24 દિવસથી ખેડૂતો સરકારને આપી રહ્યા છે લડત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 16:45:01

ગુજરાતમાં પ્રતિદિન આંદોલનો વધી રહ્યા છે. શિક્ષકો, આરોગ્ય કર્મી સહિત અનેક સરકારી કર્મચારી પોતાની માગને લઈ સરકાર વિરૂદ્ધ ધરણા કરી રહ્યા છે. ત્યારે જગતનો તાત પણ પોતાના અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી ખેડૂતો ગાંધીનગર ખાતે આંદોલનો કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 24 દિવસ જેટલો સમય વિત્યા બાદ પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂત આંદોલનને વધુ ઉગ્ર બનાવા બેઠક યોજાશે. જેમાં જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાં પ્રદર્શન કરી સરકારનો વિરોધ કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવશે.

આંદોલનકારીઓમાં ખેડૂતોનો પણ સમાવેશ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. જગતનો તાત પણ આ આંદોલનમાં જોડાયા છે. પોતાના મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવા તેઓ 24 દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. 

ગાંધીનગરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી, 72 કલાકમાં વીજ સમસ્યા નહીં ઉકેલાય  તો ઉગ્ર આંદોલનની ચીમકી | Tractor rally of farmers fed up with electricity  business, police detained ...

અનેક નેતાઓના ઘર આગળ ખેડૂતોએ કર્યા ધરણા

ખેડૂતોએ અત્યાર સુધી કૃષિ મંત્રી, આરોગ્ય મંત્રી, ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રીના ઘર આગળ વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ તે બાદ પણ તેમની માગ ન સ્વીકારાતા ખેડૂતો રોષે ભરાયા છે. તેમના આંદોલનને વેગ આપવા તેઓએ બેઠક કરવાના છે. આંદોલનને ઉગ્ર બનાવા તેઓ જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાં પ્રદર્શન કરી શકે છે. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી.

Farmers Again In Aggressive Mood - ખેડૂતો ફરી આક્રમક મૂડમાં, ગાંધીનગરમાં  યોજાઇ બેઠક

શું સરકારને નથી ખેડૂતોની પડી? 

આટલા દિવસો સુધી આંદોલન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે સરકારી કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા વધુ પ્રયત્નશીલ છે. આજ દિન સુધી સરકારે ખેડૂતો સાથે ચર્ચા નથી કરી અથવા તો વાતચીત કરવાની તૈયારી પણ નથી બતાવી. તેનો અર્થ છે કે ખેડૂતો પ્રત્યેક સરકારને સહાનુભૂતિ જ નથી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.