Gujaratમાં શીતલહેર! આ જગ્યાઓએ તાપમાન પહોંચ્યું 20 ડિગ્રીથી નીચે, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-12-11 13:57:58

રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડીના ચમકારાનો અનુભવ થાય છે. આપણે લોકો ગરમીમાં રહેવા ટેવાયા છે પરંતુ તાપમાનમાં થોડો પણ ઘટાડો થાય ત્યારે આપણને ઠંડી લાગવા લાગે છે. તાપમાનનો પારો ઘટી રહ્યો છે. રવિવારે 15 જેટલા શહેરોનું તાપમાનનો ઘટ્યું હતું. નલિયામાં તાપમાન 10 ડિગ્રી નીચે આવી પહોંચ્યું છે. અમદાવાદમાં પણ 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની દિશા બદલાતા ગુજરાત ઠંડુગાર બન્યું છે. આવનાર દિવસોમાં આ તાપમાન હજી પણ ગગડી શકે છે અને કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવી આાગાહી કરવામાં આવી છે.

ગુજરાત ઠંડુગાર, નલિયામાં તાપમાન 5.8 ડિગ્રી પહોંચ્યું, જાણો ક્યાં સુધી રહેશે  ઠંડીનો પ્રકોપ | Gujarat News in Gujarati

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો. માવઠાને કારણે ગુજરાતના અનેક શહેરોમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેતરમાં પાણી ઘૂસી ગયા જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે આવનાર દિવસમાં ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતના વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. નલિયાનું તાપમાન 9.2 ડિગ્રી પર નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન 16.2, ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી જ્યારે ડીસમાં તાપમાનનો પારો 14 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. ભાવનગરનું તાપમાન 17.9 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે વડોદરાનું તાપમાન 17.6 ડિગ્રી પહોંચ્યું હતું. 


અંબાલાલ પટેલે શું કરી આગાહી? 

હવામાન વિભાગના આંકડા મૂજબ પોરબંદરમાં 13.4 ડિગ્રી, કેશોદમાં 14.2 ડિગ્રી, મહુવાનું 16.1 ડિગ્રી નોંધાયું હતું. દ્વારકાનું તાપમાન 19 ડિગ્રીએ પહોંચ્યું હતું. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 14થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.