રામ મંદિર અને CM યોગીને ઉડાવી દેવાની ધમકીના કેસમાં ચોંકાવનારો ખુલાસો, 2 આરોપીઓની ધરપકડ, માસ્ટરમાઇન્ડ ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-04 22:02:52

અયોધ્યામાં શ્રી રામ મંદિર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં જુબેર ખાનના નામની આઈડીથી મેલ કરવામાં આવ્યા હતા જો કે તપાસ બાદ જાણવા મળ્યું કે નફરત ફેલાવવા મુસ્લિમ નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રી રામ મંદિર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગોંડાના રહેવાસી તહર સિંહ અને ઓમ પ્રકાશની ધરપકડ કરી છે. આરોપીઓએ ISIના ઝુબેર ખાનના નામે મુખ્યમંત્રી યોગી, ADG STF અમિતાભ યશ, દેવેન્દ્ર તિવારી અને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.


પોલીસ પુછપરછમાં સત્ય સામે આવ્યું


પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે બંથરાના રહેવાસી ભારતીય ખેડૂત નેતા દેવેન્દ્ર તિવારી એનજીઓ ચલાવે છે. તેની વિરૂધ્ધ માણેકનગર, આશિયાના, બંથરા, ગૌતમપલ્લી અને આલમબાગમાં ઘણા કેસ નોંધાયેલા છે. આરોપીઓએ જણાવ્યું કે તેઓ દેવેન્દ્રના આલમબાગ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સની ઓફિસમાં કામ કરે છે.બીજો આરોપી ઓમપ્રકાશ પણ આ જ કોલેજમાંથી ઓપ્ટોમેટ્રીમાં બે વર્ષનો ડિપ્લોમા કરી રહ્યો છે. દેવેન્દ્ર તિવારીની સૂચના પર જ તહર સિંહે ધમકીનો સંદેશ મોકલવા માટે નકલી ઈમેલ આઈડી બનાવ્યું હતું. ત્યારબાદ  બે મોબાઈલ ફોન ખરીદ્યા બાદ આ મેઈલ મોકલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આ ધમકી સંદેશાઓ માટે ઈ-મેલ આઈડી - lamansarikhan608@gmail.com અને zubairkhanisi199@gmail.comનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈમેલ આઈડી ટ્રેસ કરવામાં આવ્યું અને માહિતી મળી કે ઈમેલ આઈડી બનાવનાર વ્યક્તિનું નામ તાહર સિંહ છે. જ્યારે ધમકીનો મેલ મોકલનાર વ્યક્તિનું નામ ઓમ પ્રકાશ મિશ્રા છે.


શા માટે કર્યો મેલ?


મેઈલ મોકલ્યા બાદ દેવેન્દ્ર તિવારીએ મોબાઈલ ફોનને સળગાવીને નાશ કર્યો હતો. મેઈલ મોકલવા માટે ઓફિસમાં લગાવેલા વાઈફાઈ રાઉટરમાંથી ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓએ તે પણ જણાવ્યું કે દેવેન્દ્ર તિવારીએ તેમને કહ્યું હતું કે આનાથી તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ થઈ જશે અને સુરક્ષા પણ વધી જશે. આ સિવાય મોટો રાજકીય ફાયદો પણ થશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.