Heart Attack અને Corona Vaccine મુદ્દે બોલ્યા Shaktisinh Gohil, શા માટે તેમણે કહ્યું કે કોરોનાની કઈ વેક્સિન લીધી છે તેની તપાસ થવી જોઈએ?


  • Published By :
  • Published Date : 2023-10-24 15:14:22

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. દરરોજ હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે હાહાકાર મચ્યો હતો. લાખો લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે કોરોનામાં. ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. મોટી ઉંમરના લોકો નહીં પરંતુ યુવાનોનેકાળ ભરખી રહ્યો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે  ચિંતા વધી છે. યુવાનો તો ભોગ બની રહ્યા છે પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે. ત્યારે છેલ્લા 12 કલાકમાં ચાર લોકોના મોત હાર્ટ એટેકના કારણે થયા છે.  

શક્તિસિંહ ગોહીલે કોરોના વેક્સિનને લઈ કહી આ વાત

થોડા સમય પહેલા યુવાનોમાં વધતા હાર્ટ એટેકને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરી હતી યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા એવી વાતો થઈ રહી હતી કે કોરોના વેક્સિનને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. યુવાનોમાં હાર્ટ એટેક કોરોના વેક્સિનને કારણે આવી રહ્યો છે તેવી વાતો ચર્ચામાં હતી. ત્યારે હવે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વિશે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વાત કરી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ તેમણે નિવેદન આપ્યું કે સરકારે સર્વે અને નિષ્ણાતોની ટીમ દ્વારા સત્વરે કારણ જાણવું જોઈએ. કોરોનાની કઈ વેક્સિન લીધી હતી? તેની પણ તપાસ જરૂરી છે. યોગ્ય કારણ  શોધી આગોતરી દવાઓ અને તપાસ માટે વ્યવસ્થા થવી જોઈએ જેથી કોઈએ જીવ ગુમાવવાનો વારો ન આવે. 


પૂર્વ મુખ્યમંત્રીએ પણ હાર્ટ એટેકને લઈ વ્યક્ત કરી હતી ચિંતા 

હાર્ટ એટેકના વધતા કેસ અંગે ચિંતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ કરી હતી. હાર્ટએટેકથી મૃત્યુનાં તમામ કેસનું પરીક્ષણ થવું જોઈએ. હાર્ટએટેકમાં મહિલા અને પુરૂષ કેટલા તેનો પણ સર્વે કરાવવો જોઈએ તેવું સુચન પણ તેમણે કર્યું હતું. તેમણે કહ્યું કે, “દેશમાં અનેક લોકોના મોત હાર્ટ અટેકથી થઈ રહ્યા છે, નવરાત્રિમાં કેટલાક લોકોના મોત હાર્ટ અટેકથી થયા,આ સમગ્ર બાબતનું એનાલીસીસ થવું જરૂરી છે. ગરબા રમતા સમયે હાર્ટ અટેકથી મોતની ઘટના વધી છે. કેમ હાર્ટ અટેકના કેસ વધ્યા તેનું એનાલીસીસ જરૂરી છે. કોરોનાના કારણે હાર્ટ અટેકના કેસ વધ્યા તે વાત ખોટી છે. 'એક વર્ષમાં કેટલા યુવાનોનું હાર્ટ અટેકથી મોત થયું તેનું એનાલીસીસ થાય તે પણ જરૂરી છે'. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થયા છે. 

Image



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .