SIM કાર્ડ માટે પોલીસ વેરિફિકેશન ફરજીયાત, નિયમ તોડનારા પર 10 લાખનો દંડ અને જેલ


  • Published By :
  • Published Date : 2023-08-17 18:44:47

પાસપોર્ટ બનાવતા પહેલા તેનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે, જેથી કોઈ નકલી કે ગુનેગાર વ્યક્તિ પાસપોર્ટ ન બનાવી શકે. એ જ રીતે હવે સિમકાર્ડથી છેતરપિંડી અટકાવવા માટે સિમકાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત બનશે. પરંતુ આ સિમ કાર્ડ પોલીસ વેરિફિકેશન વ્યક્તિગત રીતે નહીં પરંતુ ડીલર સ્તરે કરવામાં આવશે. એટલે કે જે ડીલર પાસેથી તમે સિમ કાર્ડ ખરીદો છો, તો તે ડીલરનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત રહેશે.


સિમ કાર્ડથી છેતરપિંડી રોકવામાં મળશે મદદ


કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે સરકારે સિમ કાર્ડ ડીલર માટે પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે. આના કારણે કોઈ નકલી ડીલર સિમ કાર્ડ વેચી શકશે નહીં. આવી સ્થિતિમાં, સિમ કાર્ડથી થતી છેતરપિંડીની ઘટનાઓને રોકવામાં મદદ મળશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે લોકો ગાઈડલાઈનનું પાલન નથી કર્યું તેમના  52 લાખ મોબાઈલ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જ્યારે 67,000 ડીલરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. મે 2023થી સિમ કાર્ડ ડીલરો વિરુદ્ધ 300 FIR નોંધવામાં આવી છે.


રૂ.10 લાખના દંડની જોગવાઈ


જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે તેમની સામે FIRની જોગવાઈ કરવામાં આવી છે, આવી સ્થિતિમાં તેમને જેલમાં જવું પડી શકે છે. સરકાર દ્વારા 10 લાખ સિમ ડીલરોને પોલીસ વેરિફિકેશન માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. ટેલિકોમ વિભાગ દ્વારા બલ્ક કનેક્શન આપવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. તેની જગ્યાએ કોર્પોરેટ કનેક્શનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેટ KYCની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.