રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 1,327 તબીબોની ઘટ, 546 ડોક્ટરોએ આપ્યું રાજીનામું, આ જિલ્લામાં સૌથી વધુ અછત


  • Published By :
  • Published Date : 2023-11-08 16:27:41

રાજ્યની સરકાર આરોગ્ય સેવાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવા માગે છે પણ વાસ્તવિક્તા એ છે કે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની ભારે અછત છે. મળતી વિગતો મુજબ રાજ્યની અનેક સરકારી હોસ્પિટલોમાં 1327 ડોક્ટરોની ઘટ છે. રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 546 તબીબોએ રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં ક્લાસ-1 ડોક્ટરોની 637 જગ્યાઓ અને ક્લાસ-2ની 630 જગ્યા હાલ ખાલી છે, જેના કારણે ગરીબ દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી.  ડોક્ટરો ઉપરાંત પેરામેડિકલ સ્ટાફની 2 હજાર પોસ્ટ પણ છેલ્લા ઘણા સમયથી ભરાઈ નથી.


દાહોદમાં તબીબોની સૌથી વધુ ઘટ


રાજ્યમાં ડોક્ટરોની ઘટ પર એક નજર કરીએ તો આદિવાસી જિલ્લાઓમાં સરકારી ડોક્ટરો નોકરી કરવા જ તૈયાર નથી. દાહોદ જિલ્લામાં સૌથી વધુ તબીબોની ઘટ છે. જિલ્લાના CHCમાં સૌથી વધુ 448 અને PHCમાં 273 જગ્યા ખાલી છે. સરકારી ડોક્ટરોની ઘટ ઓછી કરવા માટે રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 2,653 જેટલા બોન્ડેડ ડોક્ટરોની નિમણૂંક કરી હતી. જો સરકારના આદેશ છતાં માત્ર 797 જેટલા તબીબો જ ફરજ પર હાજર થયા હતા. 


બોન્ડેડ ડોક્ટરોની બગાવત


રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તબીબોની તીવ્ર અછત ધરાવતા અલગ-અલગ જિલ્લાઓમાં 2,653 બોન્ડેડ તબીબોને ઓર્ડર આપવામાં આવ્યો હતો. જો કે રાજ્ય સરકારના હુકમની ઐસીતૈસી કરતા 546 તબીબોએ તેમની 5 લાખની બોન્ડની રકમ જમા કરાવવા પણ તૈયાર થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે મેડિકલનો અભ્યાસ કરતા 546 તબીબોએ 5 લાખની બોન્ડ રકમ પેટે કુલ 27.30 કરોડ જમા કરાવ્યા હતા. જ્યારે 1,310 તબીબો એવા છે કે જેમણે નોકરી પણ નથી સ્વિકારી અને બોન્ડ પણ ભર્યા નથી. હવે રાજ્ય સરકાર આ તબીબો સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.