રામ મંદિર અને CM યોગીને ઉડાવી દેવાની ધમકીના કેસમાં ચોંકાવનારો ખુલાસો, 2 આરોપીઓની ધરપકડ, માસ્ટરમાઇન્ડ ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-04 22:02:52

અયોધ્યામાં શ્રી રામ મંદિર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં જુબેર ખાનના નામની આઈડીથી મેલ કરવામાં આવ્યા હતા જો કે તપાસ બાદ જાણવા મળ્યું કે નફરત ફેલાવવા મુસ્લિમ નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રી રામ મંદિર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગોંડાના રહેવાસી તહર સિંહ અને ઓમ પ્રકાશની ધરપકડ કરી છે. આરોપીઓએ ISIના ઝુબેર ખાનના નામે મુખ્યમંત્રી યોગી, ADG STF અમિતાભ યશ, દેવેન્દ્ર તિવારી અને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.


પોલીસ પુછપરછમાં સત્ય સામે આવ્યું


પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે બંથરાના રહેવાસી ભારતીય ખેડૂત નેતા દેવેન્દ્ર તિવારી એનજીઓ ચલાવે છે. તેની વિરૂધ્ધ માણેકનગર, આશિયાના, બંથરા, ગૌતમપલ્લી અને આલમબાગમાં ઘણા કેસ નોંધાયેલા છે. આરોપીઓએ જણાવ્યું કે તેઓ દેવેન્દ્રના આલમબાગ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સની ઓફિસમાં કામ કરે છે.બીજો આરોપી ઓમપ્રકાશ પણ આ જ કોલેજમાંથી ઓપ્ટોમેટ્રીમાં બે વર્ષનો ડિપ્લોમા કરી રહ્યો છે. દેવેન્દ્ર તિવારીની સૂચના પર જ તહર સિંહે ધમકીનો સંદેશ મોકલવા માટે નકલી ઈમેલ આઈડી બનાવ્યું હતું. ત્યારબાદ  બે મોબાઈલ ફોન ખરીદ્યા બાદ આ મેઈલ મોકલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આ ધમકી સંદેશાઓ માટે ઈ-મેલ આઈડી - lamansarikhan608@gmail.com અને zubairkhanisi199@gmail.comનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈમેલ આઈડી ટ્રેસ કરવામાં આવ્યું અને માહિતી મળી કે ઈમેલ આઈડી બનાવનાર વ્યક્તિનું નામ તાહર સિંહ છે. જ્યારે ધમકીનો મેલ મોકલનાર વ્યક્તિનું નામ ઓમ પ્રકાશ મિશ્રા છે.


શા માટે કર્યો મેલ?


મેઈલ મોકલ્યા બાદ દેવેન્દ્ર તિવારીએ મોબાઈલ ફોનને સળગાવીને નાશ કર્યો હતો. મેઈલ મોકલવા માટે ઓફિસમાં લગાવેલા વાઈફાઈ રાઉટરમાંથી ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓએ તે પણ જણાવ્યું કે દેવેન્દ્ર તિવારીએ તેમને કહ્યું હતું કે આનાથી તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ થઈ જશે અને સુરક્ષા પણ વધી જશે. આ સિવાય મોટો રાજકીય ફાયદો પણ થશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.