નવસારીના યુવાનની અમેરિકાના ન્યૂપોર્ટ શહેરમાં ગોળીબાર, સત્યેન નાયકના હત્યારાએ પણ કરી આત્મહત્યા


  • Published By :
  • Published Date : 2023-12-07 16:53:44

ગુજરાતીઓમાં અમેરિકા જવાની ઘેલશા વધી રહી છે, લોકો કોઈ પણ ભોગે અને કિંમત પર અમેરિકા જવા માટે હવાતિયા મારતા રહે છે. જો કે બીજી હકીકત એ પણ છે કે અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા વધી રહ્યા છે. અમેરિકાના વિવિધ શહેરોમાં સ્ટોર કે મોટેલ ચલાવતા ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમેરિકામાં મંગળવારે વધુ એક ગુજરાતી યુવાનને અમેરિકામાં મોતને ઘાત ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. નવસારી જિલ્લાનો સત્યેન નાઈક નામનો આ યુવાન અમેરિકામાં મોટલ ચલાવતો હતો. યુવકની હત્યાના સમાચાર મળતા જ સત્યેન નાયક પરિવારજનો અને સોનવાડી ગામમાં શોકનો માહોલનો જોવા મળી રહ્યો છે.


હત્યારાએ પણ કરી આત્મહત્યા


ગુજરાતના નવસારી જિલ્લાના સોનવાડી ગામનો 46 વર્ષીય સત્યેન નાયક નોર્થ કેરોલિનાના ન્યૂપોર્ટ શહેરમાં મોટેલ ચલાવતો હતો. સત્યેન નાયકની ન્યૂપોર્ટ શહેરમાં જ એક બેઘર વ્યક્તિએ ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી. આ હત્યારાની ઓળખ ટોરી કેલ્લમ તરીકે કરવામાં આવી છે,  59 ટેરીએ સત્યેન પર ફાયરિંગ કર્યા બાદ પોતાના પર ગોળીબાર કરીને મોતને વ્હાલુ કર્યું હતું. 


ફાયરિંગના સમાચાર મળતા પોલીસ પહોંચી


ન્યુપોર્ટ શહેરમાં એક મોટેલ માલિક પર ફાયરિંગના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચ્યા બાદ તાત્કાલિક ઘાયલ સત્યેન નાઈકને ઈમર્જન્સી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જો કે તેણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. બાદમાં બેરીકેડ પાછળ છુપાયેલા હત્યારા ટેરીએ કેલ્લમે પણ પોતાના પર ગોળીબાર કરી આત્મહત્યા કરી લીધી હતી.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે