Gujaratમાં શીતલહેર! આ જગ્યાઓએ તાપમાન પહોંચ્યું 20 ડિગ્રીથી નીચે, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-12-11 13:57:58

રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીના ચમકારાનો અનુભવ થાય છે. આપણે લોકો ગરમીમાં રહેવા ટેવાયા છે પરંતુ તાપમાનમાં થોડો પણ ઘટાડો થાય ત્યારે આપણને ઠંડી લાગવા લાગે છે. તાપમાનનો પારો ઘટી રહ્યો છે. રવિવારે 15 જેટલા શહેરોનું તાપમાનનો ઘટ્યું હતું. નલિયામાં તાપમાન 10 ડિગ્રી નીચે આવી પહોંચ્યું છે. અમદાવાદમાં પણ 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની દિશા બદલાતા ગુજરાત ઠંડુગાર બન્યું છે. આવનાર દિવસોમાં આ તાપમાન હજી પણ ગગડી શકે છે અને કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવી આાગાહી કરવામાં આવી છે.

ગુજરાત ઠંડુગાર, નલિયામાં તાપમાન 5.8 ડિગ્રી પહોંચ્યું, જાણો ક્યાં સુધી રહેશે  ઠંડીનો પ્રકોપ | Gujarat News in Gujarati

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો. માવઠાને કારણે ગુજરાતના અનેક શહેરોમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેતરમાં પાણી ઘૂસી ગયા જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે આવનાર દિવસમાં ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતના વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. નલિયાનું તાપમાન 9.2 ડિગ્રી પર નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન 16.2, ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી જ્યારે ડીસમાં તાપમાનનો પારો 14 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. ભાવનગરનું તાપમાન 17.9 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે વડોદરાનું તાપમાન 17.6 ડિગ્રી પહોંચ્યું હતું. 


અંબાલાલ પટેલે શું કરી આગાહી? 

હવામાન વિભાગના આંકડા મૂજબ પોરબંદરમાં 13.4 ડિગ્રી, કેશોદમાં 14.2 ડિગ્રી, મહુવાનું 16.1 ડિગ્રી નોંધાયું હતું. દ્વારકાનું તાપમાન 19 ડિગ્રીએ પહોંચ્યું હતું. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 14થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.