Sabarkanthaમાં Shobhanaben Baraiya ફોર્મ ભરવા તો ગયા પણ કાર્યકર્તાઓ ના આવ્યા? ખુરશીઓ ખાલી જોવા મળી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-16 17:22:30

ગુજરાત લોકસભા બેઠક માટે જ્યારથી ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે ત્યારે અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપના ઉમેદવારોનો વિરોધ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસમાં કદાચ એવી ઘટના પહેલી વાર બની જેમાં જાહેર કરેલા ઉમેદવારને બદલવા પડ્યા. બે બેઠકો માટે ભાજપે ઉમેદવારને બદલ્યા... એક બેઠક હતી વડોદરા તો બીજી બેઠક હતી સુરેન્દ્રનગરની.. 

ના માત્ર રાજકોટમાં પરંતુ અનેક બેઠકો પર ગુંચવાયેલો છે પેચ!

થોડાક સમય પેહલા પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીના કારણે રાજકોટ લોકસભા બેઠક ફસાયેલી છે એવું કહેવામાં આવે છે. પણ હકીકત એ છે કે બનાસકાંઠા,સાબરકાંઠા, વલસાડ અને ભરૂચ આ બેઠકો ફસાયેલી છે. વર્તમાન પરિસ્થતિઓને જોતા ભાજપ માટે 26માંથી 26 બેઠકો જીતવી આસાન નથી લાગતી. પણ ભાજપ જો ભયાનક ભીંસમાં કોઈ બેઠક પર હોય તો અને એ પણ પોતાના પાર્ટીના કાર્યકર્તાઓના લીધે તો તે  સાબરકાંઠા લોકસભા બેઠક છે. 




શોભના બારૈયાને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો! 

ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકીટ આપી હતી પરંતુ તે બાદ શોભનાબેન બારૈયાને ભાજપે ટિકીટ આપી. તે બાદ વિરોધ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો. કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો હતો. શોભનાબેનને બદલવામાં આવે તેવી માગ પણ ઉઠી હતી. સાબરકાંઠાથી એક તસવીર સામે આવી છે જેની કલ્પના ભાજપે કદાચ નહીં કરી હોય. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં ઉમેદવાર ફોર્મ ભરવા ગયા , પાછળ ખુરશીઓ ખાલી રહી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે... 



કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે રોષ  

ભાજપના ઉમેદવારના સમર્થનમાં હિંમતનગર ખાતે ભાજપની સભા યોજાઈ ભાજપના ઉમેદવાર શોભના બારૈયા ઉમેદવારી નોંધાવી રહ્યા છે.ભાજપની સભા સ્થળે ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આ ઉપરાંત જોવો આ સાબરકાંઠા ભાજપના એક WhattsApp ગ્રૂપનો સ્ક્રીન શોર્ટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાર્યકરોનો અસંતોષ અને ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આની પેહલા પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ જોવા મળ્યો હતો . અને કાર્યકર્તાઓ એટલે વિરોધ કરી રહ્યા છે કેમ કે કોંગ્રેસના આયાતી પૂર્વ MLA મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બેનને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા લોકસભા બેઠક પર કોનો વિજય થાય છે?  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.