કેરળમાં મહિલા ડોક્ટરની આત્મહત્યાથી ચકચાર, યુવકે દહેજમાં 15 એકર જમીન, સોનું અને BMWની કરી હતી માંગ


  • Published By :
  • Published Date : 2023-12-08 15:14:19

કેરળમાં દહેજની કથિત માંગને કારણે મહિલા ડોક્ટર શહાનાની આત્મહત્યાના કારણે હડકંપ મચી ગયો છે. કેરળ જેવા શિક્ષિત રાજ્યમાં દહેજનો મામલે આત્મહત્યાએ અનેક સવાલો ઉભા કર્યા છે. આ ઘટના બાદ શહાનાના ભાઈએ આરોપ લગાવ્યો હતો કે મારી બહેન જે છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી હતી તે પૈસાનો લાલચુ હતો. તેણે સોનું, BMW કાર અને જમીનની માંગણી કરી હતી, જે અમે આપી શક્યા ન હતા. ઉલ્લેખનિય છે કે 26 વર્ષની શહાના તિરુવનંતપુરમ મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં હતી. તે મેડિકલ કોલેજ પાસે ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને ત્યાં મૃત હાલતમાં મળી આવી હતી.


શા માટે કરી આત્મહત્યા?


ડોક્ટર શહાનાના મૃત્યુ બાદ પરિવારજનોએ જણાવ્યું હતું કે શહાનાનો પ્રેમી પીજી ડોક્ટર હતો અને તેણે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેઓ ભારે દહેજની માંગણી કરતા હતા. આક્ષેપ કર્યો હતો કે છોકરાના પરિવારે સોનું, જમીન અને BMW કાર માંગી હતી જે અમે આપી શક્યા ન હતા. આ કારણોસર તેણે લગ્નમાંથી પીછેહઠ કરી હતી. શહાના આ સહન ન કરી શકી અને પોતાના જીવનનો અંત આણી લીધો. મેડિકલ કોલેજ પોલીસે શહાનાના મૃત્યુ અંગે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.


શહાનાના ભાઈ જસીમ નાઝે કહ્યું કે તેની સગાઈ તૂટ્યા બાદ તે ડિપ્રેશનમાં જતી રહી હતી. જ્યારે તેણે મને આ વિશે કહ્યું, ત્યારે અમે લગ્ન કરાવવાનું નક્કી કર્યું. જ્યારે અમે છોકરાના પરિવાર પાસે ગયા ત્યારે તેઓએ ભારે દહેજની માંગણી કરી હતી, જોકે અમે આટલો ખર્ચ ઉઠાવી શકતા ન હતા. તેથી તેણે લગ્ન કરવાના નિર્ણયથી પીછેહઠ કરી હતી, પરંતુ મારી બહેન તો તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. તેણી ખરેખર તેને પ્રેમ કરતી હતી. પરંતુ જ્યારે રુવાઈઝે દહેજની માંગણી કરીને લગ્નમાંથી પીછેહઠ કરી, ત્યારે બહેન તે આઘાત સહન કરી શકી નહોતી.


દહેજ તરીકે 15 એકર જમીન, સોનું અને BMWની માંગ 


ડૉ. શહાના તેની કૉલેજના ડૉ. રુવાઈઝ સાથે રિલેશનશિપમાં હતી. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ આરોપ છે કે ડૉ. રુવાઈઝના પરિવારે દહેજ તરીકે સોનું, 15 એકર જમીન અને BMW કારની માંગણી કરી હતી. આ માંગ પૂરી ન થતાં સગાઈ તૂટી ગઈ હતી.રિપોર્ટ્સ અનુસાર, 4 ડિસેમ્બરે ડો.શહાનાને રાત્રીના સમયે હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી સોંપવામાં આવી હતી, પરંતુ તે હોસ્પિટલ પહોંચી ન હતી. આ પછી તેના મિત્રોએ તેને ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે શહાનાના મિત્રો ઘરે પહોંચ્યા તો ગેટ બંધ હતો.આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગેટ તોડીને જોયું તો શહાના બેભાન પડી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. એવું માનવામાં છે કે શહાનાએ પોતાને એનેસ્થેસિયાનો હાઈ ડોઝ આપીને આત્મહત્યા કરી લીધી છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.