નવસારીના યુવાનની અમેરિકાના ન્યૂપોર્ટ શહેરમાં ગોળીબાર, સત્યેન નાયકના હત્યારાએ પણ કરી આત્મહત્યા


  • Published By :
  • Published Date : 2023-12-07 16:53:44

ગુજરાતીઓમાં અમેરિકા જવાની ઘેલશા વધી રહી છે, લોકો કોઈ પણ ભોગે અને કિંમત પર અમેરિકા જવા માટે હવાતિયા મારતા રહે છે. જો કે બીજી હકીકત એ પણ છે કે અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા વધી રહ્યા છે. અમેરિકાના વિવિધ શહેરોમાં સ્ટોર કે મોટેલ ચલાવતા ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમેરિકામાં મંગળવારે વધુ એક ગુજરાતી યુવાનને અમેરિકામાં મોતને ઘાત ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. નવસારી જિલ્લાનો સત્યેન નાઈક નામનો આ યુવાન અમેરિકામાં મોટલ ચલાવતો હતો. યુવકની હત્યાના સમાચાર મળતા જ સત્યેન નાયક પરિવારજનો અને સોનવાડી ગામમાં શોકનો માહોલનો જોવા મળી રહ્યો છે.


હત્યારાએ પણ કરી આત્મહત્યા


ગુજરાતના નવસારી જિલ્લાના સોનવાડી ગામનો 46 વર્ષીય સત્યેન નાયક નોર્થ કેરોલિનાના ન્યૂપોર્ટ શહેરમાં મોટેલ ચલાવતો હતો. સત્યેન નાયકની ન્યૂપોર્ટ શહેરમાં જ એક બેઘર વ્યક્તિએ ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી. આ હત્યારાની ઓળખ ટોરી કેલ્લમ તરીકે કરવામાં આવી છે,  59 ટેરીએ સત્યેન પર ફાયરિંગ કર્યા બાદ પોતાના પર ગોળીબાર કરીને મોતને વ્હાલુ કર્યું હતું. 


ફાયરિંગના સમાચાર મળતા પોલીસ પહોંચી


ન્યુપોર્ટ શહેરમાં એક મોટેલ માલિક પર ફાયરિંગના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચ્યા બાદ તાત્કાલિક ઘાયલ સત્યેન નાઈકને ઈમર્જન્સી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જો કે તેણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. બાદમાં બેરીકેડ પાછળ છુપાયેલા હત્યારા ટેરીએ કેલ્લમે પણ પોતાના પર ગોળીબાર કરી આત્મહત્યા કરી લીધી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.