વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે FPIએ શેરોનું રેકોર્ડ વેચાણ કર્યું, જુઓ આંકડા


  • Published By :
  • Published Date : 2023-01-01 16:20:34

દેશમાં મેક્રોઈકોનોમિક ચિંતાઓ, વધતા વ્યાજ દરો, અને જિયોપોલિટિકલ ચિંતાઓ વચ્ચે વિદેશી પોર્ટફોલિઓ રોકાણકારો (FPIs)એ વર્ષ 2022માં જબરદસ્ત વેચાણ કર્યું છે. વર્ષ 2022માં ભારતીય શેરોમાં વિદેશી રોકાણકારોનો કુલ આઉટફ્લો રૂપિયા 1.21 લાખ કરોડથી વધુ રહ્યું છે.


વર્ષ 2008નો રેકોર્ડ તુટ્યો 


નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ 2022ના વર્ષમાં વિદેશી રોકાણકારોના શેરોના વેચાણે વર્ષ 2008નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વર્ષ 2008માં કરાયેલા 53,000 કરોડ રૂપિયાના વેચાણના રોકાર્ડને પણ તોડી નાખ્યો છે. વર્ષ 2008માં  53,000 અને 1998માં રૂ. 740 કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. 


NSDLના આંકડાં પ્રમાણે ડિસેમ્બરમાં વિદેશી રોકાણકારોએ ઈક્વિટીમાં 11,119 કરોડની ખરીદી કરી હતી, તે નવેમ્બર બાદ 2022માં ત્રીજી સૌથી મોટી માસિક ખરીદી હતી. જ્યારે ઈનફ્લો રુ. 36,239 કરોડ અને ઓગસ્ટમાં રુ.51,204ની ખરીદી કરી હતી.


ઓક્ટોબરમાં સૌથી ઓછું વેચાણ


ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીમાં 2022ની સૌથી મોટી ખરીદી કરી હતી. જ્યારે ઓક્ટોબર મહિનો સૌથી ઓછા વેચાણવાળો રહ્યો હતો. ઑક્ટોબર 2022 દરમિયાન ઇક્વિટીમાં આઉટફ્લો લગભગ રૂ. 8 કરોડ હતો. 2022ના પ્રથમ છ મહિનામાં વિદેશી રોકાણકારોએ  રૂ. 2,17,358 કરોડનો રેકોર્ડ આઉટફ્લો કર્યો હતો.


રૂ . 50,203 કરોડના જંગી વેચાણ સાથે જૂન મહિનોસૌથી વધુ પ્રભાવિત રહ્યો હતો. જો કે, 2022 ના બીજા છ મહિના સુધી ખરીદી સાથે, FPIનું વેચાણ નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે. હજુ પણ  2022ના વર્ષ સંપૂર્ણ માટે ઈક્વિટીમાં વેચાણ  રેકોર્ડ રૂ . 1,21,439 કરોડ પર છે.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.