રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 1,327 તબીબોની ઘટ, 546 ડોક્ટરોએ આપ્યું રાજીનામું, આ જિલ્લામાં સૌથી વધુ અછત


  • Published By :
  • Published Date : 2023-11-08 16:27:41

રાજ્યની સરકાર આરોગ્ય સેવાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવા માગે છે પણ વાસ્તવિક્તા એ છે કે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની ભારે અછત છે. મળતી વિગતો મુજબ રાજ્યની અનેક સરકારી હોસ્પિટલોમાં 1327 ડોક્ટરોની ઘટ છે. રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 546 તબીબોએ રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં ક્લાસ-1 ડોક્ટરોની 637 જગ્યાઓ અને ક્લાસ-2ની 630 જગ્યા હાલ ખાલી છે, જેના કારણે ગરીબ દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી.  ડોક્ટરો ઉપરાંત પેરામેડિકલ સ્ટાફની 2 હજાર પોસ્ટ પણ છેલ્લા ઘણા સમયથી ભરાઈ નથી.


દાહોદમાં તબીબોની સૌથી વધુ ઘટ


રાજ્યમાં ડોક્ટરોની ઘટ પર એક નજર કરીએ તો આદિવાસી જિલ્લાઓમાં સરકારી ડોક્ટરો નોકરી કરવા જ તૈયાર નથી. દાહોદ જિલ્લામાં સૌથી વધુ તબીબોની ઘટ છે. જિલ્લાના CHCમાં સૌથી વધુ 448 અને PHCમાં 273 જગ્યા ખાલી છે. સરકારી ડોક્ટરોની ઘટ ઓછી કરવા માટે રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 2,653 જેટલા બોન્ડેડ ડોક્ટરોની નિમણૂંક કરી હતી. જો સરકારના આદેશ છતાં માત્ર 797 જેટલા તબીબો જ ફરજ પર હાજર થયા હતા. 


બોન્ડેડ ડોક્ટરોની બગાવત


રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તબીબોની તીવ્ર અછત ધરાવતા અલગ-અલગ જિલ્લાઓમાં 2,653 બોન્ડેડ તબીબોને ઓર્ડર આપવામાં આવ્યો હતો. જો કે રાજ્ય સરકારના હુકમની ઐસીતૈસી કરતા 546 તબીબોએ તેમની 5 લાખની બોન્ડની રકમ જમા કરાવવા પણ તૈયાર થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે મેડિકલનો અભ્યાસ કરતા 546 તબીબોએ 5 લાખની બોન્ડ રકમ પેટે કુલ 27.30 કરોડ જમા કરાવ્યા હતા. જ્યારે 1,310 તબીબો એવા છે કે જેમણે નોકરી પણ નથી સ્વિકારી અને બોન્ડ પણ ભર્યા નથી. હવે રાજ્ય સરકાર આ તબીબો સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી