ગોંડલમાં ચોંકવનારી ઘટના, મંદિરમાં જઈ યુવકે કર્યો કમળપૂજાનો પ્રયાસ, ગળા પર ફેરવી છરી


  • Published By :
  • Published Date : 2024-11-13 14:19:21

એક તરફ ગોંડલમાં શ્રદ્ધાની સાથે તુલસીવિવાહનો ઉત્સવ ઉજવાય રહ્યો છે અને બીજુ બાજુ શ્રદ્ધાના નામે કોઈ પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ ગયું છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા હોય છે, જેને નહીં સમજી શકનારા અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે અને એવા કિસ્સાઓ અનેકવાર સામે આવતા હોય છે... રાજકોટના ગોંડલમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. કમળપૂજાના નામે યુવાસે પોતાનો જીવ દેવાનો પ્રયાસ કર્યો છે. 


પોતાનું ગળું કાપીને કરી કમળપૂજા કરવાનો પ્રયાસ!

રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ગોંડલની આસોપાલવ સોસાયટીમાં શેરી નંબર 1માં રહેતા 47 વર્ષિય ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામનો વ્યક્તિ સવારે અગિયાર વાગ્યા આસપાસ ચંદ્રમૌલેશ્વર મંદિરમાં પહોંચ્યો હતો.



ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!

ભોજપરા વિસ્તારમાં આવેલા ચંદ્રમૌલેશ્વર મંદિરમાં શિવજીની સામે ધર્મેન્દ્રસિંહે કમળપૂજાની કોશિશ કરતા લોહીનો રેલો ચાલવા લાગ્યો. આ દ્રશ્યો જોઈને મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા ભક્તોમાં દોડાદોડી થઈ ગઈ. ગંભીર હાલતમાં તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જો કે વધુ તેની હાલત વધુ ગંભીર હોવાથી તેને રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રસિંહ ઝાલા શિવજીના ભક્ત છે અને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બે ભાઈઓમાં પોતે મોટા છે. મુંબઈમાં કોન્ટ્રાક્ટ રાખીને કામ કરે છે. બે મહિનાથી તે રજા પર ગોંડલ આવ્યા છે. હાલ તો તેણે આવુ શા માટે કર્યું તે બોલી શકતા નથી. ગોંડલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. 


શું કહે છે વિજ્ઞાન જાથાના ચેરમેન?

ગોંડલના ભોજપરાના મહાદેવ મંદિરમાં કમળ પૂજાનો મામલે ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો આવ્યો છતાં અંધશ્રદ્ધાના કિસ્સા અટકવાનું નામ લેતા નથી. હતાશામાં આવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગોંડલ જઇ વિજ્ઞાન જાથા આ કેસમાં તપાસ કરશે. તપાસનીશ અધિકારી પાસેથી પણ માહિતી માંગવામાં આવશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.