Sikkim CloudBurst : 4 જવાન સહિત 19 લોકોના દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા, હજારો મુસાફરો ફસાયા, લોકોનું કરાઈ રહ્યું છે રેસ્ક્યુ


  • Published By :
  • Published Date : 2023-10-06 14:04:20

સિક્કિમ કુદરતી આફત સામે ઝઝુમી રહ્યું છે. બે દિવસ પહેલા સિક્કિમમાં વાદળ ફાટ્યું હતું ત્યારથી લઈ આ મામલે અપડેટ આવી રહી છે. આ દુર્ઘટનામાં 22 જવાનો લાપતા થઈ ગયા હતા જ્યારે અનેક લોકોના મોત થઈ ગયા હતા. લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 19 લોકોના મોત થયા છે જેમાં ચાર જવાનોનો પણ સમાવેશ થાય છે. 103થી વધારે લોકો હજી સુધી લાપતા છે તેવી માહિતી સામે આવી છે. એનડીઆરએફની ટીમ 60 લોકોને બહાર કાઢવાનું કાર્ય કરી રહી છે. તળાવના કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

Sikkim cloudburst: Five dead and 23 missing in northeast India following  flash floods | CNN

Sikkim flash floods: At least 14 dead, over 100 missing as cloudburst-led  disaster wreaks havoc in state | India News – India TV

23 Army Personnel Missing In Flash Floods After Cloudburst In North Sikkim

19 લોકોના થયા મોત જેમાં સેનાના જવાનોનો પણ સમાવેશ    

લોનાક તળાવ પર થોડા દિવસો પહેલા વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર આવ્યું હતું. તીસ્તા નદીમાં પૂર આવવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ પૂરમાં સેનાના 22 જવાનો લાપતા થઈ ગયા છે ઉપરાંત અનેક લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. અચાનક આવેલા પૂરમાં 103 લોકો લાપતા થઈ ગયા છે. આ ઘટનામાં 19 લોકોના મોત થઈ ગયા છે અને આ મૃતકોમાં ચાર જવાનોનો પણ સમાવેશ થાય છે. ગુમ થયેલા લોકોને શોધવાની કામગીરી એનડીઆરએફ દ્વારા કરવામાં આવી રહી છે. અનેક દિવસોથી લોકોને શોધાઈ રહ્યા છે. 

પૂરને કારણે ફસાયા હજારો પ્રવાસીઓ 

સિક્કિમમાં ભરવા અનેક પ્રવાસીઓ જતા હોય છે. ત્યારે આ પૂરને કારણે જનજીવન તો અસ્તવ્યસ્ત થયું છે. પરંતુ અચાનક આવેલા પૂરમાં અનેક પ્રવાસીઓ ભસાઈ ગયા છે. સિક્કિમના મુખ્ય સચિવ વી બી પાઠકે પાઠકે જણાવ્યું હતું કે તેમને આર્મીના 27મા માઉન્ટેન ડિવિઝનના અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ઉત્તર સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. અનુમાન મુજબ, વિદેશી નાગરિકો સહિત 3,000 થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. 

Sikkim flash flood: Toll rises to 21, searches on for 103 missing people |  India News – India TV

Sikkim Disaster: High level technical committee to carry out detailed study  | MorungExpress | morungexpress.com




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .