ગુજરાતની રાજનીતિના ભીષ્મપિતા ગણાતા શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છે કોંગ્રેસમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 12:48:13

ગુજરાતના રાજકારણમાં થોડા સમયમાં એક મોટો ટ્વિસ્ટ આવી શકે છે. બાપુ તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર શંકરસિંહ વાઘેલા ફરી એક વખત કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે. થોડા સમય પેહલા જ આવનાર ટ્વિસ્ટ અંગે અર્જૂન મોઢવાડીયાએ આ અંગે હિંત આપી હતી. તેમણે કહ્યું હતું કે શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસ પક્ષમાં પુનરાગમન હમેશાં આવકાર્ય રહેશે. 

Statement of Shankar Singh: શંકરસિંહ વાઘેલાએ કહ્યું-જો ગુજરાતમાંથી દારૂબંધી  દૂર કરવા માટે આગોતરી જાહેરાત કરે તો જ હું કોંગ્રેસમાં જોડાઉં- વાંચો વિગત ...


બાપુના આવવાથી કોંગ્રેસને થશે ફાયદો

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. કોંગ્રેસમાં કોઈ પણ એવા નેતા નથી કે જેનો ચહેરો રાખી કોંગ્રેસ ચૂંટણી લડી શકે છે. ત્યારે શંકરસિંહ બાપુના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે.  વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષનો સહારો લઈ શંકરસિંહ બાપુ રાજકીય કાર્કિદીની ફરી એક વખત શરૂઆત કરી શકે છે. શંકરસિંહ બાપુએ પણ આડકતરી રીતે કોંગ્રેસમાં જોડાવાના સંકેતો આપી દીધા છે. સૂત્રોના મત અનુસાર ભાજપને ગુજરાતમાં રોકવા માટે પણ તેઓ કોંગ્રેસનો હાથ પકડી શકે છે. 

Congress : Big Leaders Leaving Congress One By One, Know Why Congress Is  Collapsing | Congress : એક બાદ એક મોટા નેતા છોડી રહ્યાં છે કોંગ્રેસનો હાથ,  જાણો કેમ તૂટી રહી છે કોંગ્રેસ


ચૂંટણી જીતવામાં ભાજપને પડી શકે છે મુશ્કેલી

અનેક દિવસોથી શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં સામેલ થશે તેવી વાતોએ જોર પકડ્યું છે. ગુજરાતની રાજનીતિમાં તેમના આવવાથી મોટા ફેરફાર થઈ શકે છે. બાપુ ક્યારે કોંગ્રેસમાં જોડાય છે તેની તારીખ  હજી સામે નથી આવી. બાપુ જો કોંગ્રેસમાં જોડાઈ ગયા તો ભાજપને પણ ચૂંટણી જીતવામાં મુશ્કેલી પડી શકે છે. ભાજપે અલગ રણનીતિથી ચૂંટણીમાં ઉતરવું પડશે કારણે બાપુએ રાજનીતિમાં ઘણો સમય ફાળવ્યો છે. રાજનીતિ અને ભાજપ વિશે તેઓ ઘણુ બધું જાણે છે. જેને કારણે ભાજપની ચિંતા વધી ગઈ છે.   
Gujarat Election 2022 : BJP Declare 59 Assembly Seats In-charges In Gujarat  | Gujarat Election 2022 : ભાજપે 59 વિધાનસભા બેઠકોના પ્રભારીઓની કરી જાહેરાત,  વાંચો આખું લિસ્ટ


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.