શેરબજારમાં અંધાધૂંધી! રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 19:21:24

વૈશ્વિક શેરબજારોમાં નબળાઈને કારણે સપ્ટેમ્બરના પ્રથમ દિવસે ભારતીય શેરબજારોમાં પણ કડાકો બોલાયો હતો. ગુરુવારે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. દિવસની અસ્થિરતા પછી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 770.48 પોઇન્ટ (1.29 ટકા) ઘટીને 58,766.59 પર બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 216.50 પોઈન્ટ્સ અથવા 1.22 ટકા ઘટીને 17,542.80 પર બંધ થયો હતો.


મોટાભાગના સેક્ટર કકડભૂસ


શેરબજારમાં મોટા ભાગના સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ઓટો, રિયલ એસ્ટેટ જેવા સેક્ટર જ લીલા નિશાનમાં બંધ થયા. બીજી તરફ FMCG સિવાય આઈટી, બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઓઈલ એન્ડ ગેસ, મીડિયા સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. જોકે, મિડકેપ અને સ્મોલ કેપ શેરોના સૂચકાંકો લીલા નિશાનમાં બંધ રહ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 12 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 38 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ેસેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, 23 લાલ નિશાનમાં બંધ થયા હતા. બેન્ક નિફ્ટીના તમામ 12માંથી 7 શેર લાલ નિશાનમાં અને 5 લીલા નિશાનમાં બંધ થયા છે.


આ શેરમાં થઈ સૌથી વધુ વધ-ઘટ


શેરબજારમાં સૌથી વધુ ઘટેલા શેરો પર નજર કરીએ તો, રિલાયન્સ 2.79 ટકા, ટીસીએસ 2.32 ટકા, સન ફાર્મા 2.21 ટકા, ટેક મહિન્દ્રા 1.92 ટકા, ઇન્ફોસિસ 1.75 ટકા, એનટીપીસી 1.74 ટકા, એચયુએલ 1.73 ટકા, એચડીએફસી 1.64 ટકા, પાવર ગ્રીડ 1.7 ટકા તૂટ્યો છે. તે જ પ્રકારે વધેલા શેરો પર નજર કરીએ તો, બજાજ ફિનસર્વ 2.58 ટકા, ભારતી એરટેલ 1.03 ટકા, ટાઇટન કંપની 0.93 ટકા, એસબીઆઈ 0.56 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.81 ટકા, મહિન્દ્રા 0.28 ટકાના વધારા સાથે બંધ થયા છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .