નવસારીના યુવાનની અમેરિકાના ન્યૂપોર્ટ શહેરમાં ગોળીબાર, સત્યેન નાયકના હત્યારાએ પણ કરી આત્મહત્યા


  • Published By :
  • Published Date : 2023-12-07 16:53:44

ગુજરાતીઓમાં અમેરિકા જવાની ઘેલશા વધી રહી છે, લોકો કોઈ પણ ભોગે અને કિંમત પર અમેરિકા જવા માટે હવાતિયા મારતા રહે છે. જો કે બીજી હકીકત એ પણ છે કે અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા વધી રહ્યા છે. અમેરિકાના વિવિધ શહેરોમાં સ્ટોર કે મોટેલ ચલાવતા ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમેરિકામાં મંગળવારે વધુ એક ગુજરાતી યુવાનને અમેરિકામાં મોતને ઘાત ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. નવસારી જિલ્લાનો સત્યેન નાઈક નામનો આ યુવાન અમેરિકામાં મોટલ ચલાવતો હતો. યુવકની હત્યાના સમાચાર મળતા જ સત્યેન નાયક પરિવારજનો અને સોનવાડી ગામમાં શોકનો માહોલનો જોવા મળી રહ્યો છે.


હત્યારાએ પણ કરી આત્મહત્યા


ગુજરાતના નવસારી જિલ્લાના સોનવાડી ગામનો 46 વર્ષીય સત્યેન નાયક નોર્થ કેરોલિનાના ન્યૂપોર્ટ શહેરમાં મોટેલ ચલાવતો હતો. સત્યેન નાયકની ન્યૂપોર્ટ શહેરમાં જ એક બેઘર વ્યક્તિએ ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી. આ હત્યારાની ઓળખ ટોરી કેલ્લમ તરીકે કરવામાં આવી છે,  59 ટેરીએ સત્યેન પર ફાયરિંગ કર્યા બાદ પોતાના પર ગોળીબાર કરીને મોતને વ્હાલુ કર્યું હતું. 


ફાયરિંગના સમાચાર મળતા પોલીસ પહોંચી


ન્યુપોર્ટ શહેરમાં એક મોટેલ માલિક પર ફાયરિંગના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચ્યા બાદ તાત્કાલિક ઘાયલ સત્યેન નાઈકને ઈમર્જન્સી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જો કે તેણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. બાદમાં બેરીકેડ પાછળ છુપાયેલા હત્યારા ટેરીએ કેલ્લમે પણ પોતાના પર ગોળીબાર કરી આત્મહત્યા કરી લીધી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.