વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે FPIએ શેરોનું રેકોર્ડ વેચાણ કર્યું, જુઓ આંકડા


  • Published By :
  • Published Date : 2023-01-01 16:20:34

દેશમાં મેક્રોઈકોનોમિક ચિંતાઓ, વધતા વ્યાજ દરો, અને જિયોપોલિટિકલ ચિંતાઓ વચ્ચે વિદેશી પોર્ટફોલિઓ રોકાણકારો (FPIs)એ વર્ષ 2022માં જબરદસ્ત વેચાણ કર્યું છે. વર્ષ 2022માં ભારતીય શેરોમાં વિદેશી રોકાણકારોનો કુલ આઉટફ્લો રૂપિયા 1.21 લાખ કરોડથી વધુ રહ્યું છે.


વર્ષ 2008નો રેકોર્ડ તુટ્યો 


નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ 2022ના વર્ષમાં વિદેશી રોકાણકારોના શેરોના વેચાણે વર્ષ 2008નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વર્ષ 2008માં કરાયેલા 53,000 કરોડ રૂપિયાના વેચાણના રોકાર્ડને પણ તોડી નાખ્યો છે. વર્ષ 2008માં  53,000 અને 1998માં રૂ. 740 કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. 


NSDLના આંકડાં પ્રમાણે ડિસેમ્બરમાં વિદેશી રોકાણકારોએ ઈક્વિટીમાં 11,119 કરોડની ખરીદી કરી હતી, તે નવેમ્બર બાદ 2022માં ત્રીજી સૌથી મોટી માસિક ખરીદી હતી. જ્યારે ઈનફ્લો રુ. 36,239 કરોડ અને ઓગસ્ટમાં રુ.51,204ની ખરીદી કરી હતી.


ઓક્ટોબરમાં સૌથી ઓછું વેચાણ


ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીમાં 2022ની સૌથી મોટી ખરીદી કરી હતી. જ્યારે ઓક્ટોબર મહિનો સૌથી ઓછા વેચાણવાળો રહ્યો હતો. ઑક્ટોબર 2022 દરમિયાન ઇક્વિટીમાં આઉટફ્લો લગભગ રૂ. 8 કરોડ હતો. 2022ના પ્રથમ છ મહિનામાં વિદેશી રોકાણકારોએ  રૂ. 2,17,358 કરોડનો રેકોર્ડ આઉટફ્લો કર્યો હતો.


રૂ . 50,203 કરોડના જંગી વેચાણ સાથે જૂન મહિનોસૌથી વધુ પ્રભાવિત રહ્યો હતો. જો કે, 2022 ના બીજા છ મહિના સુધી ખરીદી સાથે, FPIનું વેચાણ નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે. હજુ પણ  2022ના વર્ષ સંપૂર્ણ માટે ઈક્વિટીમાં વેચાણ  રેકોર્ડ રૂ . 1,21,439 કરોડ પર છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.