Sikkim CloudBurst : વાદળ ફાટવાથી આવેલી તબાહીમાંં તણાઈ આટલી જીંદગી, સેનાના જવાનો હજી પણ લાપતા, જાણો લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2023-10-05 11:46:35

સિક્કિમ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. વાદળ ફાટવાને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પૂરમાં અનેક લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો હજી સુધી લાપતા છે. એમાં સેનાના જવાનોનો પણ સમાવેશ થાય છે. આ કુદરતી આફતમાં કુલ  14 લોકોના મોત થયા છે જ્યારે 102 જેટલા લોકો લાપતા છે અને આ આંકડામાં 22 જવાનો પણ સામેલ છે. તમામ લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વાદળ ફાટવાને કારણે તીસ્તી નદીમાં પૂર આવ્યું અને આ પુર આર્મી કેમ્પ સુધી પહોંચી ગયું. આ પૂરમાં 41 જેટલી ગાડીઓ પણ ડૂબી ગઈ હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. કુદરતી આફતમાં 15 હજાર જેટલા લોકો પ્રભાવિત થયા છે. 

22 જવાનો થયા હતા લાપતા 

કુદરત આગળ બધા લોકો લાચાર છે તેવું આપણે ત્યાં કહેવાય છે. ત્યારે અનેક જગ્યાઓ પર કુદરતી આફતે તારાજી સર્જી છે. ઘણા વર્ષો પહેલા ઉત્તરાખંડમાં કુદરતે તારાજી સર્જી હતી. ત્યારે હવે વારો સિક્કિમ હોય તેવું લાગી રહ્યું છે, ગઈકાલે અચાનક સિક્કિમમાં વાદળ ફાટ્યાની ઘટના સામે આવી. ઉત્તરી વિસ્તારમાં આવેલા લહોનક ઝીલ પાસે વાદળ ફાટ્યું જેને કારણે તીસ્તા નદીમાં પૂર આવ્યું. અચાનક નદીમાં પૂર આવવાને કારણે નદીનું પારી જમીની વિસ્તારમાં આવી ગયું. જ્યાં આર્મી જવાનોનો કેમ્પ હતો ત્યાં પણ અચાનક પાણી આવી ગયું હતું. જેમાં 22 જવાનો લાપતા થઈ ગયા હતા.  ઉપરાંત અનેક લોકોના મોત થઈ ગયા છે.   

फ्लैश फ्लड की वजह से तीस्ता नदी का जलस्तर 20 फीट तक बढ़ गया है।


અનેક જિલ્લાઓમાં 8 ઓક્ટોબર સુધી બંધ રહેશે સ્કૂલો    

પીટીઆઈના અહેવાલ મુજબ, ત્યાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ નાગરિક તરીકે કરવામાં આવી છે, જેમાંથી 3 લોકોના મોત ઉત્તર બંગાળમાં થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અચાનક આવેલા પૂરને કારણે દેશના વિવિધ ભાગોમાંથી 3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા હોવાની માહિતી પણ સામે આવી છે.  અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 166 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં સેનાનો એક જવાન પણ સામેલ છે. રાજ્ય સરકારે સિંગતમ, રંગપો, દિકચુ અને આદર્શ ગામોમાં બેઘર લોકો માટે 18 રાહત શિબિરોની સ્થાપના કરી છે. શિક્ષણ વિભાગે એક પરિપત્રમાં જણાવ્યું છે કે મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચી જિલ્લામાં સ્થિત તમામ શાળાઓ 8 ઓક્ટોબર સુધી બંધ રહેશે.


પીએમ મોદીએ સીએમ સાથે કરી વાત 

સિક્કિમમાં બગડતા હાલતને ધ્યાનમાં રાખી પીએમ મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીએ લખ્યું કે સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગ સાથે વાત કરી અને રાજ્યના કેટલાક ભાગોમાં દુર્ભાગ્યપૂર્ણ કુદરતી આપત્તિના પગલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સિક્કિમના મુખ્યમંત્રીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હોય તેવી માહિતી સામે આવી હતી. 


સિક્કિમમાં અચાનક ફાટ્યું હતું વાદળ 

સિક્કિમમાં વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગે વરસાદના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ ત્રીજી અને ચોથી ઓક્ટોબરે સવારે આઠ વાગ્યાની આસપાસ લગભગ 41 મિમી વરસાદ થયો હતો. જે સામાન્ય વરસાદ કરતા વધારે હતી. સામાન્ય કરતા અનેક ગણો વધારે થોડા સમયની અંદર વરસી ગયો હતો. ત્યારે 4 ઓક્ટોબરના રોજ વાદળ ફાટવાની ઘટના બની જેને કારણે તીસ્તા નદીમાં પૂર આવ્યું.  


सिंगतम में घर-दुकानों के अंदर बाढ़ का मलबा भर गया है।

सिक्किम को देश से जोड़ने वाला NH-10 हाईवे टूट गया है।


રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.