SIM કાર્ડ માટે પોલીસ વેરિફિકેશન ફરજીયાત, નિયમ તોડનારા પર 10 લાખનો દંડ અને જેલ


  • Published By :
  • Published Date : 2023-08-17 18:44:47

પાસપોર્ટ બનાવતા પહેલા તેનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે, જેથી કોઈ નકલી કે ગુનેગાર વ્યક્તિ પાસપોર્ટ ન બનાવી શકે. એ જ રીતે હવે સિમકાર્ડથી છેતરપિંડી અટકાવવા માટે સિમકાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત બનશે. પરંતુ આ સિમ કાર્ડ પોલીસ વેરિફિકેશન વ્યક્તિગત રીતે નહીં પરંતુ ડીલર સ્તરે કરવામાં આવશે. એટલે કે જે ડીલર પાસેથી તમે સિમ કાર્ડ ખરીદો છો, તો તે ડીલરનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત રહેશે.


સિમ કાર્ડથી છેતરપિંડી રોકવામાં મળશે મદદ


કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે સરકારે સિમ કાર્ડ ડીલર માટે પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે. આના કારણે કોઈ નકલી ડીલર સિમ કાર્ડ વેચી શકશે નહીં. આવી સ્થિતિમાં, સિમ કાર્ડથી થતી છેતરપિંડીની ઘટનાઓને રોકવામાં મદદ મળશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે લોકો ગાઈડલાઈનનું પાલન નથી કર્યું તેમના  52 લાખ મોબાઈલ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જ્યારે 67,000 ડીલરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. મે 2023થી સિમ કાર્ડ ડીલરો વિરુદ્ધ 300 FIR નોંધવામાં આવી છે.


રૂ.10 લાખના દંડની જોગવાઈ


જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે તેમની સામે FIRની જોગવાઈ કરવામાં આવી છે, આવી સ્થિતિમાં તેમને જેલમાં જવું પડી શકે છે. સરકાર દ્વારા 10 લાખ સિમ ડીલરોને પોલીસ વેરિફિકેશન માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. ટેલિકોમ વિભાગ દ્વારા બલ્ક કનેક્શન આપવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. તેની જગ્યાએ કોર્પોરેટ કનેક્શનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેટ KYCની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.