ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીનો ચોંકાવનારો રિપોર્ટ! વધતા અકસ્માત પાછળ આ જવાબદાર? જાણો વર્ષ 2022માં કેટલા લોકોએ અકસ્માતને કારણે ગુમાવ્યો જીવ


  • Published By :
  • Published Date : 2023-06-08 09:42:46

રોડ અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના સભ્યોને ગુમાવ્યા હશે. વધતા રોડ અકસ્માતનું કારણ છે ઓવર સ્પીડ. યુવાનો રસ્તા પર સ્ટંટ કરવા તેમજ કલર કરવા ઘણી વખત ઓવર સ્પીડમાં વાહન ચલાવતા હોય. જેને એ લોકો તો પોતાના જીવન જોખમમાં મૂકે છે પરંતુ બીજાના જીવનને પણ જોખમ તેમના કારણે તોળાતું હોય છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જે મુજબ વર્ષ 2022માં 7618 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિપોર્ટમાં અકસ્માતો કેમ થાય છે તેના તારણો પણ આપવામાં આવ્યા છે તેમાં સૌથી વધારે અકસ્માત ઓવરસ્પીડને કારણે થાય છે અને મૃત્યુ પામનારા લોકો 18 વર્ષથી 45 વર્ષની વચ્ચેના હોય છે. 


અકસ્માતને કારણે 2022માં આટલા લોકોએ ગુમાવ્યા જીવ!

આ જગ્યાએ આજે અકસ્માત થયો, પેલી જગ્યાએ થયેલા અકસ્માતમાં આટલા લોકોના મોત થયા તેવા સમાચારો આપણે વાંચતા હોઈએ છીએ. દિવસ દરમિયાન અનેક અકસ્માતો થતાં હશે અને અનેક લોકો પોતાનો જીવ અકસ્માતને કારણે ગુમાવતા હશે. ત્યારે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2022માં 15 હજાર જેટલા અકસ્માતો થયા અને તેમાં મૃત્યુ પામનાર લોકો મુખ્યત્વે યુવાનો હતા. આ રિપોર્ટમાં અકસ્માતો કેમ થાય છે તેના તારણો પણ બતાવવામાં આવ્યા છે. ઓવર સ્પીડિંગને કારણે સૌથી વધારે અકસ્માત સર્જાય છે તે સિવાય નવા વાહનોથી પણ સર્જાતા અકસ્માતોની સંખ્યા વધી રહી છે. નવા વાહનો જલ્દીથી પીક પકડી લેતા હોય છે પરંતુ સ્પીડ પર કંટ્રોલ નથી રહેતો જેને કારણે વાહન અથડાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે. 


ઓવરસ્પીડિંગને કારણે મુખ્યત્વે સર્જાય છે અકસ્માત! 

જો બીજા તારણોની વાત કરીએ તો સૌથી વધારે અકસ્માત ટુ વ્હીલર્સના થાય છે. મુખ્યત્વે જીવ ગુમાવનારાઓની સંખ્યા ડ્રાઈવરોની હોય છે. તે સિવાય મૃત્યુ પામનારાઓની સંખ્યા પુરૂષની વધારે છે સ્ત્રીઓ કરતા. ઘણી વખત રાહદારીઓ વાહનચાલકોની ભૂલનો સજા ભોગવતા હોય છે. રાહદારીઓ અડફેટે આવે છે અને જીવ ગુમાવે  છે. એવું પણ તારણ સામે આવ્યું છે જેમાં સાંજના સમયે તેમજ વેકેશનના સમયે એક્સિડન્ટ વધારે થાય છે. રિપોર્ટ અનુસાર જે લોકોના અકસ્માત થયા છે તેમાંથી 2470 જેટલા વાહનચાલકોએ હેલ્મેટ પહેર્યું ન હતું. હેલ્મેટને સુરક્ષા કવચ માનવામાં આવે છે અને વાહન ચલાવતી વખતે જરૂરી પણ છે. પરંતુ અનેક લોકો કાયદાનું પાલન નથી કરતા અને અકસ્માતનો ભોગ બને છે. યુવાનોએ અકસ્માતોમાં પોતાના જીવ ગુમાવ્યા છે.



વાહન ચલાવતી વખતે કરવું જોઈએ નિયમોનું પાલન!

એક્સિડન્ટ સ્પોર્ટની વાત કરીએ તો અમદાવાદમાં 44 જેટલા બ્લેકસ્પોટ આવ્યા છે. તે સિવાય ગાંધીનગરમાં 11 જેટલા બ્લેકસ્પોટ છે. વડોદરામાં 22, પંચમહાલમાં 40 જેટલા, રાજકોટમાં તેમજ સુરતમાં 18 જેટલા, મોરબી તેમજ ખેડામાં 7 જેટલા, વલસાડમાં 24 જેટલા સ્પોટ આવ્યા છે. ત્યારે તમારા ઓવરસ્પીડની મજા બીજા લોકો માટે તેમજ તમારા પરિવાર માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. અને વાહનચલાવતી વખતે કાયદાઓનું પાલન કરવું જોઈએ.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.