'શરમ કરો...' શહીદ કેપ્ટનની વિલાપ કરતી માતા સાથે ફોટો પડાવતા મંત્રી પર વિપક્ષ લાલઘુમ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-11-24 19:49:01

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શહીદ થયેલા કેપ્ટન શુભમ ગુપ્તાનો પરિવાર શોકમાં ગરકાવ છે. આગ્રામાં રહેતા શહીદના માતા-પિતાને ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા પરિવારને 50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય 25-25 લાખ રૂપિયાના બે ચેક લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન કેપ્ટન શુભમની માતા ખૂબ વિલાપ કરવા લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે વિપક્ષના નેતાઓ યુપીના કેબિનેટ મંત્રીઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.



ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય આગ્રામાં શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના ઘરે પહોંચ્યા હતા. મંત્રીએ રાજ્ય સરકારના વડા યોગી આદિત્યનાથ વતી શહીદના માતા-પિતાને 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. શહીદની વૃદ્ધ માતાને તેમના ઘરના દરવાજે મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, તેઓ ઉદાસ વાતાવરણમાં ડૂબી ગયા હતા. આ દરમિયાન મંત્રીની સાથે ફોટોગ્રાફરો પણ પહોંચી ગયા હતા. આ જોઈને શહીદ શુભમ ગુપ્તાની માતા ભાંગી પડી હતી. તેમણે રડતા સ્વરે કહેવાનું શરૂ કર્યું કે આ તમાશો બંધ કરો, પુત્રની શહાદતથી ભાંગી પડેલી માતા લગભગ હોશ ગુમાવી ચૂકી હતી અને વારંવાર પુત્રને પાછો આપવાનું કહીં રહી હતી, આ સાંભળીને બધા નિ:શબ્દ બની ગયા હતા. જો કે આવી હ્રદયદ્રાવક પરિસ્થિતીમાં પણ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારના કેબિનેટ મંત્રી ફોટો પડાવવામાં વ્યસ્ત હતા.


રાજૌરીમાં શહીદ થયા હતા જવાનો


જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગત બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે અધિકારી અને બે જવાન શહીદ થયા હતા. શહીદ થયેલા જવાનોમાં આગ્રાના કેપ્ટન શુભમ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. સેનાને રાજૌરીમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાં 2 આતંકીઓ હતા. સર્ચ ઓપરેશન દરમિયાન ધર્મસાલના બાજીમલ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. ગોળીબારમાં બે અધિકારીઓ અને બે જવાન શહીદ થયા હતા. સર્ચ ઓપરેશનમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોની સાથે પેરાટ્રૂપર્સ પણ જોડાયા હતા, પરંતુ આતંકીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો. સેનાના જવાનો નજીક પહોંચતા જ આતંકીઓએ તાત્કાલિક ફાયરિંગ શરૂ કરી દીધું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.