ગોંડલમાં ચોંકવનારી ઘટના, મંદિરમાં જઈ યુવકે કર્યો કમળપૂજાનો પ્રયાસ, ગળા પર ફેરવી છરી


  • Published By :
  • Published Date : 2024-11-13 14:19:21

એક તરફ ગોંડલમાં શ્રદ્ધાની સાથે તુલસીવિવાહનો ઉત્સવ ઉજવાય રહ્યો છે અને બીજુ બાજુ શ્રદ્ધાના નામે કોઈ પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ ગયું છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા હોય છે, જેને નહીં સમજી શકનારા અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે અને એવા કિસ્સાઓ અનેકવાર સામે આવતા હોય છે... રાજકોટના ગોંડલમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. કમળપૂજાના નામે યુવાસે પોતાનો જીવ દેવાનો પ્રયાસ કર્યો છે. 


પોતાનું ગળું કાપીને કરી કમળપૂજા કરવાનો પ્રયાસ!

રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ગોંડલની આસોપાલવ સોસાયટીમાં શેરી નંબર 1માં રહેતા 47 વર્ષિય ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામનો વ્યક્તિ સવારે અગિયાર વાગ્યા આસપાસ ચંદ્રમૌલેશ્વર મંદિરમાં પહોંચ્યો હતો.



ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!

ભોજપરા વિસ્તારમાં આવેલા ચંદ્રમૌલેશ્વર મંદિરમાં શિવજીની સામે ધર્મેન્દ્રસિંહે કમળપૂજાની કોશિશ કરતા લોહીનો રેલો ચાલવા લાગ્યો. આ દ્રશ્યો જોઈને મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા ભક્તોમાં દોડાદોડી થઈ ગઈ. ગંભીર હાલતમાં તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જો કે વધુ તેની હાલત વધુ ગંભીર હોવાથી તેને રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રસિંહ ઝાલા શિવજીના ભક્ત છે અને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બે ભાઈઓમાં પોતે મોટા છે. મુંબઈમાં કોન્ટ્રાક્ટ રાખીને કામ કરે છે. બે મહિનાથી તે રજા પર ગોંડલ આવ્યા છે. હાલ તો તેણે આવુ શા માટે કર્યું તે બોલી શકતા નથી. ગોંડલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. 


શું કહે છે વિજ્ઞાન જાથાના ચેરમેન?

ગોંડલના ભોજપરાના મહાદેવ મંદિરમાં કમળ પૂજાનો મામલે ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો આવ્યો છતાં અંધશ્રદ્ધાના કિસ્સા અટકવાનું નામ લેતા નથી. હતાશામાં આવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગોંડલ જઇ વિજ્ઞાન જાથા આ કેસમાં તપાસ કરશે. તપાસનીશ અધિકારી પાસેથી પણ માહિતી માંગવામાં આવશે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.