કેરળમાં મહિલા ડોક્ટરની આત્મહત્યાથી ચકચાર, યુવકે દહેજમાં 15 એકર જમીન, સોનું અને BMWની કરી હતી માંગ


  • Published By :
  • Published Date : 2023-12-08 15:14:19

કેરળમાં દહેજની કથિત માંગને કારણે મહિલા ડોક્ટર શહાનાની આત્મહત્યાના કારણે હડકંપ મચી ગયો છે. કેરળ જેવા શિક્ષિત રાજ્યમાં દહેજનો મામલે આત્મહત્યાએ અનેક સવાલો ઉભા કર્યા છે. આ ઘટના બાદ શહાનાના ભાઈએ આરોપ લગાવ્યો હતો કે મારી બહેન જે છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી હતી તે પૈસાનો લાલચુ હતો. તેણે સોનું, BMW કાર અને જમીનની માંગણી કરી હતી, જે અમે આપી શક્યા ન હતા. ઉલ્લેખનિય છે કે 26 વર્ષની શહાના તિરુવનંતપુરમ મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં હતી. તે મેડિકલ કોલેજ પાસે ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને ત્યાં મૃત હાલતમાં મળી આવી હતી.


શા માટે કરી આત્મહત્યા?


ડોક્ટર શહાનાના મૃત્યુ બાદ પરિવારજનોએ જણાવ્યું હતું કે શહાનાનો પ્રેમી પીજી ડોક્ટર હતો અને તેણે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેઓ ભારે દહેજની માંગણી કરતા હતા. આક્ષેપ કર્યો હતો કે છોકરાના પરિવારે સોનું, જમીન અને BMW કાર માંગી હતી જે અમે આપી શક્યા ન હતા. આ કારણોસર તેણે લગ્નમાંથી પીછેહઠ કરી હતી. શહાના આ સહન ન કરી શકી અને પોતાના જીવનનો અંત આણી લીધો. મેડિકલ કોલેજ પોલીસે શહાનાના મૃત્યુ અંગે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.


શહાનાના ભાઈ જસીમ નાઝે કહ્યું કે તેની સગાઈ તૂટ્યા બાદ તે ડિપ્રેશનમાં જતી રહી હતી. જ્યારે તેણે મને આ વિશે કહ્યું, ત્યારે અમે લગ્ન કરાવવાનું નક્કી કર્યું. જ્યારે અમે છોકરાના પરિવાર પાસે ગયા ત્યારે તેઓએ ભારે દહેજની માંગણી કરી હતી, જોકે અમે આટલો ખર્ચ ઉઠાવી શકતા ન હતા. તેથી તેણે લગ્ન કરવાના નિર્ણયથી પીછેહઠ કરી હતી, પરંતુ મારી બહેન તો તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. તેણી ખરેખર તેને પ્રેમ કરતી હતી. પરંતુ જ્યારે રુવાઈઝે દહેજની માંગણી કરીને લગ્નમાંથી પીછેહઠ કરી, ત્યારે બહેન તે આઘાત સહન કરી શકી નહોતી.


દહેજ તરીકે 15 એકર જમીન, સોનું અને BMWની માંગ 


ડૉ. શહાના તેની કૉલેજના ડૉ. રુવાઈઝ સાથે રિલેશનશિપમાં હતી. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ આરોપ છે કે ડૉ. રુવાઈઝના પરિવારે દહેજ તરીકે સોનું, 15 એકર જમીન અને BMW કારની માંગણી કરી હતી. આ માંગ પૂરી ન થતાં સગાઈ તૂટી ગઈ હતી.રિપોર્ટ્સ અનુસાર, 4 ડિસેમ્બરે ડો.શહાનાને રાત્રીના સમયે હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી સોંપવામાં આવી હતી, પરંતુ તે હોસ્પિટલ પહોંચી ન હતી. આ પછી તેના મિત્રોએ તેને ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે શહાનાના મિત્રો ઘરે પહોંચ્યા તો ગેટ બંધ હતો.આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગેટ તોડીને જોયું તો શહાના બેભાન પડી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. એવું માનવામાં છે કે શહાનાએ પોતાને એનેસ્થેસિયાનો હાઈ ડોઝ આપીને આત્મહત્યા કરી લીધી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.