રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 1,327 તબીબોની ઘટ, 546 ડોક્ટરોએ આપ્યું રાજીનામું, આ જિલ્લામાં સૌથી વધુ અછત


  • Published By :
  • Published Date : 2023-11-08 16:27:41

રાજ્યની સરકાર આરોગ્ય સેવાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવા માગે છે પણ વાસ્તવિક્તા એ છે કે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની ભારે અછત છે. મળતી વિગતો મુજબ રાજ્યની અનેક સરકારી હોસ્પિટલોમાં 1327 ડોક્ટરોની ઘટ છે. રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 546 તબીબોએ રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં ક્લાસ-1 ડોક્ટરોની 637 જગ્યાઓ અને ક્લાસ-2ની 630 જગ્યા હાલ ખાલી છે, જેના કારણે ગરીબ દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી.  ડોક્ટરો ઉપરાંત પેરામેડિકલ સ્ટાફની 2 હજાર પોસ્ટ પણ છેલ્લા ઘણા સમયથી ભરાઈ નથી.


દાહોદમાં તબીબોની સૌથી વધુ ઘટ


રાજ્યમાં ડોક્ટરોની ઘટ પર એક નજર કરીએ તો આદિવાસી જિલ્લાઓમાં સરકારી ડોક્ટરો નોકરી કરવા જ તૈયાર નથી. દાહોદ જિલ્લામાં સૌથી વધુ તબીબોની ઘટ છે. જિલ્લાના CHCમાં સૌથી વધુ 448 અને PHCમાં 273 જગ્યા ખાલી છે. સરકારી ડોક્ટરોની ઘટ ઓછી કરવા માટે રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 2,653 જેટલા બોન્ડેડ ડોક્ટરોની નિમણૂંક કરી હતી. જો સરકારના આદેશ છતાં માત્ર 797 જેટલા તબીબો જ ફરજ પર હાજર થયા હતા. 


બોન્ડેડ ડોક્ટરોની બગાવત


રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તબીબોની તીવ્ર અછત ધરાવતા અલગ-અલગ જિલ્લાઓમાં 2,653 બોન્ડેડ તબીબોને ઓર્ડર આપવામાં આવ્યો હતો. જો કે રાજ્ય સરકારના હુકમની ઐસીતૈસી કરતા 546 તબીબોએ તેમની 5 લાખની બોન્ડની રકમ જમા કરાવવા પણ તૈયાર થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે મેડિકલનો અભ્યાસ કરતા 546 તબીબોએ 5 લાખની બોન્ડ રકમ પેટે કુલ 27.30 કરોડ જમા કરાવ્યા હતા. જ્યારે 1,310 તબીબો એવા છે કે જેમણે નોકરી પણ નથી સ્વિકારી અને બોન્ડ પણ ભર્યા નથી. હવે રાજ્ય સરકાર આ તબીબો સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.