સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના રાજીનામાનો વિવાદ વકર્યો, SPGના પ્રમુખ લાલજી પટેલે કર્યું સમર્થન


  • Published By :
  • Published Date : 2023-12-25 19:03:03

સૌરાષ્ટ્રના સિદસર ઉમિયાધામના પ્રમુખના રાજીનામાનો વિવાદ વધુ વકરી રહ્યો છે. નકલી ટોલનાકા કાંડમાં ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશીભાઈનું નામ આવતા રાજીનામાની માગ બુલંદ બની છે. આ મુદ્દે પાટીદાર સમાજના 2 જૂથ સામસામા આવી ગયા છે. મનોજ પનારા જૂથે જેરામ પટેલના રાજીનામાની માંગ કરી છે. તો બીજી તરફ SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનુ સમર્થન કરી રાજીનામાની વાતને વખોડીને દીકરાની ભૂલ પિતા શા માટે ભોગવે તેવું નિવેદન આપ્યું છે.


મનોજ પનારાએ આપી ચીમકી


રાજકોટમાં કડવા પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં સમાજની બદનામી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને સિદસર સ્થિત ઉમિયાધામની બેઠક કે જે 6 જાન્યુઆરીના રોજ મળવાની છે. જેમાં પ્રમુખ પદેથી જેરામ પટેલ રાજીનામુ આપે તેવી ચર્ચા ચાલી રહી છે. જેને ધ્યાને લઈને આજની બેઠકમાં આંદોલનના કાર્યક્રમ પર હાલ પુરતી રોક મુકવામાં આવી છે. જો તે રાજીનામુ નહીં આપે તો સૌરાષ્ટ્રના 22 તાલુકામાં બેઠક યોજાશે. સાથે જ જેરામ પટેલના રાજીનામાને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવશે. રાજીનામુ નહીં આપે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેરામ પટેલના   કાર્યકાળના 13 વર્ષનો હિસાબ ચેરીટી કમિશનર પાસે માંગવામાં આવશે. આવનાર પ્રમુખ સમાજ માટે ટાઈમ,ટિકિટ અને ટિફિન પોતાના ખિસ્સામાંથી ખર્ચી શકે તેવી અપેક્ષા છે. બીજી તરફ લાલજી પટેલે કહ્યું કે જેરામ પટેલના પુત્ર ટોલનાકા કૌભાંડમાં સંડોવાયેલો છે તેમાં પિતાનો શું વાંક ? તેમને સમાજે સજા ન કરવી જોઇએ.


SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનુ સમર્થન 


જેરામ પટેલના રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના 2 જૂથ સામસામા આવી ગયા છે. મનોજ પનારા જૂથે જેરામ પટેલના રાજીનામાની માંગ કરી છે, બીજી તરફ SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનું સમર્થન કરી રાજીનામાની વાતને વખોડીને દીકરાની ભૂલ પિતા શા માટે ભોગવે તેવો સવાલ ઉઠાવી ગણતરીના લોકોનો વિરોધ ચાલી ન શકે તેવું નિવેદન કર્યું હતું, જેના કારણે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે. 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.