શરદ પવારનું ચોંકાવનારૂ નિવેદન, ભત્રીજા અજીતને ગણાવ્યા પોતાના નેતા-'NCPમાં કોઈ વિભાજન નથી'


  • Published By :
  • Published Date : 2023-08-25 11:34:28

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારની રાજનિતી સમજવી મુશ્કેલ છે. તેમણે વધુ એક રાજનૈતિક ગુગલી ફેંકી છે. જેના કારણે મહા વિકાસ અઘાડીમાં અસમંજસની સ્થિતી પેદા થઈ ગઈ છે. કાલ સુધી ભત્રીજા અજીત પવારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢનારા શરદ પવારે અચાનક જ વ્હાલ વરસાવતા લોકોને આશ્ચર્ય થયું છે. તેઓ બારામતીમાં હતા ત્યારે મીડિયા સાથે ચર્ચા કરતા તેમણે ભત્રીજા અજીત પવારને તેમના નેતા ગણાવ્યા હતા અને એનસીપીમાં કોઈ ફૂટ હોવાનો ઈન્કાર કર્યો હતો. ખરેખર તો તેઓ તેમની પુત્રી સુપ્રીયા સુલેના તે નિવેદન અંગે પત્રકારોના સવાલનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે "અજીત દાદા અમારા નેતા છે."

 

શરદ પવારે શું કહ્યું?


નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારનું કહ્યું છે કે અજીત પવાર તેમના નેતા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમણે પાર્ટી તુટી હોવાનો પણ ઈન્કાર કર્યો છે. શરદ પવારે કહ્યું 'કોઈ પાર્ટી ત્યારે જ તુટી શકે છે, જ્યારે પાર્ટીનું એક મોટું ગ્રુપ રાષ્ટ્રીય સ્તર પર અલગ થઈ જાય છે. NCPમાં કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે તેને ફૂટ કહીં શકાય નહીં. તે લોકશાહીમાં આવું કરી શકે છે.' શરદ પવારે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે 'તેમણે ( અજીત પવારે) અલગ નિર્ણય કર્યો. તે કારણે એવું ન કહી શકાય કે  NCPમાં વિભાજન થયું છે.'  ઉલ્લેખનિય છે કે અગાઉ શરદ પવારની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ પણ 24 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર NCPના સિનિયર નેતા અને ધારાસભ્ય  છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.