Rajkotમાં બનેલી દુર્ઘટનાને લઈ Shankarsinh Vaghelaએ લખ્યો રાજ્યપાલને પત્ર, PM Modiનો ઉલ્લેખ પત્રમાં કરતા લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-05-28 14:33:44

ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ સર્જાઈ..એ મોરબીની હોનારત હોય કે પછી સુરતમાં બનેલું તક્ષશિલા કાંડ.. હરણી લેક બોટની દુર્ઘટના હોય કે પછી રાજકોટમાં શનિવાર સાજં બનેલી ઘટના.. ગુજરાતે અનેક દુર્ઘટનાઓ જોઈ, પરંતુ  ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી બોધપાઠ નથી લેતા.. જેના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાય છે અને લોકો મરી જાય છે.. જે ઘટનાઓ બની છે તે આપણના દિલને ચિરી દે તેવી છે.. ભાજપના નેતાઓ દ્વારા અનેક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે જે જોતા લાગે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ જ પોતાની સરકારને સવાલ પૂછતા હોય.. ત્યારે શંકરસિંહ વાઘેલાએ રાજ્યપાલને પત્ર લખ્યો છે જેમાં અનેક વિષયો પર વાત કરવામાં આવી છે.. સરકારની કામગીરી પર મુખ્યમંત્રીની જવાબદારી પર તેમણે વાત કરી હતી. 


પત્રમાં કઈ વાતનો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ કર્યો ઉલ્લેખ? 

પત્રમાં શંકરસિંહ વાઘેલાએ લખ્યું કે રાજકોટમાં બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનાથી આપ વાકેફ હશો.. સમગ્ર ગુજરાતની સંવેદનાઓને હચમચાવી નાખતી આ દુ:ખદ ઘટના બાબતે તમામ ગુજરાતીઓ વતી તેમની વેદના અને વ્યથા આપ સુધી પહોંચાડવાનો મારો વિનમ્ર પ્રયાસ છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અને વહીવટી બાબતો અંગેની સીધી જવાબદારી માનનીય મુખ્યમંત્રીશ્રીની જ બને છે એટલે આ અંગેની ફરિયાદ કે સૂચન તેઓશ્રીને જ કરવાનું હોય.. પરંતુ ચૂંટાયેલા જનપ્રતિકનિધિઓ બીન અસરકારકતા, બીન કાર્યક્ષમતા અને બેજવાબદાર વલણના કારણે બનેલી આ પહેલી કરૂણાતિકા નથીતે આપ જાણો છે..


છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી એકધારી સત્તા થકી આવેલા અહંકારના કારણે બેફામ અને ભ્રષ્ટ બનેલા સરકારી તંત્રના કાને પ્રજાની પીડાનો ચિત્કાર પડતો જ નથી. જેથી રાજકોટમાં બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનાથી દ્રવિત તમામ ગુજરાતીઓની વેદના અને વ્યથા આપ સુધી પહોંચાડવાનો આ મારો વિનમ્ર પ્રયાસ છે... તે સિવાય તેમણે બીજી એક વાત પણ કહી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કહી આ વાત

તે ઉપરાંત તેમણે પત્રમાં નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે હું આપનું વિશેષ ધ્યાન દોરવા માંગુ છું કે હાલ દેશના વડાપ્રધાન પદ શોભાવતા શ્રી નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી ધારાસભ્યપદે ચૂંટાવાથી થઈ હતી. સત્તાના શિખર સુધી પહોંચ્યા બાદ એનો પહેલાં પગથિયે હોમાઈ ગયેલી જિંદગીઓ કદાચ તેમને નહીં દેખાતી હોય.. કદાચ ચૂંટણીઓમાં મત મેળવવામાં વ્યસ્ત વડાપ્રધાન ભૂલી ગયા હશે કે તેઓ પણ ગુજરાતી છે.. હું આપના માધ્યમથી એમને ગુજરાતીઓનો સાદ પહોંચાડવા માંગું છું કે સત્તાઓ આવશે અને જશે લોકોના જીવ કેવી રીતે પાછા આવશે? જીંદગી આપી નથી શકતા તો છીનવી લેવાનો હક્ક કેવી રીતે મળે? એક ટ્વિટ કરી ભૂંજાઈ ગયેલા મૃતકોના સ્વજનોના ઘા પર મીઠું ભભરાવવાની ઓપચારિક્તા છોડી નૈતિક જવાબદારીનું વહન કરવા આપ વડાપ્રધાને એકાદ જાહેર સભામાં શ્રદ્ધાંજલિના બે શબ્દો કહ્યાં હોત તો આપણને આપણા પોતાના વડાપ્રધાન હોવાનો અહેસાસ થાત.. તે સિવાય તેમણે તપાસ માટે રચાયેલી તપાસ કમિટી એટલે કે એસઆઈટી અંગેની પણ વાત કરી.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.