Silkyara Tunnel: NDRFનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ, શ્રમિકોની ઈમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ તૈનાત


  • Published By :
  • Published Date : 2023-11-22 22:48:01

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એજન્સીઓ 41 લોકોને બચાવવામાં સફળતાની નજીક પહોંચી છે. એજન્સીઓએ કહ્યું છે કે આજ રાત સુધીમાં સુરંગમાંથી મોટા સમાચાર આવી શકે છે. NDRFની 21 સભ્યોની ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે ટનલમાં ગઈ છે. તેમની પાસે સ્ટ્રેચર પણ લઈ ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશી પહોંચી ગયા છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ હાજર છે. ચિન્યાલી સૌઢ હોસ્પિટલમાં તબીબોની અવરજવર ચાલુ થઈ ગઈ છે.


NDRFનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ


NDRFની 21 સભ્યોની ટીમ ટનલમાં પ્રવેશી ચુકી છે. તેની પાસે ઓક્સિજન સિલિન્ડર પણ છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે બચાવ કાર્ય અંતિમ તબક્કામાં છે. NDRFની ટીમે કામદારોને સુરંગમાંથી બહાર કાઢવા માટે ખાસ પૈડાવાળા સ્ટ્રેચર લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કામદારો તેમની નબળી શારીરિક સ્થિતિને કારણે 60 મીટર સુધી ચાલી શકશે નહીં. તેથી આ પગલું ભરવામાં આવ્યું છે. ટીમ સુરંગમાં ખાસ ઓક્સિજન પેક માસ્ક પણ લઈ ગઈ છે. NDRFએ રેસ્ક્યુ બ્રીફિંગ પણ શરૂ કરી દીધું છે. NDRFના જવાનો જ સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢશે.


40 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ


સિલ્ક્યારા ટનલની બહાર પ્રાથમિક સારવાર માટેની તૈયારીઓ પણ તેજ કરી દીધી છે. ટનલની બહાર આવેલી હંગામી હોસ્પિટલમાં આઠ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દુર્ઘટના સ્થળથી લગભગ ચાર કિલોમીટર દૂર હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જ્યાંથી, જો જરૂરી પડશે તો, કામદારોને એઇમ્સમાં એરલિફ્ટ કરવામાં આવશે. ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલમાં 45 પથારીઓ પણ અલગથી આરક્ષિત કરવામાં આવી છે. ટનલ સાઇટ પાસે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે. બચાવ દળોએ 40 એમ્બ્યુલન્સ બોલાવી છે. ઈમરજન્સી સેવા 108ને એલર્ટ પર રાખવામાં આવી છે. આ સાથે ટનલની બહાર એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. તબીબોને દુર્ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા છે.  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .