ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીનો ચોંકાવનારો રિપોર્ટ! વધતા અકસ્માત પાછળ આ જવાબદાર? જાણો વર્ષ 2022માં કેટલા લોકોએ અકસ્માતને કારણે ગુમાવ્યો જીવ


  • Published By :
  • Published Date : 2023-06-08 09:42:46

રોડ અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના સભ્યોને ગુમાવ્યા હશે. વધતા રોડ અકસ્માતનું કારણ છે ઓવર સ્પીડ. યુવાનો રસ્તા પર સ્ટંટ કરવા તેમજ કલર કરવા ઘણી વખત ઓવર સ્પીડમાં વાહન ચલાવતા હોય. જેને એ લોકો તો પોતાના જીવન જોખમમાં મૂકે છે પરંતુ બીજાના જીવનને પણ જોખમ તેમના કારણે તોળાતું હોય છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જે મુજબ વર્ષ 2022માં 7618 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિપોર્ટમાં અકસ્માતો કેમ થાય છે તેના તારણો પણ આપવામાં આવ્યા છે તેમાં સૌથી વધારે અકસ્માત ઓવરસ્પીડને કારણે થાય છે અને મૃત્યુ પામનારા લોકો 18 વર્ષથી 45 વર્ષની વચ્ચેના હોય છે. 


અકસ્માતને કારણે 2022માં આટલા લોકોએ ગુમાવ્યા જીવ!

આ જગ્યાએ આજે અકસ્માત થયો, પેલી જગ્યાએ થયેલા અકસ્માતમાં આટલા લોકોના મોત થયા તેવા સમાચારો આપણે વાંચતા હોઈએ છીએ. દિવસ દરમિયાન અનેક અકસ્માતો થતાં હશે અને અનેક લોકો પોતાનો જીવ અકસ્માતને કારણે ગુમાવતા હશે. ત્યારે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2022માં 15 હજાર જેટલા અકસ્માતો થયા અને તેમાં મૃત્યુ પામનાર લોકો મુખ્યત્વે યુવાનો હતા. આ રિપોર્ટમાં અકસ્માતો કેમ થાય છે તેના તારણો પણ બતાવવામાં આવ્યા છે. ઓવર સ્પીડિંગને કારણે સૌથી વધારે અકસ્માત સર્જાય છે તે સિવાય નવા વાહનોથી પણ સર્જાતા અકસ્માતોની સંખ્યા વધી રહી છે. નવા વાહનો જલ્દીથી પીક પકડી લેતા હોય છે પરંતુ સ્પીડ પર કંટ્રોલ નથી રહેતો જેને કારણે વાહન અથડાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે. 


ઓવરસ્પીડિંગને કારણે મુખ્યત્વે સર્જાય છે અકસ્માત! 

જો બીજા તારણોની વાત કરીએ તો સૌથી વધારે અકસ્માત ટુ વ્હીલર્સના થાય છે. મુખ્યત્વે જીવ ગુમાવનારાઓની સંખ્યા ડ્રાઈવરોની હોય છે. તે સિવાય મૃત્યુ પામનારાઓની સંખ્યા પુરૂષની વધારે છે સ્ત્રીઓ કરતા. ઘણી વખત રાહદારીઓ વાહનચાલકોની ભૂલનો સજા ભોગવતા હોય છે. રાહદારીઓ અડફેટે આવે છે અને જીવ ગુમાવે  છે. એવું પણ તારણ સામે આવ્યું છે જેમાં સાંજના સમયે તેમજ વેકેશનના સમયે એક્સિડન્ટ વધારે થાય છે. રિપોર્ટ અનુસાર જે લોકોના અકસ્માત થયા છે તેમાંથી 2470 જેટલા વાહનચાલકોએ હેલ્મેટ પહેર્યું ન હતું. હેલ્મેટને સુરક્ષા કવચ માનવામાં આવે છે અને વાહન ચલાવતી વખતે જરૂરી પણ છે. પરંતુ અનેક લોકો કાયદાનું પાલન નથી કરતા અને અકસ્માતનો ભોગ બને છે. યુવાનોએ અકસ્માતોમાં પોતાના જીવ ગુમાવ્યા છે.



વાહન ચલાવતી વખતે કરવું જોઈએ નિયમોનું પાલન!

એક્સિડન્ટ સ્પોર્ટની વાત કરીએ તો અમદાવાદમાં 44 જેટલા બ્લેકસ્પોટ આવ્યા છે. તે સિવાય ગાંધીનગરમાં 11 જેટલા બ્લેકસ્પોટ છે. વડોદરામાં 22, પંચમહાલમાં 40 જેટલા, રાજકોટમાં તેમજ સુરતમાં 18 જેટલા, મોરબી તેમજ ખેડામાં 7 જેટલા, વલસાડમાં 24 જેટલા સ્પોટ આવ્યા છે. ત્યારે તમારા ઓવરસ્પીડની મજા બીજા લોકો માટે તેમજ તમારા પરિવાર માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. અને વાહનચલાવતી વખતે કાયદાઓનું પાલન કરવું જોઈએ.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.