પ્રતિક મુદ્દે ઠાકરે અને શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ વધી, ઠાકરેએ ચૂંટણી પંચના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 20:21:28

મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીના ચૂંટણી પ્રતિકને લઈને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ વધી છે. આજે સોમવારે (10 ઓક્ટોબર) ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના પ્રતીક અને નામ પર ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. શિવસેનાને લઈને બે જૂથો (ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી રાજકીય લડાઈ ચાલી રહી છે. બાળાસાહેબ ઠાકરેની અસલી શિવસેના છે તેવો દાવો બંને જુથ કરી રહ્યા છે. 


શા માટે ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો?


ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથ અને તેમના હરીફ તથા રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને મુંબઈના અંધેરી પૂર્વમાં આગામી પેટાચૂંટણી માટે નવું નામ અને નવું પ્રતીક પસંદ કરવા જણાવ્યું છે. ચૂંટણી પંચે અગાઉ સ્પર્ધકોને પક્ષના નામ અને ચિહ્ન પરના તેમના દાવાને સમર્થન આપવા માટે 8 ઓગસ્ટ સુધીમાં દસ્તાવેજોના પુરાવા સબમિટ કરવા કહ્યું હતું.


આ વિવાદમાં અગાઉ, શિવસેનાના એકનાથ શિંદે જૂથે 4 ઓક્ટોબરે અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ પાસે ધનુષ અને તીરનું ચિહ્ન માંગ્યું હતું. તે જ સમયે, ઉદ્ધવ ઠાકરે જૂથની વિનંતીની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. શનિવારે ઉદ્ધવ ઠાકરે જૂથે તેનો જવાબ આપ્યો અને પ્રતિસ્પર્ધી જૂથ દ્વારા રજુ કરેલા દસ્તાવેજોને કાળજીપૂર્વક તપાસવા માટે વધુ ચાર અઠવાડિયાનો સમય માંગ્યો. જો કે આજે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના પ્રતીક અને નામ પર ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને તેમને ધનુષ અને તીરનું ચિહ્ન મળે તે માટે કોર્ટમાં અપીલ કરી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.