ગુજરાતની રાજનીતિના ભીષ્મપિતા ગણાતા શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છે કોંગ્રેસમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 12:48:13

ગુજરાતના રાજકારણમાં થોડા સમયમાં એક મોટો ટ્વિસ્ટ આવી શકે છે. બાપુ તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર શંકરસિંહ વાઘેલા ફરી એક વખત કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે. થોડા સમય પેહલા જ આવનાર ટ્વિસ્ટ અંગે અર્જૂન મોઢવાડીયાએ આ અંગે હિંત આપી હતી. તેમણે કહ્યું હતું કે શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસ પક્ષમાં પુનરાગમન હમેશાં આવકાર્ય રહેશે. 

Statement of Shankar Singh: શંકરસિંહ વાઘેલાએ કહ્યું-જો ગુજરાતમાંથી દારૂબંધી  દૂર કરવા માટે આગોતરી જાહેરાત કરે તો જ હું કોંગ્રેસમાં જોડાઉં- વાંચો વિગત ...


બાપુના આવવાથી કોંગ્રેસને થશે ફાયદો

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. કોંગ્રેસમાં કોઈ પણ એવા નેતા નથી કે જેનો ચહેરો રાખી કોંગ્રેસ ચૂંટણી લડી શકે છે. ત્યારે શંકરસિંહ બાપુના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે.  વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષનો સહારો લઈ શંકરસિંહ બાપુ રાજકીય કાર્કિદીની ફરી એક વખત શરૂઆત કરી શકે છે. શંકરસિંહ બાપુએ પણ આડકતરી રીતે કોંગ્રેસમાં જોડાવાના સંકેતો આપી દીધા છે. સૂત્રોના મત અનુસાર ભાજપને ગુજરાતમાં રોકવા માટે પણ તેઓ કોંગ્રેસનો હાથ પકડી શકે છે. 

Congress : Big Leaders Leaving Congress One By One, Know Why Congress Is  Collapsing | Congress : એક બાદ એક મોટા નેતા છોડી રહ્યાં છે કોંગ્રેસનો હાથ,  જાણો કેમ તૂટી રહી છે કોંગ્રેસ


ચૂંટણી જીતવામાં ભાજપને પડી શકે છે મુશ્કેલી

અનેક દિવસોથી શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં સામેલ થશે તેવી વાતોએ જોર પકડ્યું છે. ગુજરાતની રાજનીતિમાં તેમના આવવાથી મોટા ફેરફાર થઈ શકે છે. બાપુ ક્યારે કોંગ્રેસમાં જોડાય છે તેની તારીખ  હજી સામે નથી આવી. બાપુ જો કોંગ્રેસમાં જોડાઈ ગયા તો ભાજપને પણ ચૂંટણી જીતવામાં મુશ્કેલી પડી શકે છે. ભાજપે અલગ રણનીતિથી ચૂંટણીમાં ઉતરવું પડશે કારણે બાપુએ રાજનીતિમાં ઘણો સમય ફાળવ્યો છે. રાજનીતિ અને ભાજપ વિશે તેઓ ઘણુ બધું જાણે છે. જેને કારણે ભાજપની ચિંતા વધી ગઈ છે.   
Gujarat Election 2022 : BJP Declare 59 Assembly Seats In-charges In Gujarat  | Gujarat Election 2022 : ભાજપે 59 વિધાનસભા બેઠકોના પ્રભારીઓની કરી જાહેરાત,  વાંચો આખું લિસ્ટ


અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.