શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા પર હુમલો, આ કૃત્ય પાછળ જેઠા ભરવાડનો હાથ હોવાનો ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2023-10-10 21:23:44

ભાજપના નેતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ પર એક વખત વિવાદમાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના વિપક્ષના નેતા જેબી સોલંકી પર શહેરા સિવિલ હોસ્પિટલ નજીક ત્રણ રસ્તા પાસે 20 થી 25 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. તેઓના હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે. આ હુમલો શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે કરાવ્યો હોવાનો જેબી સોલંકીએ આરોપ લગાવ્યો છે. હાલ તો ગંભીર રીતે ઘાયલ થયેલા જેબી સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી, ઉષા નાયડુ, શૈલેષ પરમાર સહિત કોંગ્રેસના નેતાઓ આજે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પંચમહાલના પ્રવાસે હતા ત્યારે શહેરામાં કોંગ્રેસના નેતા પર હુમલો થયાની ઘટનાની જાણ તથા આ નેતાઓ શહેરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ મામલે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી આ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ કરી હતી. 



શું કહ્યું જેબી સોલંકીએ? 


પોતાના પર થયેલા જીવલેણ હુમલોને લઈ જેબી સોલંકીએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પાછળ ધારાસભ્ય જેઠા ભરવાડનો હાથ છે તેવો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. તેમણે પોલીસ પર પણ નિશાન સાધતા જણાવ્યું હતું કે મેં અવારનવાર પોલીસ પ્રોટેકશન માગ્યું હતું તેમજ જિલ્લા પોલીસવડાને પણ રજૂઆત કરી હતી છતાં પણ મારી કોઈએ નોંધ લીધી નહી. પંચમહાલ એસપીને બંદોબસ્તની રજૂઆત છતાં તેમણે સુરક્ષા આપી નહોતી. તેમણે કહ્યું કે, નંબર પ્લેટ વિનાની કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા શહેરા સિવિલ સામે હુમલો થયો છે. 7 જેટલાં અજાણ્યા શખ્સોએ લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હતો. જો કે જેઠા ભરવાડે આ હુમલામાં તેમનો હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો તેમણે કહ્યું કે જેબી સોલંકી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે. તેમની સામે અનેક કેસો થયેલા છે. હું તો મારી ઓફિસ અમદાવાદમાં બેઠો છું મને આ બાબતે ખબર નથી. જો કે હવે આ સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના સૌની નજર છે. 


ભરત સિંહ સોલંકીએ પણ કર્યા આક્ષેપ


કૉંગ્રેસ નેતા જેબી સોલંકી પર થયેલા હુમલાને લઈ પ્રતિક્રિયા આપતા ભરત સિહ સોલંકીએ ધારાસભ્ય જેઠા ભરવાડ સામે ગંભીર આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય જેઠા ભરવાડે લોકશાહીનું ખૂન કર્યુ છે અને તેમના દ્વારા ગુંડાગર્દી કરવામાં આવે છે તેવા આક્ષેપો તેમણે કર્યો હતા. આ તરફ બનાવને લઈ પોલીસ દ્વારા ફરીયાદ નોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સિવાય પોલીસે અજાણ્યા હુમલાખોરને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.