SIM કાર્ડ માટે પોલીસ વેરિફિકેશન ફરજીયાત, નિયમ તોડનારા પર 10 લાખનો દંડ અને જેલ


  • Published By :
  • Published Date : 2023-08-17 18:44:47

પાસપોર્ટ બનાવતા પહેલા તેનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે, જેથી કોઈ નકલી કે ગુનેગાર વ્યક્તિ પાસપોર્ટ ન બનાવી શકે. એ જ રીતે હવે સિમકાર્ડથી છેતરપિંડી અટકાવવા માટે સિમકાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત બનશે. પરંતુ આ સિમ કાર્ડ પોલીસ વેરિફિકેશન વ્યક્તિગત રીતે નહીં પરંતુ ડીલર સ્તરે કરવામાં આવશે. એટલે કે જે ડીલર પાસેથી તમે સિમ કાર્ડ ખરીદો છો, તો તે ડીલરનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત રહેશે.


સિમ કાર્ડથી છેતરપિંડી રોકવામાં મળશે મદદ


કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે સરકારે સિમ કાર્ડ ડીલર માટે પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે. આના કારણે કોઈ નકલી ડીલર સિમ કાર્ડ વેચી શકશે નહીં. આવી સ્થિતિમાં, સિમ કાર્ડથી થતી છેતરપિંડીની ઘટનાઓને રોકવામાં મદદ મળશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે લોકો ગાઈડલાઈનનું પાલન નથી કર્યું તેમના  52 લાખ મોબાઈલ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જ્યારે 67,000 ડીલરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. મે 2023થી સિમ કાર્ડ ડીલરો વિરુદ્ધ 300 FIR નોંધવામાં આવી છે.


રૂ.10 લાખના દંડની જોગવાઈ


જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે તેમની સામે FIRની જોગવાઈ કરવામાં આવી છે, આવી સ્થિતિમાં તેમને જેલમાં જવું પડી શકે છે. સરકાર દ્વારા 10 લાખ સિમ ડીલરોને પોલીસ વેરિફિકેશન માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. ટેલિકોમ વિભાગ દ્વારા બલ્ક કનેક્શન આપવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. તેની જગ્યાએ કોર્પોરેટ કનેક્શનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેટ KYCની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે