શરદ પવારનું ચોંકાવનારૂ નિવેદન, ભત્રીજા અજીતને ગણાવ્યા પોતાના નેતા-'NCPમાં કોઈ વિભાજન નથી'


  • Published By :
  • Published Date : 2023-08-25 11:34:28

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારની રાજનિતી સમજવી મુશ્કેલ છે. તેમણે વધુ એક રાજનૈતિક ગુગલી ફેંકી છે. જેના કારણે મહા વિકાસ અઘાડીમાં અસમંજસની સ્થિતી પેદા થઈ ગઈ છે. કાલ સુધી ભત્રીજા અજીત પવારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢનારા શરદ પવારે અચાનક જ વ્હાલ વરસાવતા લોકોને આશ્ચર્ય થયું છે. તેઓ બારામતીમાં હતા ત્યારે મીડિયા સાથે ચર્ચા કરતા તેમણે ભત્રીજા અજીત પવારને તેમના નેતા ગણાવ્યા હતા અને એનસીપીમાં કોઈ ફૂટ હોવાનો ઈન્કાર કર્યો હતો. ખરેખર તો તેઓ તેમની પુત્રી સુપ્રીયા સુલેના તે નિવેદન અંગે પત્રકારોના સવાલનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે "અજીત દાદા અમારા નેતા છે."

 

શરદ પવારે શું કહ્યું?


નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારનું કહ્યું છે કે અજીત પવાર તેમના નેતા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમણે પાર્ટી તુટી હોવાનો પણ ઈન્કાર કર્યો છે. શરદ પવારે કહ્યું 'કોઈ પાર્ટી ત્યારે જ તુટી શકે છે, જ્યારે પાર્ટીનું એક મોટું ગ્રુપ રાષ્ટ્રીય સ્તર પર અલગ થઈ જાય છે. NCPમાં કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે તેને ફૂટ કહીં શકાય નહીં. તે લોકશાહીમાં આવું કરી શકે છે.' શરદ પવારે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે 'તેમણે ( અજીત પવારે) અલગ નિર્ણય કર્યો. તે કારણે એવું ન કહી શકાય કે  NCPમાં વિભાજન થયું છે.'  ઉલ્લેખનિય છે કે અગાઉ શરદ પવારની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ પણ 24 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર NCPના સિનિયર નેતા અને ધારાસભ્ય  છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .