Ghaziabadમાં ચોંકવાનારો કિસ્સો! IPSનો Deep Fake Video બનાવી એક વૃદ્ધને ઠગ્યાં, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-02 13:38:46

ડીપફેક અંગે તો ઘણી ચર્ચા થઈ. અનેક બોલિવુડ એક્ટ્રેસના આવા ડિપફેક વીડિયો બન્યા છે અને ઘણા વાયરલ થયા છે. થોડા સમય પહેલા આલિયા ભટ્ટનો આવો વીડિયો વાયરલ થયો હતો. તે સિવાય પણ અનેક એવી અભિનેત્રીઓ છે જેમના આવા વીડિયો સામે આવ્યા છે. ત્યારે વધુ એક ડિપફેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પોલીસ અધિકારી આનો શિકાર બન્યા છે. ગાઝિયાબાદમાં રહેતા એક વૃદ્ધને ન્યુડ કોલ આવે છે અને તેમને બ્લેકમેઈલ કરવામાં આવે. 74 હજાર આપવા માટે દબાણ કરે છે. ડરેલા વૃદ્ધે પૈસા પણ આપી દીધા. આ માહિતી અંગે પરિવારને થોડા સમય પછી ખબર પડી ત્યારે આ અંગે એક મોટો ખુલાસો થયો. 

વૃદ્ધને આવ્યો ન્યુડ વીડિયો કોલ અને પછી.. 

ગાઝિયાબાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણ કે પહેલીવાર જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે અમે પણ ચોંકી ગયા હતા. ગાઝિયાબાદમાં એક વૃદ્ધને બ્લેકમેલ કરી અને 74 હજાર પડાવી લેવામાં આવ્યા સોશિયલ મીડિયા પર એ વૃદ્ધને ન્યુડ વીડિયો કોલ આવ્યો. થોડા સમય પછી એ જે આરોપી છે એને પોતાને પોલીસ અધિકારી બતાયો અને વૃદ્ધને ધમકી આપી કે હું પોલીસ અધિકારી છું જો તમે પૈસા નહીં આપો તો હું તમને ખોટા કેસમાં જેલ ભેગા કરી દઈશ. વૃદ્ધ ડરી ગયા અને પછી આરોપીએ જેટલા પૈસા માંગ્યા એટલા ટ્રાન્સફર કરી દીધા. 


ખોટા કેસમાં ફસાઈ દેવાની વૃદ્ધને આપી ધમકી!

અરવિંદ શર્મા એ વૃદ્ધનું નામ અને તેમની ઉંમર 74 વર્ષ છે. 4 નવેમ્બરે તેમના મોબાઈલ પર વીડિયો કોલ આવ્યો. વીડિયો કોલમાં મહિલા દેખાઈ, ફોન તેમણે કટ કરી દીધો. આ જોઈને તેમણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. લગભગ એક કલાક પછી એમને whatsapp પર બીજો કોલ આવ્યો એ વ્યક્તિ પોલીસના યુનિફોર્મમાં જોવા મળ્યા અને કહ્યું કે હું દિલ્હી પોલીસનો અધિકારી છું અને તમે મને આટલા પૈસા ટ્રાન્સફર કરો નહીં તો હું તમને ખોટા કેસમાં જેલ ભેગા કરી દઈશ.


આરોપીએ આઈપીએસ અધિકારીના ચહેરાનો કર્યો ઉપયોગ! 

આરોપી હોંશિયાર હતો એટલે એને ઉત્તર પ્રદેશના એડીસીના પદ પરથી નિવૃત થયેલા પૂર્વ વરિષ્ઠ આઈપીએસ અધિકારી પ્રેમ પ્રકાશનો ચહેરાનો ઉપયોગ કરી અને આ વૃદ્ધને ઠગ્યા વૃદ્ધ પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી પણ આરોપી તેમને હેરાન કરતો હતો એટલે વૃદ્ધે પોતાની દીકરીને કહ્યું આ આખી ઘટના વિશે. વાત જ્યારે દીકરીને કરી ત્યારે તેમણે કહ્યું કે તમે ટેન્શન ન કરો. તમારી આમાં કોઈ ભૂલ જ નથી. પછી દીકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પછી મોટો ખુલાસો થયો.


હજી સુધી હિરોઈનના બનતા હતા ડિપફેક વીડિયો 

ખુલાસો એવો થયો કે તમે ચોંકી જશો. આપણે અત્યાર સુધી હીરોઈનના ડિપફેક વીડિયો તો જોયા જ છે બસ કંઈ એવી જ રીતના આરોપીએ એઆઈનો ઉપયોગ કરી આઈપીએસ પ્રેમ પ્રકાશનું મોઢું બનાવ્યું અને વૃદ્ધને લૂંટી લીધા. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.