પાટીદાર વિરોધી ભાજપ સરકાર શરમ કરો શરમ કરો - આ મુદ્દા પર સરકારને AAPએ ઘેરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:57:18

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ મતદારોને રિઝવવા દરેક રાજકીય પાર્ટી મેદાનમાં ઉતરી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી સત્તા પર આવવા માટે પ્રયત્ન કરી રહી છે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના જૂના વિડીયો જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેમણે વડાપ્રધાન મોદીને અપશબ્દ કહ્યા હતા. જે બાદ વિડીયો પર સ્પષ્ટીકરણ આપતા તેમણે કહ્યું કે હું પટેલ છું એટલા માટે મને હેરાન કરવામાં આવે છે. ત્યારે સુરત ખાતે મનોજ સોરઠિયાની હાજરીમાં તિરંગા યાત્રા કાઠવામાં આવી હતી. જેમાં તેમણે ગોપાલ ઈટાલિયાને સાથ અને સમર્થન આપ્યું હતું. 

ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં નિકળી તિરંગા યાત્રા 

ગોપાલ ઈટાલિયાનો વિડીયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત આરોપ પ્રતિઆરોપો ચાલતા રહે છે. આ વિડીયો વાયરલ થયા બાદ ગોપાલ ઈટાલિયા વિરૂદ્ધ ફરિયાદ પણ કરવામાં  આવી હતી. આમ આદમી પાર્ટી સતત ગોપાલ ઈટાલિયાના સમર્થન આવી રહ્યું છે. સુરત ખાતે મનોજ સોરઠિયાની હાજરીમાં તિરંગા યાત્રા કાઠવામાં આવી હતી. જેમાં તેમણે ગોપાલ ઈટાલિયાને સાથ અને સમર્થન આપ્યું હતું.

સુરત ખાતે નિકળેલી આ તિરંગા યાત્રામાં ભાજપને પાટીદાર વિરોધી સરકાર ગણાવી હતી. આપ દ્વારા અનેક વખત ભાજપ પાટીદાર વિરોધી છે તેમ દર્શાવવામાં આવ્યું છે. ઈસુદાન ગઢવીએ પણ અનેક વખત આવી વાત કરી છે. એક તરફ અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી દર્શાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આપ ભાજપને પાટીદાર વિરોધી દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 

ચૂંટણી નજીક આવતા નેતાઓના જૂના વિડીયો થઈ રહ્યા છે વાયરલ

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના જૂના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એક બાદ એક નેતાઓના વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાતું રહે છે. આ વખતે પહેલી વખત ગુજરાતમાં આપની એન્ટ્રી થઈ છે. આપની એન્ટ્રી થતા ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. ગોપાલ ઈટાલિયા અથવા તો કોઈ પણ નેતાઓના જૂના વિડીયો બહાર આવે તો નવાઈ નહીં.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે