ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીનો ચોંકાવનારો રિપોર્ટ! વધતા અકસ્માત પાછળ આ જવાબદાર? જાણો વર્ષ 2022માં કેટલા લોકોએ અકસ્માતને કારણે ગુમાવ્યો જીવ


  • Published By :
  • Published Date : 2023-06-08 09:42:46

રોડ અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના સભ્યોને ગુમાવ્યા હશે. વધતા રોડ અકસ્માતનું કારણ છે ઓવર સ્પીડ. યુવાનો રસ્તા પર સ્ટંટ કરવા તેમજ કલર કરવા ઘણી વખત ઓવર સ્પીડમાં વાહન ચલાવતા હોય. જેને એ લોકો તો પોતાના જીવન જોખમમાં મૂકે છે પરંતુ બીજાના જીવનને પણ જોખમ તેમના કારણે તોળાતું હોય છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જે મુજબ વર્ષ 2022માં 7618 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિપોર્ટમાં અકસ્માતો કેમ થાય છે તેના તારણો પણ આપવામાં આવ્યા છે તેમાં સૌથી વધારે અકસ્માત ઓવરસ્પીડને કારણે થાય છે અને મૃત્યુ પામનારા લોકો 18 વર્ષથી 45 વર્ષની વચ્ચેના હોય છે. 


અકસ્માતને કારણે 2022માં આટલા લોકોએ ગુમાવ્યા જીવ!

આ જગ્યાએ આજે અકસ્માત થયો, પેલી જગ્યાએ થયેલા અકસ્માતમાં આટલા લોકોના મોત થયા તેવા સમાચારો આપણે વાંચતા હોઈએ છીએ. દિવસ દરમિયાન અનેક અકસ્માતો થતાં હશે અને અનેક લોકો પોતાનો જીવ અકસ્માતને કારણે ગુમાવતા હશે. ત્યારે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2022માં 15 હજાર જેટલા અકસ્માતો થયા અને તેમાં મૃત્યુ પામનાર લોકો મુખ્યત્વે યુવાનો હતા. આ રિપોર્ટમાં અકસ્માતો કેમ થાય છે તેના તારણો પણ બતાવવામાં આવ્યા છે. ઓવર સ્પીડિંગને કારણે સૌથી વધારે અકસ્માત સર્જાય છે તે સિવાય નવા વાહનોથી પણ સર્જાતા અકસ્માતોની સંખ્યા વધી રહી છે. નવા વાહનો જલ્દીથી પીક પકડી લેતા હોય છે પરંતુ સ્પીડ પર કંટ્રોલ નથી રહેતો જેને કારણે વાહન અથડાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે. 


ઓવરસ્પીડિંગને કારણે મુખ્યત્વે સર્જાય છે અકસ્માત! 

જો બીજા તારણોની વાત કરીએ તો સૌથી વધારે અકસ્માત ટુ વ્હીલર્સના થાય છે. મુખ્યત્વે જીવ ગુમાવનારાઓની સંખ્યા ડ્રાઈવરોની હોય છે. તે સિવાય મૃત્યુ પામનારાઓની સંખ્યા પુરૂષની વધારે છે સ્ત્રીઓ કરતા. ઘણી વખત રાહદારીઓ વાહનચાલકોની ભૂલનો સજા ભોગવતા હોય છે. રાહદારીઓ અડફેટે આવે છે અને જીવ ગુમાવે  છે. એવું પણ તારણ સામે આવ્યું છે જેમાં સાંજના સમયે તેમજ વેકેશનના સમયે એક્સિડન્ટ વધારે થાય છે. રિપોર્ટ અનુસાર જે લોકોના અકસ્માત થયા છે તેમાંથી 2470 જેટલા વાહનચાલકોએ હેલ્મેટ પહેર્યું ન હતું. હેલ્મેટને સુરક્ષા કવચ માનવામાં આવે છે અને વાહન ચલાવતી વખતે જરૂરી પણ છે. પરંતુ અનેક લોકો કાયદાનું પાલન નથી કરતા અને અકસ્માતનો ભોગ બને છે. યુવાનોએ અકસ્માતોમાં પોતાના જીવ ગુમાવ્યા છે.



વાહન ચલાવતી વખતે કરવું જોઈએ નિયમોનું પાલન!

એક્સિડન્ટ સ્પોર્ટની વાત કરીએ તો અમદાવાદમાં 44 જેટલા બ્લેકસ્પોટ આવ્યા છે. તે સિવાય ગાંધીનગરમાં 11 જેટલા બ્લેકસ્પોટ છે. વડોદરામાં 22, પંચમહાલમાં 40 જેટલા, રાજકોટમાં તેમજ સુરતમાં 18 જેટલા, મોરબી તેમજ ખેડામાં 7 જેટલા, વલસાડમાં 24 જેટલા સ્પોટ આવ્યા છે. ત્યારે તમારા ઓવરસ્પીડની મજા બીજા લોકો માટે તેમજ તમારા પરિવાર માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. અને વાહનચલાવતી વખતે કાયદાઓનું પાલન કરવું જોઈએ.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.