દર મહિને આવતી શિવરાત્રીમાં મહા મહિનાની શિવરાત્રીને શું કામ મનાય છે ખાસ? શું છે તેનું ધાર્મિક મહત્વ


  • Published By :
  • Published Date : 2023-02-08 17:35:00

હિંદુ ધર્મમાં દરેક તિથી તેમજ તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દરેક તિથી કોઈને કોઈ ભગવાન સાથે જોડાયેલી હોય છે. ત્યારે શ્રાવણ માસ, માસિક શિવરાત્રી, મહાશિવરાત્રી તેમજ પ્રદોષના વ્રત મહાદેવને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથીના રોજ ઉજવવામાં આવે છે.    

મહા શિવરાત્રી પર શિવજીની આ આરતીથી દરેક વિઘ્નો દૂર થશે | Aarti of Lord Shiva  on the Maha Shivratri - Divya Bhaskar


મહા મહિનામાં આવતી શિવરાત્રીને કહેવાય છે મહાશિવરાત્રી 

શિવરાત્રી તો દર મહિને આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં માત્ર એક વખત આવે છે. 18 ફેબ્રુઆરીના રોજ આ વર્ષે મહા શિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. આ તહેવારને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને ભક્તો આ પર્વને ધામધૂમથી ઉજવે છે. મહા વદ ચૌદશના દિવસે મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જાણીએ મહાશિવરાત્રી પર ભગવાન શંકરને અતિપ્રિય કેમ છે. 


મહાશિવરાત્રી અંગે શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ     

મહાશિવરાત્રી માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન સદાશિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શંકર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. બીજી પૌરાણીક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે શિવ અને શક્તિ એક થયા હતા. ભગવાન શંકર અને માતાજી વિવાહના બંધનમાં બંધાયા હતા. મહાશિવરાત્રીના દિવસે અનેક સ્થળો પર શિવજીની સવારી પણ કાઢવામાં આવે છે. એવી માન્યતા છે આ દિવસે વિવાહ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે. 


ત્રીજી પૌરાણીક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. જેમાં સોમનાથ, મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ભીમાશંકર સહિતના જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. મહાશિવરાત્રીએ આ 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા તે માટે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં ઉત્સાહ સાથે ઉજવામાં આવે છે.       




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .