ચૂંટણી પ્રતિક માટેની લડાઈનો અંત, એકનાથ શિંદેને મળ્યું તલવાર-ઢાલનું નવું નિશાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 19:03:33

શિવસેનાના ધનુષ અને તીરના ચૂંટણી પ્રતીક માટે લડી રહેલા ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચેનો ગજગ્રાહ હવે શાંત પડતો જણાઈ રહ્યો છે. ચૂંટણી પંચે મંગળવારે એકનાથ શિંદે જૂથને ચૂંટણી ચિહ્ન જારી કર્યું છે. પંચે શિંદે જૂથને બે તલવારો અને એક ઢાલનું પ્રતીક ફાળવી આપ્યું છે. આ પહેલા સોમવારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને ટોર્ચનું નિશાન ફાળવી આપ્યું હતું તે ઉપરાંત ઉદ્ધવને પાર્ટીનું નવું નામ પણ મળ્યું હતું. ચૂંટણી પંચે ઉદ્ધવને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે રાખવાની પણ મંજૂરી આપી છે. 



જુના ચૂંટણી પ્રતિક 'ધનુષ-બાણ'નું શું થશે?


શિવસેના પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે શનિવારે (8 ઓક્ટોબર) શિવસેનાના ધનુષ અને તીરના પ્રતીકને ફ્રીઝ કરી દીધું હતું. ચૂંટણી પંચે 3 નવેમ્બરે અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણીમાં પક્ષના નામ અને ચૂંટણી ચિન્હ'ધનુષ-બાણ'નો ઉપયોગ કરવા પર બંને પક્ષોને પ્રતિબંધ લગાવ્યો હતો. હવે બંને જૂથને નવા ચૂંટણી પ્રતિક મળી ગયા છે અને પંચે એક ફાઈનલ નામ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. ત્યારે ઉદ્ધવ કે શિંદે બંને જૂથમાંથી હવે કોઈ પણ મૂળ શિવસેના અને તેના નિશાન ધનુષ-બાણ પર ચૂંટણી લડી શકશે નહીં. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .