પ્રતિક મુદ્દે ઠાકરે અને શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ વધી, ઠાકરેએ ચૂંટણી પંચના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 20:21:28

મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીના ચૂંટણી પ્રતિકને લઈને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ વધી છે. આજે સોમવારે (10 ઓક્ટોબર) ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના પ્રતીક અને નામ પર ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. શિવસેનાને લઈને બે જૂથો (ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી રાજકીય લડાઈ ચાલી રહી છે. બાળાસાહેબ ઠાકરેની અસલી શિવસેના છે તેવો દાવો બંને જુથ કરી રહ્યા છે. 


શા માટે ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો?


ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથ અને તેમના હરીફ તથા રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને મુંબઈના અંધેરી પૂર્વમાં આગામી પેટાચૂંટણી માટે નવું નામ અને નવું પ્રતીક પસંદ કરવા જણાવ્યું છે. ચૂંટણી પંચે અગાઉ સ્પર્ધકોને પક્ષના નામ અને ચિહ્ન પરના તેમના દાવાને સમર્થન આપવા માટે 8 ઓગસ્ટ સુધીમાં દસ્તાવેજોના પુરાવા સબમિટ કરવા કહ્યું હતું.


આ વિવાદમાં અગાઉ, શિવસેનાના એકનાથ શિંદે જૂથે 4 ઓક્ટોબરે અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ પાસે ધનુષ અને તીરનું ચિહ્ન માંગ્યું હતું. તે જ સમયે, ઉદ્ધવ ઠાકરે જૂથની વિનંતીની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. શનિવારે ઉદ્ધવ ઠાકરે જૂથે તેનો જવાબ આપ્યો અને પ્રતિસ્પર્ધી જૂથ દ્વારા રજુ કરેલા દસ્તાવેજોને કાળજીપૂર્વક તપાસવા માટે વધુ ચાર અઠવાડિયાનો સમય માંગ્યો. જો કે આજે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના પ્રતીક અને નામ પર ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને તેમને ધનુષ અને તીરનું ચિહ્ન મળે તે માટે કોર્ટમાં અપીલ કરી હતી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .