પ્રતિક મુદ્દે ઠાકરે અને શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ વધી, ઠાકરેએ ચૂંટણી પંચના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 20:21:28

મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીના ચૂંટણી પ્રતિકને લઈને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ વધી છે. આજે સોમવારે (10 ઓક્ટોબર) ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના પ્રતીક અને નામ પર ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. શિવસેનાને લઈને બે જૂથો (ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી રાજકીય લડાઈ ચાલી રહી છે. બાળાસાહેબ ઠાકરેની અસલી શિવસેના છે તેવો દાવો બંને જુથ કરી રહ્યા છે. 


શા માટે ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો?


ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથ અને તેમના હરીફ તથા રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને મુંબઈના અંધેરી પૂર્વમાં આગામી પેટાચૂંટણી માટે નવું નામ અને નવું પ્રતીક પસંદ કરવા જણાવ્યું છે. ચૂંટણી પંચે અગાઉ સ્પર્ધકોને પક્ષના નામ અને ચિહ્ન પરના તેમના દાવાને સમર્થન આપવા માટે 8 ઓગસ્ટ સુધીમાં દસ્તાવેજોના પુરાવા સબમિટ કરવા કહ્યું હતું.


આ વિવાદમાં અગાઉ, શિવસેનાના એકનાથ શિંદે જૂથે 4 ઓક્ટોબરે અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ પાસે ધનુષ અને તીરનું ચિહ્ન માંગ્યું હતું. તે જ સમયે, ઉદ્ધવ ઠાકરે જૂથની વિનંતીની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. શનિવારે ઉદ્ધવ ઠાકરે જૂથે તેનો જવાબ આપ્યો અને પ્રતિસ્પર્ધી જૂથ દ્વારા રજુ કરેલા દસ્તાવેજોને કાળજીપૂર્વક તપાસવા માટે વધુ ચાર અઠવાડિયાનો સમય માંગ્યો. જો કે આજે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના પ્રતીક અને નામ પર ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને તેમને ધનુષ અને તીરનું ચિહ્ન મળે તે માટે કોર્ટમાં અપીલ કરી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.