Sabarkanthaમાં Shobhanaben Baraiya ફોર્મ ભરવા તો ગયા પણ કાર્યકર્તાઓ ના આવ્યા? ખુરશીઓ ખાલી જોવા મળી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-16 17:22:30

ગુજરાત લોકસભા બેઠક માટે જ્યારથી ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે ત્યારે અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપના ઉમેદવારોનો વિરોધ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસમાં કદાચ એવી ઘટના પહેલી વાર બની જેમાં જાહેર કરેલા ઉમેદવારને બદલવા પડ્યા. બે બેઠકો માટે ભાજપે ઉમેદવારને બદલ્યા... એક બેઠક હતી વડોદરા તો બીજી બેઠક હતી સુરેન્દ્રનગરની.. 

ના માત્ર રાજકોટમાં પરંતુ અનેક બેઠકો પર ગુંચવાયેલો છે પેચ!

થોડાક સમય પેહલા પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીના કારણે રાજકોટ લોકસભા બેઠક ફસાયેલી છે એવું કહેવામાં આવે છે. પણ હકીકત એ છે કે બનાસકાંઠા,સાબરકાંઠા, વલસાડ અને ભરૂચ આ બેઠકો ફસાયેલી છે. વર્તમાન પરિસ્થતિઓને જોતા ભાજપ માટે 26માંથી 26 બેઠકો જીતવી આસાન નથી લાગતી. પણ ભાજપ જો ભયાનક ભીંસમાં કોઈ બેઠક પર હોય તો અને એ પણ પોતાના પાર્ટીના કાર્યકર્તાઓના લીધે તો તે  સાબરકાંઠા લોકસભા બેઠક છે. 




શોભના બારૈયાને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો! 

ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકીટ આપી હતી પરંતુ તે બાદ શોભનાબેન બારૈયાને ભાજપે ટિકીટ આપી. તે બાદ વિરોધ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો. કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો હતો. શોભનાબેનને બદલવામાં આવે તેવી માગ પણ ઉઠી હતી. સાબરકાંઠાથી એક તસવીર સામે આવી છે જેની કલ્પના ભાજપે કદાચ નહીં કરી હોય. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં ઉમેદવાર ફોર્મ ભરવા ગયા , પાછળ ખુરશીઓ ખાલી રહી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે... 



કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે રોષ  

ભાજપના ઉમેદવારના સમર્થનમાં હિંમતનગર ખાતે ભાજપની સભા યોજાઈ ભાજપના ઉમેદવાર શોભના બારૈયા ઉમેદવારી નોંધાવી રહ્યા છે.ભાજપની સભા સ્થળે ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આ ઉપરાંત જોવો આ સાબરકાંઠા ભાજપના એક WhattsApp ગ્રૂપનો સ્ક્રીન શોર્ટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાર્યકરોનો અસંતોષ અને ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આની પેહલા પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ જોવા મળ્યો હતો . અને કાર્યકર્તાઓ એટલે વિરોધ કરી રહ્યા છે કેમ કે કોંગ્રેસના આયાતી પૂર્વ MLA મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બેનને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા લોકસભા બેઠક પર કોનો વિજય થાય છે?  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"