નવસારીના યુવાનની અમેરિકાના ન્યૂપોર્ટ શહેરમાં ગોળીબાર, સત્યેન નાયકના હત્યારાએ પણ કરી આત્મહત્યા


  • Published By :
  • Published Date : 2023-12-07 16:53:44

ગુજરાતીઓમાં અમેરિકા જવાની ઘેલશા વધી રહી છે, લોકો કોઈ પણ ભોગે અને કિંમત પર અમેરિકા જવા માટે હવાતિયા મારતા રહે છે. જો કે બીજી હકીકત એ પણ છે કે અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા વધી રહ્યા છે. અમેરિકાના વિવિધ શહેરોમાં સ્ટોર કે મોટેલ ચલાવતા ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમેરિકામાં મંગળવારે વધુ એક ગુજરાતી યુવાનને અમેરિકામાં મોતને ઘાત ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. નવસારી જિલ્લાનો સત્યેન નાઈક નામનો આ યુવાન અમેરિકામાં મોટલ ચલાવતો હતો. યુવકની હત્યાના સમાચાર મળતા જ સત્યેન નાયક પરિવારજનો અને સોનવાડી ગામમાં શોકનો માહોલનો જોવા મળી રહ્યો છે.


હત્યારાએ પણ કરી આત્મહત્યા


ગુજરાતના નવસારી જિલ્લાના સોનવાડી ગામનો 46 વર્ષીય સત્યેન નાયક નોર્થ કેરોલિનાના ન્યૂપોર્ટ શહેરમાં મોટેલ ચલાવતો હતો. સત્યેન નાયકની ન્યૂપોર્ટ શહેરમાં જ એક બેઘર વ્યક્તિએ ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી. આ હત્યારાની ઓળખ ટોરી કેલ્લમ તરીકે કરવામાં આવી છે,  59 ટેરીએ સત્યેન પર ફાયરિંગ કર્યા બાદ પોતાના પર ગોળીબાર કરીને મોતને વ્હાલુ કર્યું હતું. 


ફાયરિંગના સમાચાર મળતા પોલીસ પહોંચી


ન્યુપોર્ટ શહેરમાં એક મોટેલ માલિક પર ફાયરિંગના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચ્યા બાદ તાત્કાલિક ઘાયલ સત્યેન નાઈકને ઈમર્જન્સી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જો કે તેણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. બાદમાં બેરીકેડ પાછળ છુપાયેલા હત્યારા ટેરીએ કેલ્લમે પણ પોતાના પર ગોળીબાર કરી આત્મહત્યા કરી લીધી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી