Rajkotમાં બનેલી દુર્ઘટનાને લઈ Shankarsinh Vaghelaએ લખ્યો રાજ્યપાલને પત્ર, PM Modiનો ઉલ્લેખ પત્રમાં કરતા લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-05-28 14:33:44

ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ સર્જાઈ..એ મોરબીની હોનારત હોય કે પછી સુરતમાં બનેલું તક્ષશિલા કાંડ.. હરણી લેક બોટની દુર્ઘટના હોય કે પછી રાજકોટમાં શનિવાર સાજં બનેલી ઘટના.. ગુજરાતે અનેક દુર્ઘટનાઓ જોઈ, પરંતુ  ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી બોધપાઠ નથી લેતા.. જેના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાય છે અને લોકો મરી જાય છે.. જે ઘટનાઓ બની છે તે આપણના દિલને ચિરી દે તેવી છે.. ભાજપના નેતાઓ દ્વારા અનેક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે જે જોતા લાગે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ જ પોતાની સરકારને સવાલ પૂછતા હોય.. ત્યારે શંકરસિંહ વાઘેલાએ રાજ્યપાલને પત્ર લખ્યો છે જેમાં અનેક વિષયો પર વાત કરવામાં આવી છે.. સરકારની કામગીરી પર મુખ્યમંત્રીની જવાબદારી પર તેમણે વાત કરી હતી. 


પત્રમાં કઈ વાતનો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ કર્યો ઉલ્લેખ? 

પત્રમાં શંકરસિંહ વાઘેલાએ લખ્યું કે રાજકોટમાં બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનાથી આપ વાકેફ હશો.. સમગ્ર ગુજરાતની સંવેદનાઓને હચમચાવી નાખતી આ દુ:ખદ ઘટના બાબતે તમામ ગુજરાતીઓ વતી તેમની વેદના અને વ્યથા આપ સુધી પહોંચાડવાનો મારો વિનમ્ર પ્રયાસ છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અને વહીવટી બાબતો અંગેની સીધી જવાબદારી માનનીય મુખ્યમંત્રીશ્રીની જ બને છે એટલે આ અંગેની ફરિયાદ કે સૂચન તેઓશ્રીને જ કરવાનું હોય.. પરંતુ ચૂંટાયેલા જનપ્રતિકનિધિઓ બીન અસરકારકતા, બીન કાર્યક્ષમતા અને બેજવાબદાર વલણના કારણે બનેલી આ પહેલી કરૂણાતિકા નથીતે આપ જાણો છે..


છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી એકધારી સત્તા થકી આવેલા અહંકારના કારણે બેફામ અને ભ્રષ્ટ બનેલા સરકારી તંત્રના કાને પ્રજાની પીડાનો ચિત્કાર પડતો જ નથી. જેથી રાજકોટમાં બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનાથી દ્રવિત તમામ ગુજરાતીઓની વેદના અને વ્યથા આપ સુધી પહોંચાડવાનો આ મારો વિનમ્ર પ્રયાસ છે... તે સિવાય તેમણે બીજી એક વાત પણ કહી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કહી આ વાત

તે ઉપરાંત તેમણે પત્રમાં નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે હું આપનું વિશેષ ધ્યાન દોરવા માંગુ છું કે હાલ દેશના વડાપ્રધાન પદ શોભાવતા શ્રી નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી ધારાસભ્યપદે ચૂંટાવાથી થઈ હતી. સત્તાના શિખર સુધી પહોંચ્યા બાદ એનો પહેલાં પગથિયે હોમાઈ ગયેલી જિંદગીઓ કદાચ તેમને નહીં દેખાતી હોય.. કદાચ ચૂંટણીઓમાં મત મેળવવામાં વ્યસ્ત વડાપ્રધાન ભૂલી ગયા હશે કે તેઓ પણ ગુજરાતી છે.. હું આપના માધ્યમથી એમને ગુજરાતીઓનો સાદ પહોંચાડવા માંગું છું કે સત્તાઓ આવશે અને જશે લોકોના જીવ કેવી રીતે પાછા આવશે? જીંદગી આપી નથી શકતા તો છીનવી લેવાનો હક્ક કેવી રીતે મળે? એક ટ્વિટ કરી ભૂંજાઈ ગયેલા મૃતકોના સ્વજનોના ઘા પર મીઠું ભભરાવવાની ઓપચારિક્તા છોડી નૈતિક જવાબદારીનું વહન કરવા આપ વડાપ્રધાને એકાદ જાહેર સભામાં શ્રદ્ધાંજલિના બે શબ્દો કહ્યાં હોત તો આપણને આપણા પોતાના વડાપ્રધાન હોવાનો અહેસાસ થાત.. તે સિવાય તેમણે તપાસ માટે રચાયેલી તપાસ કમિટી એટલે કે એસઆઈટી અંગેની પણ વાત કરી.. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે