પાટીદાર વિરોધી ભાજપ સરકાર શરમ કરો શરમ કરો - આ મુદ્દા પર સરકારને AAPએ ઘેરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:57:18

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ મતદારોને રિઝવવા દરેક રાજકીય પાર્ટી મેદાનમાં ઉતરી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી સત્તા પર આવવા માટે પ્રયત્ન કરી રહી છે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના જૂના વિડીયો જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેમણે વડાપ્રધાન મોદીને અપશબ્દ કહ્યા હતા. જે બાદ વિડીયો પર સ્પષ્ટીકરણ આપતા તેમણે કહ્યું કે હું પટેલ છું એટલા માટે મને હેરાન કરવામાં આવે છે. ત્યારે સુરત ખાતે મનોજ સોરઠિયાની હાજરીમાં તિરંગા યાત્રા કાઠવામાં આવી હતી. જેમાં તેમણે ગોપાલ ઈટાલિયાને સાથ અને સમર્થન આપ્યું હતું. 

ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં નિકળી તિરંગા યાત્રા 

ગોપાલ ઈટાલિયાનો વિડીયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત આરોપ પ્રતિઆરોપો ચાલતા રહે છે. આ વિડીયો વાયરલ થયા બાદ ગોપાલ ઈટાલિયા વિરૂદ્ધ ફરિયાદ પણ કરવામાં  આવી હતી. આમ આદમી પાર્ટી સતત ગોપાલ ઈટાલિયાના સમર્થન આવી રહ્યું છે. સુરત ખાતે મનોજ સોરઠિયાની હાજરીમાં તિરંગા યાત્રા કાઠવામાં આવી હતી. જેમાં તેમણે ગોપાલ ઈટાલિયાને સાથ અને સમર્થન આપ્યું હતું.

સુરત ખાતે નિકળેલી આ તિરંગા યાત્રામાં ભાજપને પાટીદાર વિરોધી સરકાર ગણાવી હતી. આપ દ્વારા અનેક વખત ભાજપ પાટીદાર વિરોધી છે તેમ દર્શાવવામાં આવ્યું છે. ઈસુદાન ગઢવીએ પણ અનેક વખત આવી વાત કરી છે. એક તરફ અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી દર્શાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આપ ભાજપને પાટીદાર વિરોધી દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 

ચૂંટણી નજીક આવતા નેતાઓના જૂના વિડીયો થઈ રહ્યા છે વાયરલ

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના જૂના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એક બાદ એક નેતાઓના વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાતું રહે છે. આ વખતે પહેલી વખત ગુજરાતમાં આપની એન્ટ્રી થઈ છે. આપની એન્ટ્રી થતા ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. ગોપાલ ઈટાલિયા અથવા તો કોઈ પણ નેતાઓના જૂના વિડીયો બહાર આવે તો નવાઈ નહીં.     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.