Gujaratમાં શીતલહેર! આ જગ્યાઓએ તાપમાન પહોંચ્યું 20 ડિગ્રીથી નીચે, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-11 13:57:58

રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીના ચમકારાનો અનુભવ થાય છે. આપણે લોકો ગરમીમાં રહેવા ટેવાયા છે પરંતુ તાપમાનમાં થોડો પણ ઘટાડો થાય ત્યારે આપણને ઠંડી લાગવા લાગે છે. તાપમાનનો પારો ઘટી રહ્યો છે. રવિવારે 15 જેટલા શહેરોનું તાપમાનનો ઘટ્યું હતું. નલિયામાં તાપમાન 10 ડિગ્રી નીચે આવી પહોંચ્યું છે. અમદાવાદમાં પણ 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની દિશા બદલાતા ગુજરાત ઠંડુગાર બન્યું છે. આવનાર દિવસોમાં આ તાપમાન હજી પણ ગગડી શકે છે અને કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવી આાગાહી કરવામાં આવી છે.

ગુજરાત ઠંડુગાર, નલિયામાં તાપમાન 5.8 ડિગ્રી પહોંચ્યું, જાણો ક્યાં સુધી રહેશે  ઠંડીનો પ્રકોપ | Gujarat News in Gujarati

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો. માવઠાને કારણે ગુજરાતના અનેક શહેરોમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેતરમાં પાણી ઘૂસી ગયા જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે આવનાર દિવસમાં ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતના વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. નલિયાનું તાપમાન 9.2 ડિગ્રી પર નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન 16.2, ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી જ્યારે ડીસમાં તાપમાનનો પારો 14 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. ભાવનગરનું તાપમાન 17.9 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે વડોદરાનું તાપમાન 17.6 ડિગ્રી પહોંચ્યું હતું. 


અંબાલાલ પટેલે શું કરી આગાહી? 

હવામાન વિભાગના આંકડા મૂજબ પોરબંદરમાં 13.4 ડિગ્રી, કેશોદમાં 14.2 ડિગ્રી, મહુવાનું 16.1 ડિગ્રી નોંધાયું હતું. દ્વારકાનું તાપમાન 19 ડિગ્રીએ પહોંચ્યું હતું. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 14થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..