Sabarkanthaમાં Shobhanaben Baraiya ફોર્મ ભરવા તો ગયા પણ કાર્યકર્તાઓ ના આવ્યા? ખુરશીઓ ખાલી જોવા મળી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-16 17:22:30

ગુજરાત લોકસભા બેઠક માટે જ્યારથી ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે ત્યારે અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપના ઉમેદવારોનો વિરોધ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસમાં કદાચ એવી ઘટના પહેલી વાર બની જેમાં જાહેર કરેલા ઉમેદવારને બદલવા પડ્યા. બે બેઠકો માટે ભાજપે ઉમેદવારને બદલ્યા... એક બેઠક હતી વડોદરા તો બીજી બેઠક હતી સુરેન્દ્રનગરની.. 

ના માત્ર રાજકોટમાં પરંતુ અનેક બેઠકો પર ગુંચવાયેલો છે પેચ!

થોડાક સમય પેહલા પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીના કારણે રાજકોટ લોકસભા બેઠક ફસાયેલી છે એવું કહેવામાં આવે છે. પણ હકીકત એ છે કે બનાસકાંઠા,સાબરકાંઠા, વલસાડ અને ભરૂચ આ બેઠકો ફસાયેલી છે. વર્તમાન પરિસ્થતિઓને જોતા ભાજપ માટે 26માંથી 26 બેઠકો જીતવી આસાન નથી લાગતી. પણ ભાજપ જો ભયાનક ભીંસમાં કોઈ બેઠક પર હોય તો અને એ પણ પોતાના પાર્ટીના કાર્યકર્તાઓના લીધે તો તે  સાબરકાંઠા લોકસભા બેઠક છે. 




શોભના બારૈયાને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો! 

ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકીટ આપી હતી પરંતુ તે બાદ શોભનાબેન બારૈયાને ભાજપે ટિકીટ આપી. તે બાદ વિરોધ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો. કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો હતો. શોભનાબેનને બદલવામાં આવે તેવી માગ પણ ઉઠી હતી. સાબરકાંઠાથી એક તસવીર સામે આવી છે જેની કલ્પના ભાજપે કદાચ નહીં કરી હોય. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં ઉમેદવાર ફોર્મ ભરવા ગયા , પાછળ ખુરશીઓ ખાલી રહી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે... 



કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે રોષ  

ભાજપના ઉમેદવારના સમર્થનમાં હિંમતનગર ખાતે ભાજપની સભા યોજાઈ ભાજપના ઉમેદવાર શોભના બારૈયા ઉમેદવારી નોંધાવી રહ્યા છે.ભાજપની સભા સ્થળે ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આ ઉપરાંત જોવો આ સાબરકાંઠા ભાજપના એક WhattsApp ગ્રૂપનો સ્ક્રીન શોર્ટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાર્યકરોનો અસંતોષ અને ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આની પેહલા પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ જોવા મળ્યો હતો . અને કાર્યકર્તાઓ એટલે વિરોધ કરી રહ્યા છે કેમ કે કોંગ્રેસના આયાતી પૂર્વ MLA મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બેનને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા લોકસભા બેઠક પર કોનો વિજય થાય છે?  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે