સોમવારે શેર માર્કેટમાં કડાકાની આશંકા, આ કારણો બજારને કરશે અસ્થિર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 19:26:09

ભારતીય શેર બજારમાં આવતી કાલે એટલે કે સોમવારે મોટા ઘટાડાની આશંકા જોવા મળી રહી છે. લાંબી તેજી બાદ માર્કેટ થોડું ઘટે તેવું આંતરરાષ્ટ્રિય ઘટનાઓ પરથી જણાઈ રહ્યું છે. અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જેક્સન હોલમાં સંબોધન કરી આસમાને આંબતી મોંઘવારીને કાબુમાં લેવા માટે વ્યાજ દરોને વધારવા તથા વધુ કડક વલણ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેની અસર અમેરિકાના શેર બજાર પર શુક્રવારે જ જોવા મળી હતી. જેરોમ પોવેલના નિવેદન બાદ ડાઉ જોન્સમાં  1008.38 પોઈન્ટ (3.03%)નો કડાકો જોવા મળ્યો હતો. હવે આ ઘટાડાની અસર સોમવારે ભારતીય શેરબજારમાં પણ જોવા મળે તેવી સંભાવના છે.


GDP અને વાહન વેચાણના આંકડા થશે જાહેર


આ સપ્તાહે  ભારતની GDPના આંકડા અને વાહન વેચાણના આંકડા  જાહેર થશે. બજારની નજર પણ આ બંને આંકડા પર રહેશે. તે સાથે જ બજારની નજર ક્રૂડ ઓઈલની કિંમત, ડોલર ઈન્ડેક્સ, પીએમઆઈના આંકડા પણ જાહેર થશે. ભારત સહિત વૈશ્વિક શેર બજારો પણ અમેરિકાના માર્કેટ પર બાજ નજર રાખશે. 


વિદેશી રોકાણકારો પર રહેશે નજર


નિષ્ણાતોના મતે વિદેશી સંસ્થાગત રોકાણકારોનું વલણ, રૂપિયા-ડોલરનો ઉતાર-ચઢાવથી પણ બજાર પર અસર થશે. ગત સપ્સાહે બીએસઈ સેન્સેક્સનો 30 શેરવાળો સેન્સેક્સ 812.28 પોઈન્ટ એટલે કે 1.36 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 199.55 પોઈન્ટ એટલે કે 1.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.