શરદ પવારનું ચોંકાવનારૂ નિવેદન, ભત્રીજા અજીતને ગણાવ્યા પોતાના નેતા-'NCPમાં કોઈ વિભાજન નથી'


  • Published By :
  • Published Date : 2023-08-25 11:34:28

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારની રાજનિતી સમજવી મુશ્કેલ છે. તેમણે વધુ એક રાજનૈતિક ગુગલી ફેંકી છે. જેના કારણે મહા વિકાસ અઘાડીમાં અસમંજસની સ્થિતી પેદા થઈ ગઈ છે. કાલ સુધી ભત્રીજા અજીત પવારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢનારા શરદ પવારે અચાનક જ વ્હાલ વરસાવતા લોકોને આશ્ચર્ય થયું છે. તેઓ બારામતીમાં હતા ત્યારે મીડિયા સાથે ચર્ચા કરતા તેમણે ભત્રીજા અજીત પવારને તેમના નેતા ગણાવ્યા હતા અને એનસીપીમાં કોઈ ફૂટ હોવાનો ઈન્કાર કર્યો હતો. ખરેખર તો તેઓ તેમની પુત્રી સુપ્રીયા સુલેના તે નિવેદન અંગે પત્રકારોના સવાલનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે "અજીત દાદા અમારા નેતા છે."

 

શરદ પવારે શું કહ્યું?


નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારનું કહ્યું છે કે અજીત પવાર તેમના નેતા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમણે પાર્ટી તુટી હોવાનો પણ ઈન્કાર કર્યો છે. શરદ પવારે કહ્યું 'કોઈ પાર્ટી ત્યારે જ તુટી શકે છે, જ્યારે પાર્ટીનું એક મોટું ગ્રુપ રાષ્ટ્રીય સ્તર પર અલગ થઈ જાય છે. NCPમાં કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે તેને ફૂટ કહીં શકાય નહીં. તે લોકશાહીમાં આવું કરી શકે છે.' શરદ પવારે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે 'તેમણે ( અજીત પવારે) અલગ નિર્ણય કર્યો. તે કારણે એવું ન કહી શકાય કે  NCPમાં વિભાજન થયું છે.'  ઉલ્લેખનિય છે કે અગાઉ શરદ પવારની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ પણ 24 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર NCPના સિનિયર નેતા અને ધારાસભ્ય  છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.