Gujaratમાં શીતલહેર! આ જગ્યાઓએ તાપમાન પહોંચ્યું 20 ડિગ્રીથી નીચે, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-12-11 13:57:58

રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીના ચમકારાનો અનુભવ થાય છે. આપણે લોકો ગરમીમાં રહેવા ટેવાયા છે પરંતુ તાપમાનમાં થોડો પણ ઘટાડો થાય ત્યારે આપણને ઠંડી લાગવા લાગે છે. તાપમાનનો પારો ઘટી રહ્યો છે. રવિવારે 15 જેટલા શહેરોનું તાપમાનનો ઘટ્યું હતું. નલિયામાં તાપમાન 10 ડિગ્રી નીચે આવી પહોંચ્યું છે. અમદાવાદમાં પણ 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની દિશા બદલાતા ગુજરાત ઠંડુગાર બન્યું છે. આવનાર દિવસોમાં આ તાપમાન હજી પણ ગગડી શકે છે અને કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવી આાગાહી કરવામાં આવી છે.

ગુજરાત ઠંડુગાર, નલિયામાં તાપમાન 5.8 ડિગ્રી પહોંચ્યું, જાણો ક્યાં સુધી રહેશે  ઠંડીનો પ્રકોપ | Gujarat News in Gujarati

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો. માવઠાને કારણે ગુજરાતના અનેક શહેરોમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેતરમાં પાણી ઘૂસી ગયા જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે આવનાર દિવસમાં ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતના વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. નલિયાનું તાપમાન 9.2 ડિગ્રી પર નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન 16.2, ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી જ્યારે ડીસમાં તાપમાનનો પારો 14 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. ભાવનગરનું તાપમાન 17.9 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે વડોદરાનું તાપમાન 17.6 ડિગ્રી પહોંચ્યું હતું. 


અંબાલાલ પટેલે શું કરી આગાહી? 

હવામાન વિભાગના આંકડા મૂજબ પોરબંદરમાં 13.4 ડિગ્રી, કેશોદમાં 14.2 ડિગ્રી, મહુવાનું 16.1 ડિગ્રી નોંધાયું હતું. દ્વારકાનું તાપમાન 19 ડિગ્રીએ પહોંચ્યું હતું. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 14થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.