શંકરસિંહ વાઘેલાએ લખનઉમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત, કાંઈક નવાજુનીના એંધાણ


  • Published By :
  • Published Date : 2023-06-29 16:08:56

દેશના તમામ નાના-મોટા પક્ષો આગામી લોકસભાની તૈયારીઓમાં લાગી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ગઠબંધન અને સીટોની વહેંચણી માટે વિવિધ રાજ્યોના અગ્રણી નેતાઓ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સક્રિય થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકીય નિવૃતી માણી રહેલા શંકર સિંહ વાઘેલાએ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં રાજ્યના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાજ્યના વર્તમાન ગવર્નર આનંદી બહેન પટેલ સાથે મુલાકાત કરી હતી. જો કે અખિલેશ યાદવ સાથેની બાપુની આ મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. ગુજરાતના આ કદાવર ક્ષત્રીય નેતા આગામી દિવસોમાં શું નવાજુની કરે છે તેના પર સૌની નજર છે.


અખિલેશ યાદવ સાથે મિટિંગ અંગે શું કહ્યું?


પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે બુધવારે મુલાકાત કરી હતી. જો કે અખિવેશ યાદવ સાથેની તેમની મુલાકાતને બાપુએ એક શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. તેમની મુલાકાત અંગે શંકરસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, હું અહીં શુભેચ્છા મુલાકાત માટે આવ્યો હતો, જો કાંઈ રાજકીય બાબત હશે તો જાણકારી જાહેર કરવામાં આવશે. સમાન નાગરિક સંહિતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીને લઈને વાઘેલાએ કહ્યું હતું કે, આ તેમની માર્કેટિંગની રીત છે બીજું કશું જ નથી. આ મુલાકાત પછી તેમણે એક સોશિયલ મીડિયા પૉસ્ટ શેર કરી હતી, જેમાં તેઓએ વિપક્ષી એકતા માટે કામ કરી રહ્યા હોવાની વાત કહી છે. આ પૉસ્ટની સાથે જ બાપુએ પોતે રાજનીતિમાં સક્રિય થયા હોવાની જાણે પરોક્ષ જાહેરાત કરી છે.


આનંદીબેન પટેલ સાથે કરી મુલાકાત 


શંકરસિંહ વાઘેલાએ તેમના લખનઉ પ્રવાસના ભાગરૂપે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે બુધવારે મુલાકાત કરી હતી. તે જ પ્રકારે બાપુએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. ગુજરાતના આ બંને પૂર્વ મુખ્યમંત્રીઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે જાણી શકાયું નથી. જો કે બાપુએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.