પાટીદાર વિરોધી ભાજપ સરકાર શરમ કરો શરમ કરો - આ મુદ્દા પર સરકારને AAPએ ઘેરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:57:18

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ મતદારોને રિઝવવા દરેક રાજકીય પાર્ટી મેદાનમાં ઉતરી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી સત્તા પર આવવા માટે પ્રયત્ન કરી રહી છે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના જૂના વિડીયો જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેમણે વડાપ્રધાન મોદીને અપશબ્દ કહ્યા હતા. જે બાદ વિડીયો પર સ્પષ્ટીકરણ આપતા તેમણે કહ્યું કે હું પટેલ છું એટલા માટે મને હેરાન કરવામાં આવે છે. ત્યારે સુરત ખાતે મનોજ સોરઠિયાની હાજરીમાં તિરંગા યાત્રા કાઠવામાં આવી હતી. જેમાં તેમણે ગોપાલ ઈટાલિયાને સાથ અને સમર્થન આપ્યું હતું. 

ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં નિકળી તિરંગા યાત્રા 

ગોપાલ ઈટાલિયાનો વિડીયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત આરોપ પ્રતિઆરોપો ચાલતા રહે છે. આ વિડીયો વાયરલ થયા બાદ ગોપાલ ઈટાલિયા વિરૂદ્ધ ફરિયાદ પણ કરવામાં  આવી હતી. આમ આદમી પાર્ટી સતત ગોપાલ ઈટાલિયાના સમર્થન આવી રહ્યું છે. સુરત ખાતે મનોજ સોરઠિયાની હાજરીમાં તિરંગા યાત્રા કાઠવામાં આવી હતી. જેમાં તેમણે ગોપાલ ઈટાલિયાને સાથ અને સમર્થન આપ્યું હતું.

સુરત ખાતે નિકળેલી આ તિરંગા યાત્રામાં ભાજપને પાટીદાર વિરોધી સરકાર ગણાવી હતી. આપ દ્વારા અનેક વખત ભાજપ પાટીદાર વિરોધી છે તેમ દર્શાવવામાં આવ્યું છે. ઈસુદાન ગઢવીએ પણ અનેક વખત આવી વાત કરી છે. એક તરફ અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી દર્શાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આપ ભાજપને પાટીદાર વિરોધી દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 

ચૂંટણી નજીક આવતા નેતાઓના જૂના વિડીયો થઈ રહ્યા છે વાયરલ

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના જૂના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એક બાદ એક નેતાઓના વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાતું રહે છે. આ વખતે પહેલી વખત ગુજરાતમાં આપની એન્ટ્રી થઈ છે. આપની એન્ટ્રી થતા ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. ગોપાલ ઈટાલિયા અથવા તો કોઈ પણ નેતાઓના જૂના વિડીયો બહાર આવે તો નવાઈ નહીં.     




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"