દર મહિને આવતી શિવરાત્રીમાં મહા મહિનાની શિવરાત્રીને શું કામ મનાય છે ખાસ? શું છે તેનું ધાર્મિક મહત્વ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-08 17:35:00

હિંદુ ધર્મમાં દરેક તિથી તેમજ તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દરેક તિથી કોઈને કોઈ ભગવાન સાથે જોડાયેલી હોય છે. ત્યારે શ્રાવણ માસ, માસિક શિવરાત્રી, મહાશિવરાત્રી તેમજ પ્રદોષના વ્રત મહાદેવને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથીના રોજ ઉજવવામાં આવે છે.    

મહા શિવરાત્રી પર શિવજીની આ આરતીથી દરેક વિઘ્નો દૂર થશે | Aarti of Lord Shiva  on the Maha Shivratri - Divya Bhaskar


મહા મહિનામાં આવતી શિવરાત્રીને કહેવાય છે મહાશિવરાત્રી 

શિવરાત્રી તો દર મહિને આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં માત્ર એક વખત આવે છે. 18 ફેબ્રુઆરીના રોજ આ વર્ષે મહા શિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. આ તહેવારને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને ભક્તો આ પર્વને ધામધૂમથી ઉજવે છે. મહા વદ ચૌદશના દિવસે મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જાણીએ મહાશિવરાત્રી પર ભગવાન શંકરને અતિપ્રિય કેમ છે. 


મહાશિવરાત્રી અંગે શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ     

મહાશિવરાત્રી માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન સદાશિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શંકર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. બીજી પૌરાણીક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે શિવ અને શક્તિ એક થયા હતા. ભગવાન શંકર અને માતાજી વિવાહના બંધનમાં બંધાયા હતા. મહાશિવરાત્રીના દિવસે અનેક સ્થળો પર શિવજીની સવારી પણ કાઢવામાં આવે છે. એવી માન્યતા છે આ દિવસે વિવાહ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે. 


ત્રીજી પૌરાણીક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. જેમાં સોમનાથ, મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ભીમાશંકર સહિતના જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. મહાશિવરાત્રીએ આ 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા તે માટે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં ઉત્સાહ સાથે ઉજવામાં આવે છે.       




લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.