શંકર ચૌધરીના પિતા લગધીરબાપાનું 102 વર્ષની વયે નિધન, પંથકમાં શોકની લાગણી, અંતિમયાત્રામાં જોડાયા હજારો લોકો


  • Published By :
  • Published Date : 2023-11-26 21:33:46

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના પિતાનું નિધન થયું છે. પૂજ્ય લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજરોજ તેમની અંતિમયાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને તેમના પુત્ર શંકરભાઈ ચૌધરી, તેમના પરિવારજનો, ધારાસભ્યો, સામાજિક અને સહકારી આગેવાનો અને આ પંથકના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભૂદાન યજ્ઞના પ્રણેતા પૂજ્ય રવિશંકર મહારાજ સાથે મળીને તેમણે કામ કર્યું હતું. દુષ્કાળના સમયમાં આ પંથકમાં બોરવેલ બનાવડાવી લોકોને પીવાના પાણીની સગવડ કરી આપી હતી. 


સંત સમાગમમાં રહેતા


પૂજ્ય લગધીર બાપાએ સમગ્ર જીવન સેવાકીય પ્રવૃત્તિમાં વ્યતિત કર્યું હતું. તેમનું ઘર આ પંથકમાં આવતા સાધુ સંતોના ઉતારાનું સ્થાન રહેતું હતું.પૂજ્ય લગધીર બાપાનો પંથકના સંતો અને મહંતો સાથે સહવાસ રહેતો હતો. પૂજ્ય દત્તશરણાનંદજી, પૂજ્ય સદારામ બાપાજી, ઉજ્જનવાડા મંદિરના મહંતશ્રી, સણાદર મંદિરના પૂજ્ય ક્રિષ્નાનંદજી જેવા સંતો થી આધ્યાત્મિકતા નો નાતો ધરાવતા હતા.


10 વીઘા જમીન કરી હતી દાન


પૂજ્ય લગધીર બાપા આ પંથકના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે પોતાના ઘરમાં જ પ્રાથમિક શાળા તેમણે શરૂ કરાવી હતી. જીવન દરમિયાન પોતાની ભક્તિ અને શક્તિ મુજબ ગરીબોને જરૂરિયાત મુજબ મદદ કરી હતી. તેઓ આજીવન ગૌવ્રતિ હતા. સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી જ તેઓ ભોજન લેતા હતા. પરંતુ જ્યારે ચોમાસામાં વાદળોના કારણે સૂર્યદેવના દર્શન ન થાય તો એ બે ત્રણ દિવસ સુધી ભોજન લેતા ન હતા. પંખીઓને ચણ તથા કીડિયારુ પૂરવાનો તેમનો નિત્યક્રમ આજીવન રહ્યો. પૂજ્ય લગધીર બાપાએપોતાની ખેતીની 10 વીઘા જેટલી જમીન તેમણે વાદીઓને વસાહત માટે એન.એ કરાવી દાનમાં આપી. જેમાં આજે 250 થી વધારે વાદી પરિવારો આજે નિવાસ કરે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.