Silkyara Tunnel: NDRFનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ, શ્રમિકોની ઈમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ તૈનાત


  • Published By :
  • Published Date : 2023-11-22 22:48:01

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એજન્સીઓ 41 લોકોને બચાવવામાં સફળતાની નજીક પહોંચી છે. એજન્સીઓએ કહ્યું છે કે આજ રાત સુધીમાં સુરંગમાંથી મોટા સમાચાર આવી શકે છે. NDRFની 21 સભ્યોની ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે ટનલમાં ગઈ છે. તેમની પાસે સ્ટ્રેચર પણ લઈ ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશી પહોંચી ગયા છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ હાજર છે. ચિન્યાલી સૌઢ હોસ્પિટલમાં તબીબોની અવરજવર ચાલુ થઈ ગઈ છે.


NDRFનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ


NDRFની 21 સભ્યોની ટીમ ટનલમાં પ્રવેશી ચુકી છે. તેની પાસે ઓક્સિજન સિલિન્ડર પણ છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે બચાવ કાર્ય અંતિમ તબક્કામાં છે. NDRFની ટીમે કામદારોને સુરંગમાંથી બહાર કાઢવા માટે ખાસ પૈડાવાળા સ્ટ્રેચર લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કામદારો તેમની નબળી શારીરિક સ્થિતિને કારણે 60 મીટર સુધી ચાલી શકશે નહીં. તેથી આ પગલું ભરવામાં આવ્યું છે. ટીમ સુરંગમાં ખાસ ઓક્સિજન પેક માસ્ક પણ લઈ ગઈ છે. NDRFએ રેસ્ક્યુ બ્રીફિંગ પણ શરૂ કરી દીધું છે. NDRFના જવાનો જ સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢશે.


40 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ


સિલ્ક્યારા ટનલની બહાર પ્રાથમિક સારવાર માટેની તૈયારીઓ પણ તેજ કરી દીધી છે. ટનલની બહાર આવેલી હંગામી હોસ્પિટલમાં આઠ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દુર્ઘટના સ્થળથી લગભગ ચાર કિલોમીટર દૂર હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જ્યાંથી, જો જરૂરી પડશે તો, કામદારોને એઇમ્સમાં એરલિફ્ટ કરવામાં આવશે. ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલમાં 45 પથારીઓ પણ અલગથી આરક્ષિત કરવામાં આવી છે. ટનલ સાઇટ પાસે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે. બચાવ દળોએ 40 એમ્બ્યુલન્સ બોલાવી છે. ઈમરજન્સી સેવા 108ને એલર્ટ પર રાખવામાં આવી છે. આ સાથે ટનલની બહાર એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. તબીબોને દુર્ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા છે.  



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.