શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા પર હુમલો, આ કૃત્ય પાછળ જેઠા ભરવાડનો હાથ હોવાનો ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2023-10-10 21:23:44

ભાજપના નેતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ પર એક વખત વિવાદમાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના વિપક્ષના નેતા જેબી સોલંકી પર શહેરા સિવિલ હોસ્પિટલ નજીક ત્રણ રસ્તા પાસે 20 થી 25 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. તેઓના હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે. આ હુમલો શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે કરાવ્યો હોવાનો જેબી સોલંકીએ આરોપ લગાવ્યો છે. હાલ તો ગંભીર રીતે ઘાયલ થયેલા જેબી સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી, ઉષા નાયડુ, શૈલેષ પરમાર સહિત કોંગ્રેસના નેતાઓ આજે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પંચમહાલના પ્રવાસે હતા ત્યારે શહેરામાં કોંગ્રેસના નેતા પર હુમલો થયાની ઘટનાની જાણ તથા આ નેતાઓ શહેરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ મામલે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી આ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ કરી હતી. 



શું કહ્યું જેબી સોલંકીએ? 


પોતાના પર થયેલા જીવલેણ હુમલોને લઈ જેબી સોલંકીએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પાછળ ધારાસભ્ય જેઠા ભરવાડનો હાથ છે તેવો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. તેમણે પોલીસ પર પણ નિશાન સાધતા જણાવ્યું હતું કે મેં અવારનવાર પોલીસ પ્રોટેકશન માગ્યું હતું તેમજ જિલ્લા પોલીસવડાને પણ રજૂઆત કરી હતી છતાં પણ મારી કોઈએ નોંધ લીધી નહી. પંચમહાલ એસપીને બંદોબસ્તની રજૂઆત છતાં તેમણે સુરક્ષા આપી નહોતી. તેમણે કહ્યું કે, નંબર પ્લેટ વિનાની કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા શહેરા સિવિલ સામે હુમલો થયો છે. 7 જેટલાં અજાણ્યા શખ્સોએ લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હતો. જો કે જેઠા ભરવાડે આ હુમલામાં તેમનો હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો તેમણે કહ્યું કે જેબી સોલંકી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે. તેમની સામે અનેક કેસો થયેલા છે. હું તો મારી ઓફિસ અમદાવાદમાં બેઠો છું મને આ બાબતે ખબર નથી. જો કે હવે આ સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના સૌની નજર છે. 


ભરત સિંહ સોલંકીએ પણ કર્યા આક્ષેપ


કૉંગ્રેસ નેતા જેબી સોલંકી પર થયેલા હુમલાને લઈ પ્રતિક્રિયા આપતા ભરત સિહ સોલંકીએ ધારાસભ્ય જેઠા ભરવાડ સામે ગંભીર આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય જેઠા ભરવાડે લોકશાહીનું ખૂન કર્યુ છે અને તેમના દ્વારા ગુંડાગર્દી કરવામાં આવે છે તેવા આક્ષેપો તેમણે કર્યો હતા. આ તરફ બનાવને લઈ પોલીસ દ્વારા ફરીયાદ નોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સિવાય પોલીસે અજાણ્યા હુમલાખોરને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.