શંકરસિંહ વાઘેલાએ લખનઉમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત, કાંઈક નવાજુનીના એંધાણ


  • Published By :
  • Published Date : 2023-06-29 16:08:56

દેશના તમામ નાના-મોટા પક્ષો આગામી લોકસભાની તૈયારીઓમાં લાગી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ગઠબંધન અને સીટોની વહેંચણી માટે વિવિધ રાજ્યોના અગ્રણી નેતાઓ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સક્રિય થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકીય નિવૃતી માણી રહેલા શંકર સિંહ વાઘેલાએ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં રાજ્યના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાજ્યના વર્તમાન ગવર્નર આનંદી બહેન પટેલ સાથે મુલાકાત કરી હતી. જો કે અખિલેશ યાદવ સાથેની બાપુની આ મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. ગુજરાતના આ કદાવર ક્ષત્રીય નેતા આગામી દિવસોમાં શું નવાજુની કરે છે તેના પર સૌની નજર છે.


અખિલેશ યાદવ સાથે મિટિંગ અંગે શું કહ્યું?


પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે બુધવારે મુલાકાત કરી હતી. જો કે અખિવેશ યાદવ સાથેની તેમની મુલાકાતને બાપુએ એક શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. તેમની મુલાકાત અંગે શંકરસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, હું અહીં શુભેચ્છા મુલાકાત માટે આવ્યો હતો, જો કાંઈ રાજકીય બાબત હશે તો જાણકારી જાહેર કરવામાં આવશે. સમાન નાગરિક સંહિતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીને લઈને વાઘેલાએ કહ્યું હતું કે, આ તેમની માર્કેટિંગની રીત છે બીજું કશું જ નથી. આ મુલાકાત પછી તેમણે એક સોશિયલ મીડિયા પૉસ્ટ શેર કરી હતી, જેમાં તેઓએ વિપક્ષી એકતા માટે કામ કરી રહ્યા હોવાની વાત કહી છે. આ પૉસ્ટની સાથે જ બાપુએ પોતે રાજનીતિમાં સક્રિય થયા હોવાની જાણે પરોક્ષ જાહેરાત કરી છે.


આનંદીબેન પટેલ સાથે કરી મુલાકાત 


શંકરસિંહ વાઘેલાએ તેમના લખનઉ પ્રવાસના ભાગરૂપે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે બુધવારે મુલાકાત કરી હતી. તે જ પ્રકારે બાપુએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. ગુજરાતના આ બંને પૂર્વ મુખ્યમંત્રીઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે જાણી શકાયું નથી. જો કે બાપુએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.