Sabarkanthaમાં Shobhanaben Baraiya ફોર્મ ભરવા તો ગયા પણ કાર્યકર્તાઓ ના આવ્યા? ખુરશીઓ ખાલી જોવા મળી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-16 17:22:30

ગુજરાત લોકસભા બેઠક માટે જ્યારથી ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે ત્યારે અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપના ઉમેદવારોનો વિરોધ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસમાં કદાચ એવી ઘટના પહેલી વાર બની જેમાં જાહેર કરેલા ઉમેદવારને બદલવા પડ્યા. બે બેઠકો માટે ભાજપે ઉમેદવારને બદલ્યા... એક બેઠક હતી વડોદરા તો બીજી બેઠક હતી સુરેન્દ્રનગરની.. 

ના માત્ર રાજકોટમાં પરંતુ અનેક બેઠકો પર ગુંચવાયેલો છે પેચ!

થોડાક સમય પેહલા પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીના કારણે રાજકોટ લોકસભા બેઠક ફસાયેલી છે એવું કહેવામાં આવે છે. પણ હકીકત એ છે કે બનાસકાંઠા,સાબરકાંઠા, વલસાડ અને ભરૂચ આ બેઠકો ફસાયેલી છે. વર્તમાન પરિસ્થતિઓને જોતા ભાજપ માટે 26માંથી 26 બેઠકો જીતવી આસાન નથી લાગતી. પણ ભાજપ જો ભયાનક ભીંસમાં કોઈ બેઠક પર હોય તો અને એ પણ પોતાના પાર્ટીના કાર્યકર્તાઓના લીધે તો તે  સાબરકાંઠા લોકસભા બેઠક છે. 




શોભના બારૈયાને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો! 

ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકીટ આપી હતી પરંતુ તે બાદ શોભનાબેન બારૈયાને ભાજપે ટિકીટ આપી. તે બાદ વિરોધ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો. કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો હતો. શોભનાબેનને બદલવામાં આવે તેવી માગ પણ ઉઠી હતી. સાબરકાંઠાથી એક તસવીર સામે આવી છે જેની કલ્પના ભાજપે કદાચ નહીં કરી હોય. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં ઉમેદવાર ફોર્મ ભરવા ગયા , પાછળ ખુરશીઓ ખાલી રહી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે... 



કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે રોષ  

ભાજપના ઉમેદવારના સમર્થનમાં હિંમતનગર ખાતે ભાજપની સભા યોજાઈ ભાજપના ઉમેદવાર શોભના બારૈયા ઉમેદવારી નોંધાવી રહ્યા છે.ભાજપની સભા સ્થળે ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આ ઉપરાંત જોવો આ સાબરકાંઠા ભાજપના એક WhattsApp ગ્રૂપનો સ્ક્રીન શોર્ટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાર્યકરોનો અસંતોષ અને ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આની પેહલા પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ જોવા મળ્યો હતો . અને કાર્યકર્તાઓ એટલે વિરોધ કરી રહ્યા છે કેમ કે કોંગ્રેસના આયાતી પૂર્વ MLA મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બેનને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા લોકસભા બેઠક પર કોનો વિજય થાય છે?  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.