રામ મંદિર અને CM યોગીને ઉડાવી દેવાની ધમકીના કેસમાં ચોંકાવનારો ખુલાસો, 2 આરોપીઓની ધરપકડ, માસ્ટરમાઇન્ડ ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-04 22:02:52

અયોધ્યામાં શ્રી રામ મંદિર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં જુબેર ખાનના નામની આઈડીથી મેલ કરવામાં આવ્યા હતા જો કે તપાસ બાદ જાણવા મળ્યું કે નફરત ફેલાવવા મુસ્લિમ નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રી રામ મંદિર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગોંડાના રહેવાસી તહર સિંહ અને ઓમ પ્રકાશની ધરપકડ કરી છે. આરોપીઓએ ISIના ઝુબેર ખાનના નામે મુખ્યમંત્રી યોગી, ADG STF અમિતાભ યશ, દેવેન્દ્ર તિવારી અને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.


પોલીસ પુછપરછમાં સત્ય સામે આવ્યું


પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે બંથરાના રહેવાસી ભારતીય ખેડૂત નેતા દેવેન્દ્ર તિવારી એનજીઓ ચલાવે છે. તેની વિરૂધ્ધ માણેકનગર, આશિયાના, બંથરા, ગૌતમપલ્લી અને આલમબાગમાં ઘણા કેસ નોંધાયેલા છે. આરોપીઓએ જણાવ્યું કે તેઓ દેવેન્દ્રના આલમબાગ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સની ઓફિસમાં કામ કરે છે.બીજો આરોપી ઓમપ્રકાશ પણ આ જ કોલેજમાંથી ઓપ્ટોમેટ્રીમાં બે વર્ષનો ડિપ્લોમા કરી રહ્યો છે. દેવેન્દ્ર તિવારીની સૂચના પર જ તહર સિંહે ધમકીનો સંદેશ મોકલવા માટે નકલી ઈમેલ આઈડી બનાવ્યું હતું. ત્યારબાદ  બે મોબાઈલ ફોન ખરીદ્યા બાદ આ મેઈલ મોકલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આ ધમકી સંદેશાઓ માટે ઈ-મેલ આઈડી - lamansarikhan608@gmail.com અને zubairkhanisi199@gmail.comનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈમેલ આઈડી ટ્રેસ કરવામાં આવ્યું અને માહિતી મળી કે ઈમેલ આઈડી બનાવનાર વ્યક્તિનું નામ તાહર સિંહ છે. જ્યારે ધમકીનો મેલ મોકલનાર વ્યક્તિનું નામ ઓમ પ્રકાશ મિશ્રા છે.


શા માટે કર્યો મેલ?


મેઈલ મોકલ્યા બાદ દેવેન્દ્ર તિવારીએ મોબાઈલ ફોનને સળગાવીને નાશ કર્યો હતો. મેઈલ મોકલવા માટે ઓફિસમાં લગાવેલા વાઈફાઈ રાઉટરમાંથી ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓએ તે પણ જણાવ્યું કે દેવેન્દ્ર તિવારીએ તેમને કહ્યું હતું કે આનાથી તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ થઈ જશે અને સુરક્ષા પણ વધી જશે. આ સિવાય મોટો રાજકીય ફાયદો પણ થશે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.