંત્રીએ પણ હાર્ટ એટેકને લઈ વ્યક્ત કરી હતી ચિંતા 

હાર્ટ એટેકના વધતા કેસ અંગે ચિંતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ કરી હતી. હાર્ટએટેકથી મૃત્યુનાં તમામ કેસનું પરીક્ષણ થવું જોઈએ. હાર્ટએટેકમાં મહિલા અને પુરૂષ કેટલા તેનો પણ સર્વે કરાવવો જોઈએ તેવું સુચન પણ તેમણે કર્યું હતું. તેમણે કહ્યું કે, “દેશમાં અનેક લોકોના મોત હાર્ટ અટેકથી થઈ રહ્યા છે, નવરાત્રિમાં કેટલાક લોકોના મોત હાર્ટ અટેકથી થયા,આ સમગ્ર બાબતનું એનાલીસીસ થવું જરૂરી છે. ગરબા રમતા સમયે હાર્ટ અટેકથી મોતની ઘટના વધી છે. કેમ હાર્ટ અટેકના કેસ વધ્યા તેનું એનાલીસીસ જરૂરી છે. કોરોનાના કારણે હાર્ટ અટેકના કેસ વધ્યા તે વાત ખોટી છે. 'એક વર્ષમાં કેટલા યુવાનોનું હાર્ટ અટેકથી મોત થયું તેનું એનાલીસીસ થાય તે પણ જરૂરી છે'. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થયા છે. 

Image



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.