દર મહિને આવતી શિવરાત્રીમાં મહા મહિનાની શિવરાત્રીને શું કામ મનાય છે ખાસ? શું છે તેનું ધાર્મિક મહત્વ


  • Published By :
  • Published Date : 2023-02-08 17:35:00

હિંદુ ધર્મમાં દરેક તિથી તેમજ તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દરેક તિથી કોઈને કોઈ ભગવાન સાથે જોડાયેલી હોય છે. ત્યારે શ્રાવણ માસ, માસિક શિવરાત્રી, મહાશિવરાત્રી તેમજ પ્રદોષના વ્રત મહાદેવને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથીના રોજ ઉજવવામાં આવે છે.    

મહા શિવરાત્રી પર શિવજીની આ આરતીથી દરેક વિઘ્નો દૂર થશે | Aarti of Lord Shiva  on the Maha Shivratri - Divya Bhaskar


મહા મહિનામાં આવતી શિવરાત્રીને કહેવાય છે મહાશિવરાત્રી 

શિવરાત્રી તો દર મહિને આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં માત્ર એક વખત આવે છે. 18 ફેબ્રુઆરીના રોજ આ વર્ષે મહા શિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. આ તહેવારને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને ભક્તો આ પર્વને ધામધૂમથી ઉજવે છે. મહા વદ ચૌદશના દિવસે મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જાણીએ મહાશિવરાત્રી પર ભગવાન શંકરને અતિપ્રિય કેમ છે. 


મહાશિવરાત્રી અંગે શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ     

મહાશિવરાત્રી માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન સદાશિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શંકર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. બીજી પૌરાણીક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે શિવ અને શક્તિ એક થયા હતા. ભગવાન શંકર અને માતાજી વિવાહના બંધનમાં બંધાયા હતા. મહાશિવરાત્રીના દિવસે અનેક સ્થળો પર શિવજીની સવારી પણ કાઢવામાં આવે છે. એવી માન્યતા છે આ દિવસે વિવાહ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે. 


ત્રીજી પૌરાણીક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. જેમાં સોમનાથ, મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ભીમાશંકર સહિતના જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. મહાશિવરાત્રીએ આ 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા તે માટે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં ઉત્સાહ સાથે ઉજવામાં આવે છે.       




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.