ગોંડલમાં ચોંકવનારી ઘટના, મંદિરમાં જઈ યુવકે કર્યો કમળપૂજાનો પ્રયાસ, ગળા પર ફેરવી છરી


  • Published By :
  • Published Date : 2024-11-13 14:19:21

એક તરફ ગોંડલમાં શ્રદ્ધાની સાથે તુલસીવિવાહનો ઉત્સવ ઉજવાય રહ્યો છે અને બીજુ બાજુ શ્રદ્ધાના નામે કોઈ પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ ગયું છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા હોય છે, જેને નહીં સમજી શકનારા અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે અને એવા કિસ્સાઓ અનેકવાર સામે આવતા હોય છે... રાજકોટના ગોંડલમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. કમળપૂજાના નામે યુવાસે પોતાનો જીવ દેવાનો પ્રયાસ કર્યો છે. 


પોતાનું ગળું કાપીને કરી કમળપૂજા કરવાનો પ્રયાસ!

રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ગોંડલની આસોપાલવ સોસાયટીમાં શેરી નંબર 1માં રહેતા 47 વર્ષિય ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામનો વ્યક્તિ સવારે અગિયાર વાગ્યા આસપાસ ચંદ્રમૌલેશ્વર મંદિરમાં પહોંચ્યો હતો.



ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!

ભોજપરા વિસ્તારમાં આવેલા ચંદ્રમૌલેશ્વર મંદિરમાં શિવજીની સામે ધર્મેન્દ્રસિંહે કમળપૂજાની કોશિશ કરતા લોહીનો રેલો ચાલવા લાગ્યો. આ દ્રશ્યો જોઈને મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા ભક્તોમાં દોડાદોડી થઈ ગઈ. ગંભીર હાલતમાં તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જો કે વધુ તેની હાલત વધુ ગંભીર હોવાથી તેને રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રસિંહ ઝાલા શિવજીના ભક્ત છે અને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બે ભાઈઓમાં પોતે મોટા છે. મુંબઈમાં કોન્ટ્રાક્ટ રાખીને કામ કરે છે. બે મહિનાથી તે રજા પર ગોંડલ આવ્યા છે. હાલ તો તેણે આવુ શા માટે કર્યું તે બોલી શકતા નથી. ગોંડલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. 


શું કહે છે વિજ્ઞાન જાથાના ચેરમેન?

ગોંડલના ભોજપરાના મહાદેવ મંદિરમાં કમળ પૂજાનો મામલે ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો આવ્યો છતાં અંધશ્રદ્ધાના કિસ્સા અટકવાનું નામ લેતા નથી. હતાશામાં આવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગોંડલ જઇ વિજ્ઞાન જાથા આ કેસમાં તપાસ કરશે. તપાસનીશ અધિકારી પાસેથી પણ માહિતી માંગવામાં આવશે.



થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.