મહેસાણા કોર્ટનું શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સમન્સ, બંને નેતા કાલે કરશે ચોંકાવનારા ખુલાસા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 14:39:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ રાજકીય પક્ષો તેમની ચૂંટણી રણનિતી તૈયાર કરવામાં લાગ્યા છે. કોંગ્રેસે  પણ ચૂંટણી જીતવા માટે તેની તમામ સંગઠન શક્તિ કામે લગાડી દીધી છે. જો કે આ દરમિયાન શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને પણ મહેસાણા કોર્ટે સમન્સ પાઠવ્યું છે તેથી કોંગ્રેસ બચાવની સ્થિતીમાં આવી ગઈ છે. 


કાલે  શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા સંબોધશે પત્રકાર પરિષદ


દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 800 કરોડ  રૂપિયાના કૌંભાંડનો આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ વિપુલ ચૌધરીના દૂધ સાગર દાણ કેસ મામલે હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને મહેસાણા કોર્ટે સમન્સ પાઠવ્યું છે અને સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. વિપુલ ચૌધરીના કેસમાં અર્જૂન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા આવતી કાલે મહત્વના ખુલાસા કરશે. અર્જૂન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સાથે જોવા મળશે અને પોતાનું વલણ સ્પષ્ટ કરશે. કોંગ્રેસ પણ સરકાર સામેની તેની આગામી રણનિતી જાહેર કરશે તેવું મનાય છે.



NDDBના ચેરમેન બનાવવા વાઘેલા અને મોઢવાડીયાએ લખ્યો હતો ભલામણ પત્ર 


વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા માટે શંકરસિંહ વાઘેલા અને તે સમયના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસની ઉચ્ચ નેતાગીરીને અને કૃષિમંત્રી શરદ પવારને ભલામણ પત્ર લખ્યા હતા. આ સમયગાળામાં જ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલાયું હતું. આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલ વિજય બરોટે અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખતા 6 ઓક્ટોબરના રોજ બંનેએ હાજર રહેવું પડશે. 










ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે