24 દિવસથી ખેડૂતો સરકારને આપી રહ્યા છે લડત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 16:45:01

ગુજરાતમાં પ્રતિદિન આંદોલનો વધી રહ્યા છે. શિક્ષકો, આરોગ્ય કર્મી સહિત અનેક સરકારી કર્મચારી પોતાની માગને લઈ સરકાર વિરૂદ્ધ ધરણા કરી રહ્યા છે. ત્યારે જગતનો તાત પણ પોતાના અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી ખેડૂતો ગાંધીનગર ખાતે આંદોલનો કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 24 દિવસ જેટલો સમય વિત્યા બાદ પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂત આંદોલનને વધુ ઉગ્ર બનાવા બેઠક યોજાશે. જેમાં જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાં પ્રદર્શન કરી સરકારનો વિરોધ કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવશે.

આંદોલનકારીઓમાં ખેડૂતોનો પણ સમાવેશ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. જગતનો તાત પણ આ આંદોલનમાં જોડાયા છે. પોતાના મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવા તેઓ 24 દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. 

ગાંધીનગરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી, 72 કલાકમાં વીજ સમસ્યા નહીં ઉકેલાય  તો ઉગ્ર આંદોલનની ચીમકી | Tractor rally of farmers fed up with electricity  business, police detained ...

અનેક નેતાઓના ઘર આગળ ખેડૂતોએ કર્યા ધરણા

ખેડૂતોએ અત્યાર સુધી કૃષિ મંત્રી, આરોગ્ય મંત્રી, ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રીના ઘર આગળ વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ તે બાદ પણ તેમની માગ ન સ્વીકારાતા ખેડૂતો રોષે ભરાયા છે. તેમના આંદોલનને વેગ આપવા તેઓએ બેઠક કરવાના છે. આંદોલનને ઉગ્ર બનાવા તેઓ જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાં પ્રદર્શન કરી શકે છે. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી.

Farmers Again In Aggressive Mood - ખેડૂતો ફરી આક્રમક મૂડમાં, ગાંધીનગરમાં  યોજાઇ બેઠક

શું સરકારને નથી ખેડૂતોની પડી? 

આટલા દિવસો સુધી આંદોલન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે સરકારી કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા વધુ પ્રયત્નશીલ છે. આજ દિન સુધી સરકારે ખેડૂતો સાથે ચર્ચા નથી કરી અથવા તો વાતચીત કરવાની તૈયારી પણ નથી બતાવી. તેનો અર્થ છે કે ખેડૂતો પ્રત્યેક સરકારને સહાનુભૂતિ જ નથી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.