મહેસાણા કોર્ટનું શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સમન્સ, બંને નેતા કાલે કરશે ચોંકાવનારા ખુલાસા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 14:39:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ રાજકીય પક્ષો તેમની ચૂંટણી રણનિતી તૈયાર કરવામાં લાગ્યા છે. કોંગ્રેસે  પણ ચૂંટણી જીતવા માટે તેની તમામ સંગઠન શક્તિ કામે લગાડી દીધી છે. જો કે આ દરમિયાન શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને પણ મહેસાણા કોર્ટે સમન્સ પાઠવ્યું છે તેથી કોંગ્રેસ બચાવની સ્થિતીમાં આવી ગઈ છે. 


કાલે  શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા સંબોધશે પત્રકાર પરિષદ


દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 800 કરોડ  રૂપિયાના કૌંભાંડનો આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ વિપુલ ચૌધરીના દૂધ સાગર દાણ કેસ મામલે હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને મહેસાણા કોર્ટે સમન્સ પાઠવ્યું છે અને સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. વિપુલ ચૌધરીના કેસમાં અર્જૂન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા આવતી કાલે મહત્વના ખુલાસા કરશે. અર્જૂન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સાથે જોવા મળશે અને પોતાનું વલણ સ્પષ્ટ કરશે. કોંગ્રેસ પણ સરકાર સામેની તેની આગામી રણનિતી જાહેર કરશે તેવું મનાય છે.



NDDBના ચેરમેન બનાવવા વાઘેલા અને મોઢવાડીયાએ લખ્યો હતો ભલામણ પત્ર 


વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા માટે શંકરસિંહ વાઘેલા અને તે સમયના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસની ઉચ્ચ નેતાગીરીને અને કૃષિમંત્રી શરદ પવારને ભલામણ પત્ર લખ્યા હતા. આ સમયગાળામાં જ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલાયું હતું. આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલ વિજય બરોટે અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખતા 6 ઓક્ટોબરના રોજ બંનેએ હાજર રહેવું પડશે. 










થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .