ગોંડલમાં ચોંકવનારી ઘટના, મંદિરમાં જઈ યુવકે કર્યો કમળપૂજાનો પ્રયાસ, ગળા પર ફેરવી છરી


  • Published By :
  • Published Date : 2024-11-13 14:19:21

એક તરફ ગોંડલમાં શ્રદ્ધાની સાથે તુલસીવિવાહનો ઉત્સવ ઉજવાય રહ્યો છે અને બીજુ બાજુ શ્રદ્ધાના નામે કોઈ પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ ગયું છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા હોય છે, જેને નહીં સમજી શકનારા અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે અને એવા કિસ્સાઓ અનેકવાર સામે આવતા હોય છે... રાજકોટના ગોંડલમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. કમળપૂજાના નામે યુવાસે પોતાનો જીવ દેવાનો પ્રયાસ કર્યો છે. 


પોતાનું ગળું કાપીને કરી કમળપૂજા કરવાનો પ્રયાસ!

રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ગોંડલની આસોપાલવ સોસાયટીમાં શેરી નંબર 1માં રહેતા 47 વર્ષિય ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામનો વ્યક્તિ સવારે અગિયાર વાગ્યા આસપાસ ચંદ્રમૌલેશ્વર મંદિરમાં પહોંચ્યો હતો.



ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!

ભોજપરા વિસ્તારમાં આવેલા ચંદ્રમૌલેશ્વર મંદિરમાં શિવજીની સામે ધર્મેન્દ્રસિંહે કમળપૂજાની કોશિશ કરતા લોહીનો રેલો ચાલવા લાગ્યો. આ દ્રશ્યો જોઈને મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા ભક્તોમાં દોડાદોડી થઈ ગઈ. ગંભીર હાલતમાં તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જો કે વધુ તેની હાલત વધુ ગંભીર હોવાથી તેને રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રસિંહ ઝાલા શિવજીના ભક્ત છે અને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બે ભાઈઓમાં પોતે મોટા છે. મુંબઈમાં કોન્ટ્રાક્ટ રાખીને કામ કરે છે. બે મહિનાથી તે રજા પર ગોંડલ આવ્યા છે. હાલ તો તેણે આવુ શા માટે કર્યું તે બોલી શકતા નથી. ગોંડલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. 


શું કહે છે વિજ્ઞાન જાથાના ચેરમેન?

ગોંડલના ભોજપરાના મહાદેવ મંદિરમાં કમળ પૂજાનો મામલે ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો આવ્યો છતાં અંધશ્રદ્ધાના કિસ્સા અટકવાનું નામ લેતા નથી. હતાશામાં આવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગોંડલ જઇ વિજ્ઞાન જાથા આ કેસમાં તપાસ કરશે. તપાસનીશ અધિકારી પાસેથી પણ માહિતી માંગવામાં આવશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .