શંકર ચૌધરીના પિતા લગધીરબાપાનું 102 વર્ષની વયે નિધન, પંથકમાં શોકની લાગણી, અંતિમયાત્રામાં જોડાયા હજારો લોકો


  • Published By :
  • Published Date : 2023-11-26 21:33:46

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના પિતાનું નિધન થયું છે. પૂજ્ય લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજરોજ તેમની અંતિમયાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને તેમના પુત્ર શંકરભાઈ ચૌધરી, તેમના પરિવારજનો, ધારાસભ્યો, સામાજિક અને સહકારી આગેવાનો અને આ પંથકના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભૂદાન યજ્ઞના પ્રણેતા પૂજ્ય રવિશંકર મહારાજ સાથે મળીને તેમણે કામ કર્યું હતું. દુષ્કાળના સમયમાં આ પંથકમાં બોરવેલ બનાવડાવી લોકોને પીવાના પાણીની સગવડ કરી આપી હતી. 


સંત સમાગમમાં રહેતા


પૂજ્ય લગધીર બાપાએ સમગ્ર જીવન સેવાકીય પ્રવૃત્તિમાં વ્યતિત કર્યું હતું. તેમનું ઘર આ પંથકમાં આવતા સાધુ સંતોના ઉતારાનું સ્થાન રહેતું હતું.પૂજ્ય લગધીર બાપાનો પંથકના સંતો અને મહંતો સાથે સહવાસ રહેતો હતો. પૂજ્ય દત્તશરણાનંદજી, પૂજ્ય સદારામ બાપાજી, ઉજ્જનવાડા મંદિરના મહંતશ્રી, સણાદર મંદિરના પૂજ્ય ક્રિષ્નાનંદજી જેવા સંતો થી આધ્યાત્મિકતા નો નાતો ધરાવતા હતા.


10 વીઘા જમીન કરી હતી દાન


પૂજ્ય લગધીર બાપા આ પંથકના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે પોતાના ઘરમાં જ પ્રાથમિક શાળા તેમણે શરૂ કરાવી હતી. જીવન દરમિયાન પોતાની ભક્તિ અને શક્તિ મુજબ ગરીબોને જરૂરિયાત મુજબ મદદ કરી હતી. તેઓ આજીવન ગૌવ્રતિ હતા. સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી જ તેઓ ભોજન લેતા હતા. પરંતુ જ્યારે ચોમાસામાં વાદળોના કારણે સૂર્યદેવના દર્શન ન થાય તો એ બે ત્રણ દિવસ સુધી ભોજન લેતા ન હતા. પંખીઓને ચણ તથા કીડિયારુ પૂરવાનો તેમનો નિત્યક્રમ આજીવન રહ્યો. પૂજ્ય લગધીર બાપાએપોતાની ખેતીની 10 વીઘા જેટલી જમીન તેમણે વાદીઓને વસાહત માટે એન.એ કરાવી દાનમાં આપી. જેમાં આજે 250 થી વધારે વાદી પરિવારો આજે નિવાસ કરે છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.