દર મહિને આવતી શિવરાત્રીમાં મહા મહિનાની શિવરાત્રીને શું કામ મનાય છે ખાસ? શું છે તેનું ધાર્મિક મહત્વ


  • Published By :
  • Published Date : 2023-02-08 17:35:00

હિંદુ ધર્મમાં દરેક તિથી તેમજ તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દરેક તિથી કોઈને કોઈ ભગવાન સાથે જોડાયેલી હોય છે. ત્યારે શ્રાવણ માસ, માસિક શિવરાત્રી, મહાશિવરાત્રી તેમજ પ્રદોષના વ્રત મહાદેવને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથીના રોજ ઉજવવામાં આવે છે.    

મહા શિવરાત્રી પર શિવજીની આ આરતીથી દરેક વિઘ્નો દૂર થશે | Aarti of Lord Shiva  on the Maha Shivratri - Divya Bhaskar


મહા મહિનામાં આવતી શિવરાત્રીને કહેવાય છે મહાશિવરાત્રી 

શિવરાત્રી તો દર મહિને આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં માત્ર એક વખત આવે છે. 18 ફેબ્રુઆરીના રોજ આ વર્ષે મહા શિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. આ તહેવારને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને ભક્તો આ પર્વને ધામધૂમથી ઉજવે છે. મહા વદ ચૌદશના દિવસે મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જાણીએ મહાશિવરાત્રી પર ભગવાન શંકરને અતિપ્રિય કેમ છે. 


મહાશિવરાત્રી અંગે શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ     

મહાશિવરાત્રી માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન સદાશિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શંકર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. બીજી પૌરાણીક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે શિવ અને શક્તિ એક થયા હતા. ભગવાન શંકર અને માતાજી વિવાહના બંધનમાં બંધાયા હતા. મહાશિવરાત્રીના દિવસે અનેક સ્થળો પર શિવજીની સવારી પણ કાઢવામાં આવે છે. એવી માન્યતા છે આ દિવસે વિવાહ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે. 


ત્રીજી પૌરાણીક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. જેમાં સોમનાથ, મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ભીમાશંકર સહિતના જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. મહાશિવરાત્રીએ આ 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા તે માટે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં ઉત્સાહ સાથે ઉજવામાં આવે છે.       




સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .