રામ મંદિર અને CM યોગીને ઉડાવી દેવાની ધમકીના કેસમાં ચોંકાવનારો ખુલાસો, 2 આરોપીઓની ધરપકડ, માસ્ટરમાઇન્ડ ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-04 22:02:52

અયોધ્યામાં શ્રી રામ મંદિર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં જુબેર ખાનના નામની આઈડીથી મેલ કરવામાં આવ્યા હતા જો કે તપાસ બાદ જાણવા મળ્યું કે નફરત ફેલાવવા મુસ્લિમ નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રી રામ મંદિર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગોંડાના રહેવાસી તહર સિંહ અને ઓમ પ્રકાશની ધરપકડ કરી છે. આરોપીઓએ ISIના ઝુબેર ખાનના નામે મુખ્યમંત્રી યોગી, ADG STF અમિતાભ યશ, દેવેન્દ્ર તિવારી અને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.


પોલીસ પુછપરછમાં સત્ય સામે આવ્યું


પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે બંથરાના રહેવાસી ભારતીય ખેડૂત નેતા દેવેન્દ્ર તિવારી એનજીઓ ચલાવે છે. તેની વિરૂધ્ધ માણેકનગર, આશિયાના, બંથરા, ગૌતમપલ્લી અને આલમબાગમાં ઘણા કેસ નોંધાયેલા છે. આરોપીઓએ જણાવ્યું કે તેઓ દેવેન્દ્રના આલમબાગ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સની ઓફિસમાં કામ કરે છે.બીજો આરોપી ઓમપ્રકાશ પણ આ જ કોલેજમાંથી ઓપ્ટોમેટ્રીમાં બે વર્ષનો ડિપ્લોમા કરી રહ્યો છે. દેવેન્દ્ર તિવારીની સૂચના પર જ તહર સિંહે ધમકીનો સંદેશ મોકલવા માટે નકલી ઈમેલ આઈડી બનાવ્યું હતું. ત્યારબાદ  બે મોબાઈલ ફોન ખરીદ્યા બાદ આ મેઈલ મોકલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આ ધમકી સંદેશાઓ માટે ઈ-મેલ આઈડી - lamansarikhan608@gmail.com અને zubairkhanisi199@gmail.comનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈમેલ આઈડી ટ્રેસ કરવામાં આવ્યું અને માહિતી મળી કે ઈમેલ આઈડી બનાવનાર વ્યક્તિનું નામ તાહર સિંહ છે. જ્યારે ધમકીનો મેલ મોકલનાર વ્યક્તિનું નામ ઓમ પ્રકાશ મિશ્રા છે.


શા માટે કર્યો મેલ?


મેઈલ મોકલ્યા બાદ દેવેન્દ્ર તિવારીએ મોબાઈલ ફોનને સળગાવીને નાશ કર્યો હતો. મેઈલ મોકલવા માટે ઓફિસમાં લગાવેલા વાઈફાઈ રાઉટરમાંથી ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓએ તે પણ જણાવ્યું કે દેવેન્દ્ર તિવારીએ તેમને કહ્યું હતું કે આનાથી તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ થઈ જશે અને સુરક્ષા પણ વધી જશે. આ સિવાય મોટો રાજકીય ફાયદો પણ થશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.