ચૂંટણી પ્રતિક માટેની લડાઈનો અંત, એકનાથ શિંદેને મળ્યું તલવાર-ઢાલનું નવું નિશાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 19:03:33

શિવસેનાના ધનુષ અને તીરના ચૂંટણી પ્રતીક માટે લડી રહેલા ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચેનો ગજગ્રાહ હવે શાંત પડતો જણાઈ રહ્યો છે. ચૂંટણી પંચે મંગળવારે એકનાથ શિંદે જૂથને ચૂંટણી ચિહ્ન જારી કર્યું છે. પંચે શિંદે જૂથને બે તલવારો અને એક ઢાલનું પ્રતીક ફાળવી આપ્યું છે. આ પહેલા સોમવારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને ટોર્ચનું નિશાન ફાળવી આપ્યું હતું તે ઉપરાંત ઉદ્ધવને પાર્ટીનું નવું નામ પણ મળ્યું હતું. ચૂંટણી પંચે ઉદ્ધવને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે રાખવાની પણ મંજૂરી આપી છે. 



જુના ચૂંટણી પ્રતિક 'ધનુષ-બાણ'નું શું થશે?


શિવસેના પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે શનિવારે (8 ઓક્ટોબર) શિવસેનાના ધનુષ અને તીરના પ્રતીકને ફ્રીઝ કરી દીધું હતું. ચૂંટણી પંચે 3 નવેમ્બરે અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણીમાં પક્ષના નામ અને ચૂંટણી ચિન્હ'ધનુષ-બાણ'નો ઉપયોગ કરવા પર બંને પક્ષોને પ્રતિબંધ લગાવ્યો હતો. હવે બંને જૂથને નવા ચૂંટણી પ્રતિક મળી ગયા છે અને પંચે એક ફાઈનલ નામ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. ત્યારે ઉદ્ધવ કે શિંદે બંને જૂથમાંથી હવે કોઈ પણ મૂળ શિવસેના અને તેના નિશાન ધનુષ-બાણ પર ચૂંટણી લડી શકશે નહીં. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.