કેરળમાં મહિલા ડોક્ટરની આત્મહત્યાથી ચકચાર, યુવકે દહેજમાં 15 એકર જમીન, સોનું અને BMWની કરી હતી માંગ


  • Published By :
  • Published Date : 2023-12-08 15:14:19

કેરળમાં દહેજની કથિત માંગને કારણે મહિલા ડોક્ટર શહાનાની આત્મહત્યાના કારણે હડકંપ મચી ગયો છે. કેરળ જેવા શિક્ષિત રાજ્યમાં દહેજનો મામલે આત્મહત્યાએ અનેક સવાલો ઉભા કર્યા છે. આ ઘટના બાદ શહાનાના ભાઈએ આરોપ લગાવ્યો હતો કે મારી બહેન જે છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી હતી તે પૈસાનો લાલચુ હતો. તેણે સોનું, BMW કાર અને જમીનની માંગણી કરી હતી, જે અમે આપી શક્યા ન હતા. ઉલ્લેખનિય છે કે 26 વર્ષની શહાના તિરુવનંતપુરમ મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં હતી. તે મેડિકલ કોલેજ પાસે ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને ત્યાં મૃત હાલતમાં મળી આવી હતી.


શા માટે કરી આત્મહત્યા?


ડોક્ટર શહાનાના મૃત્યુ બાદ પરિવારજનોએ જણાવ્યું હતું કે શહાનાનો પ્રેમી પીજી ડોક્ટર હતો અને તેણે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેઓ ભારે દહેજની માંગણી કરતા હતા. આક્ષેપ કર્યો હતો કે છોકરાના પરિવારે સોનું, જમીન અને BMW કાર માંગી હતી જે અમે આપી શક્યા ન હતા. આ કારણોસર તેણે લગ્નમાંથી પીછેહઠ કરી હતી. શહાના આ સહન ન કરી શકી અને પોતાના જીવનનો અંત આણી લીધો. મેડિકલ કોલેજ પોલીસે શહાનાના મૃત્યુ અંગે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.


શહાનાના ભાઈ જસીમ નાઝે કહ્યું કે તેની સગાઈ તૂટ્યા બાદ તે ડિપ્રેશનમાં જતી રહી હતી. જ્યારે તેણે મને આ વિશે કહ્યું, ત્યારે અમે લગ્ન કરાવવાનું નક્કી કર્યું. જ્યારે અમે છોકરાના પરિવાર પાસે ગયા ત્યારે તેઓએ ભારે દહેજની માંગણી કરી હતી, જોકે અમે આટલો ખર્ચ ઉઠાવી શકતા ન હતા. તેથી તેણે લગ્ન કરવાના નિર્ણયથી પીછેહઠ કરી હતી, પરંતુ મારી બહેન તો તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. તેણી ખરેખર તેને પ્રેમ કરતી હતી. પરંતુ જ્યારે રુવાઈઝે દહેજની માંગણી કરીને લગ્નમાંથી પીછેહઠ કરી, ત્યારે બહેન તે આઘાત સહન કરી શકી નહોતી.


દહેજ તરીકે 15 એકર જમીન, સોનું અને BMWની માંગ 


ડૉ. શહાના તેની કૉલેજના ડૉ. રુવાઈઝ સાથે રિલેશનશિપમાં હતી. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ આરોપ છે કે ડૉ. રુવાઈઝના પરિવારે દહેજ તરીકે સોનું, 15 એકર જમીન અને BMW કારની માંગણી કરી હતી. આ માંગ પૂરી ન થતાં સગાઈ તૂટી ગઈ હતી.રિપોર્ટ્સ અનુસાર, 4 ડિસેમ્બરે ડો.શહાનાને રાત્રીના સમયે હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી સોંપવામાં આવી હતી, પરંતુ તે હોસ્પિટલ પહોંચી ન હતી. આ પછી તેના મિત્રોએ તેને ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે શહાનાના મિત્રો ઘરે પહોંચ્યા તો ગેટ બંધ હતો.આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગેટ તોડીને જોયું તો શહાના બેભાન પડી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. એવું માનવામાં છે કે શહાનાએ પોતાને એનેસ્થેસિયાનો હાઈ ડોઝ આપીને આત્મહત્યા કરી લીધી છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.