શિખર ધવન-આયેશા મુખર્જીના છૂટાછેડાને કોર્ટે આપી મંજુરી, પુત્રની કસ્ટડી અંગે હજુ કોઈ નિર્ણય નથી


  • Published By :
  • Published Date : 2023-10-05 22:57:13

ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જી કાયદેસર રીતે અલગ થઈ ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના ન્યાયાધીશ હરીશ કુમારે છૂટાછેડાની અરજીમાં પત્ની આયેશા મુખર્જી વિરુદ્ધ ધવન દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકારી લીધા અને છૂટાછેડા મંજૂર કર્યા હતા. કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું કે આયેશાએ શિખર પર માનસિક ક્રૂરતા આચરી હતી. ઉલ્લેખનિય છે કે ધવન આયેશા કરતા દસ વર્ષ નાનો છે.


પુત્રની કસ્ટડી અંગે આદેશ નહીં


પટિયાલા હાઉસ કોર્ટે, દંપતિના પુત્રની કાયમી કસ્ટડી અંગે કોઈ આદેશ પસાર કરવાનો ઇનકાર કરતી વખતે, ધવનને તેના પુત્રને મળવાનો અને ભારત અને ઓસ્ટ્રેલિયામાં વાજબી સમયગાળા માટે વીડિયો કૉલ્સ પર તેની સાથે વાતચીત કરવાનો અધિકાર આપ્યો છે. ન્યાયાધીશ હરીશ કુમારે સ્વીકાર્યું હતું કે આયેશાએ ધવનને તેના પુત્રથી એક વર્ષ દૂર રાખીને માનસિક ત્રાસ સહન કરવા દબાણ કર્યું હતું. કોર્ટે આયેશાને શૈક્ષણિક કેલેન્ડર દરમિયાન શાળાની રજાઓના ઓછામાં ઓછા અડધા સમયગાળા માટે ધવન અને તેના પરિવારના સભ્યો સાથે રાત્રિ રોકાણ સહિત મુલાકાતના હેતુ માટે બાળકને ભારત લાવવાનો આદેશ આપ્યો છે. ધવન પોતાના પુત્ર સાથે ભારત અને ઓસ્ટ્રેલિયામાં ઘણો જરૂરી સમય વિતાવી શકશે. તે ઉપરાંત કોર્ટે તેને પોતાના પુત્ર સાથે વીડિયો કોલ પર વાત કરવાની પણ મંજુરીઆપી છે. 


કોર્ટે કહ્યું કે, અરજદાર એક પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ખેલાડી છે અને દેશ માટે ગૌરવની વાત છે. જો તેઓ ભારત સરકાર પાસેથી મદદ માંગે છે, તો પુત્રની કસ્ટડી અથવા મુલાકાતના અધિકારો અંગે ઓસ્ટ્રેલિયન સરકાર પાસેથી મદદ મેળવવાના પ્રયાસો કરવા જોઈએ.


ધવનની અરજી અનુસાર, આયેશાએ પહેલા ભારત આવીને તેની સાથે રહેવાની વાત કરી હતી. જો કે, તેણીએ તેના પૂર્વ પતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને લીધે તેણીએ પાછળથી પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું.


વર્ષ 2012માં થયા હતા લગ્ન 


આયેશાને પહેલા લગ્નથી બે દીકરીઓ છે. તેણે તેના પૂર્વ પતિને વચન આપ્યું હતું કે તે તેની પુત્રીઓ સાથે ઓસ્ટ્રેલિયામાં રહેશે. કોર્ટે આને ધવનની માનસિક સતામણી પણ ગણાવી હતી. આયેશા ધવન પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સભ્યો અને સાથી ખેલાડીઓને અપમાનજનક સંદેશા મોકલવાનો આરોપ પણ સાચો હોવાનું જાણવા મળ્યું હતું.


જો કે આયેશાએ દાવો કર્યો હતો કે તેણે આવા મેસેજ માત્ર ત્રણ લોકોને મોકલ્યા હતા, પરંતુ કોર્ટે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે શિખર ધવનના તે આરોપને પણ સાચો ગણાવ્યો હતો કે કોવિડ દરમિયાન જ્યારે તે તેના પિતા સાથે રહેવા માંગતો હતો ત્યારે પણ આયેશાએ ઉત્પાત મચાવ્યો હતો.


ધવન પર માસિક ખર્ચ માટે કર્યું દબાણ


આયેશા સામેનો આરોપ પણ સાચો હોવાનું જાણવા મળ્યું હતું કે જ્યારે તે તેના પુત્ર સાથે ભારતમાં રહેવા આવી હતી ત્યારે તેણે ધવનને તેની બે પુત્રીઓનો માસિક ખર્ચ મોકલવા દબાણ કર્યું હતું. તેની સ્કૂલની ફી પણ ધવને પોતે જ ચૂકવવી પડી હતી. આવી સ્થિતિમાં, ઘણા સમયથી ધવને તેને દર મહિને લગભગ 10 લાખ રૂપિયા મોકલ્યા હતા.


અદાલતે એ પણ નોંધ્યું હતું કે આયેશાએ બળજબરીથી દબાણ કરીને ઓસ્ટ્રેલિયામાં ધવનની ત્રણ મિલકતોમાં 99% માલિકી હક્કો મેળવ્યા હતો. તે અન્ય બે મિલકતોની સંયુક્ત માલિક પણ બની હતી.


આયેશા અને ધવનનો પ્રેમ ફેસબુક પર થઈ મુલાકાત


ઓસ્ટ્રેલિયાની નાગરિક આયેશાનો જન્મ ભારતમાં થયો હતો. તેના પિતા ભારતીય છે અને માતા બ્રિટિશ મૂળની છે. શિખર કરતાં 10 વર્ષ મોટી આયેશા કિક બોક્સર છે અને તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લીધો છે. આયેશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન સાથે થયા હતા. આ લગ્ન બાદ આયેશાને બે દીકરીઓ આલિયા અને રિયા જન્મી હતી.


2012માં આયેશાએ શિખર સાથે લગ્ન કર્યા હતા. શિખરે આયેશાની દીકરીઓને દત્તક લીધી હતી. આયેશા અને શિખરના પુત્રનું નામ જોરાવર છે. શિખરે આયેશાને પહેલીવાર ફેસબુક પર જોયો અને અહીંથી પ્રેમની શરૂઆત થઈ. આ લવસ્ટોરીમાં હરભજન સિંહે પણ મહત્વની ભૂમિકા હતી.


શિખર ધવનના પરિવારના સભ્યો આયેશા સાથેના લગ્નની વિરુદ્ધ હતા. તે ઈચ્છતો ન હતો કે તે છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે જે તેના કરતા 10 વર્ષ મોટી હતી અને તેને બે દીકરીઓ હતી. જોકે બાદમાં પરિવારે આ સંબંધને મંજૂરી આપી હતી. 2012માં શીખ પરંપરાથી લગ્ન કર્યા હતા. શિખરની લગ્નમાં વિરાટ કોહલી સહિત અનેક ક્રિકેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે