સોમવારે શેર માર્કેટમાં કડાકાની આશંકા, આ કારણો બજારને કરશે અસ્થિર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 19:26:09

ભારતીય શેર બજારમાં આવતી કાલે એટલે કે સોમવારે મોટા ઘટાડાની આશંકા જોવા મળી રહી છે. લાંબી તેજી બાદ માર્કેટ થોડું ઘટે તેવું આંતરરાષ્ટ્રિય ઘટનાઓ પરથી જણાઈ રહ્યું છે. અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જેક્સન હોલમાં સંબોધન કરી આસમાને આંબતી મોંઘવારીને કાબુમાં લેવા માટે વ્યાજ દરોને વધારવા તથા વધુ કડક વલણ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેની અસર અમેરિકાના શેર બજાર પર શુક્રવારે જ જોવા મળી હતી. જેરોમ પોવેલના નિવેદન બાદ ડાઉ જોન્સમાં  1008.38 પોઈન્ટ (3.03%)નો કડાકો જોવા મળ્યો હતો. હવે આ ઘટાડાની અસર સોમવારે ભારતીય શેરબજારમાં પણ જોવા મળે તેવી સંભાવના છે.


GDP અને વાહન વેચાણના આંકડા થશે જાહેર


આ સપ્તાહે  ભારતની GDPના આંકડા અને વાહન વેચાણના આંકડા  જાહેર થશે. બજારની નજર પણ આ બંને આંકડા પર રહેશે. તે સાથે જ બજારની નજર ક્રૂડ ઓઈલની કિંમત, ડોલર ઈન્ડેક્સ, પીએમઆઈના આંકડા પણ જાહેર થશે. ભારત સહિત વૈશ્વિક શેર બજારો પણ અમેરિકાના માર્કેટ પર બાજ નજર રાખશે. 


વિદેશી રોકાણકારો પર રહેશે નજર


નિષ્ણાતોના મતે વિદેશી સંસ્થાગત રોકાણકારોનું વલણ, રૂપિયા-ડોલરનો ઉતાર-ચઢાવથી પણ બજાર પર અસર થશે. ગત સપ્સાહે બીએસઈ સેન્સેક્સનો 30 શેરવાળો સેન્સેક્સ 812.28 પોઈન્ટ એટલે કે 1.36 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 199.55 પોઈન્ટ એટલે કે 1.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.