કેરળમાં મહિલા ડોક્ટરની આત્મહત્યાથી ચકચાર, યુવકે દહેજમાં 15 એકર જમીન, સોનું અને BMWની કરી હતી માંગ


  • Published By :
  • Published Date : 2023-12-08 15:14:19

કેરળમાં દહેજની કથિત માંગને કારણે મહિલા ડોક્ટર શહાનાની આત્મહત્યાના કારણે હડકંપ મચી ગયો છે. કેરળ જેવા શિક્ષિત રાજ્યમાં દહેજનો મામલે આત્મહત્યાએ અનેક સવાલો ઉભા કર્યા છે. આ ઘટના બાદ શહાનાના ભાઈએ આરોપ લગાવ્યો હતો કે મારી બહેન જે છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી હતી તે પૈસાનો લાલચુ હતો. તેણે સોનું, BMW કાર અને જમીનની માંગણી કરી હતી, જે અમે આપી શક્યા ન હતા. ઉલ્લેખનિય છે કે 26 વર્ષની શહાના તિરુવનંતપુરમ મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં હતી. તે મેડિકલ કોલેજ પાસે ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને ત્યાં મૃત હાલતમાં મળી આવી હતી.


શા માટે કરી આત્મહત્યા?


ડોક્ટર શહાનાના મૃત્યુ બાદ પરિવારજનોએ જણાવ્યું હતું કે શહાનાનો પ્રેમી પીજી ડોક્ટર હતો અને તેણે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેઓ ભારે દહેજની માંગણી કરતા હતા. આક્ષેપ કર્યો હતો કે છોકરાના પરિવારે સોનું, જમીન અને BMW કાર માંગી હતી જે અમે આપી શક્યા ન હતા. આ કારણોસર તેણે લગ્નમાંથી પીછેહઠ કરી હતી. શહાના આ સહન ન કરી શકી અને પોતાના જીવનનો અંત આણી લીધો. મેડિકલ કોલેજ પોલીસે શહાનાના મૃત્યુ અંગે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.


શહાનાના ભાઈ જસીમ નાઝે કહ્યું કે તેની સગાઈ તૂટ્યા બાદ તે ડિપ્રેશનમાં જતી રહી હતી. જ્યારે તેણે મને આ વિશે કહ્યું, ત્યારે અમે લગ્ન કરાવવાનું નક્કી કર્યું. જ્યારે અમે છોકરાના પરિવાર પાસે ગયા ત્યારે તેઓએ ભારે દહેજની માંગણી કરી હતી, જોકે અમે આટલો ખર્ચ ઉઠાવી શકતા ન હતા. તેથી તેણે લગ્ન કરવાના નિર્ણયથી પીછેહઠ કરી હતી, પરંતુ મારી બહેન તો તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. તેણી ખરેખર તેને પ્રેમ કરતી હતી. પરંતુ જ્યારે રુવાઈઝે દહેજની માંગણી કરીને લગ્નમાંથી પીછેહઠ કરી, ત્યારે બહેન તે આઘાત સહન કરી શકી નહોતી.


દહેજ તરીકે 15 એકર જમીન, સોનું અને BMWની માંગ 


ડૉ. શહાના તેની કૉલેજના ડૉ. રુવાઈઝ સાથે રિલેશનશિપમાં હતી. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ આરોપ છે કે ડૉ. રુવાઈઝના પરિવારે દહેજ તરીકે સોનું, 15 એકર જમીન અને BMW કારની માંગણી કરી હતી. આ માંગ પૂરી ન થતાં સગાઈ તૂટી ગઈ હતી.રિપોર્ટ્સ અનુસાર, 4 ડિસેમ્બરે ડો.શહાનાને રાત્રીના સમયે હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી સોંપવામાં આવી હતી, પરંતુ તે હોસ્પિટલ પહોંચી ન હતી. આ પછી તેના મિત્રોએ તેને ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે શહાનાના મિત્રો ઘરે પહોંચ્યા તો ગેટ બંધ હતો.આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગેટ તોડીને જોયું તો શહાના બેભાન પડી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. એવું માનવામાં છે કે શહાનાએ પોતાને એનેસ્થેસિયાનો હાઈ ડોઝ આપીને આત્મહત્યા કરી લીધી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.