સિંગર Alka Yagnikને અચાનક સંભળાતું બંધ થઈ ગયું? સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપવીતિ, બિમારીની જાણ થતા ફેન્સ તેમજ Youngstersને આપી આ સલાહ!


  • Published By :
  • Published Date : 2024-06-19 11:06:10

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અલકા યાજ્ઞિકના ગીતો સાંભળીને મોટા થયા હશે. અલકા યાજ્ઞિકને કોઈ ઓળખતું ના હોય તેવું રેર કેસમાં બનતું હશે. પોતાની ગાયકીથી તેમણે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે ના માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ.. અલકા યાજ્ઞિક દ્વારા મૂકવામાં આવેલી એક પોસ્ટની વાત કરવી છે...સોશિયલ મીડિયા પર તેમણે તેમના ફેન્સને જણાવ્યું કે તેઓ વાયરલ એટેકનો શિકાર થઈ ગયા છે જેને કારણે તેમને સંભળાવવાનું ઓછું થઈ ગયું છે. ડોક્ટરે તેમને જણાવ્યું કે તેમને Sensorineural Nerve Hearing Loss નામની ગંભીર બિમારી છે. 

(फोटो साभार इंस्टाग्राम @therealalkayagnik)

શું લખ્યું અલકા યાજ્ઞિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં?

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે થોડા અઠવાડિયા પહેલા, જ્યારે હું ફ્લાઇટમાંથી ઉતરી રહી હતી, ત્યારે મને અચાનક અહેસાસ થયો કે હું કંઈપણ સાંભળી શકતી નથી. ઘટના બાદ થોડા અઠવાડિયા પછી મેં હિંમત ભેગી કરી. હવે હું મારા બધા મિત્રો અને શુભચિંતકોની સામે મારું મૌન તોડવા માંગુ છું, જેઓ મને પૂછતા હતા કે હું આટલા લાંબા સમયથી કેમ ગુમ હતી? પછી ડોક્ટરે મને રેર Sensorineural Nerve Hearing Loss વિશે જણાવ્યું. તે ઉપરાંત તેમણે લોકોને અપીલ કરી કે લોકો તેમને પોતાની દુઆમાં યાદ રાખે. સાથે સાથે તેમણે તેમના ફેન્સ અને youngsters જે મોટા અવાજમાં સંગીત સાંભળે છે તેમને પણ સલાહ આપી હતી.   



 

જો તમે પણ મોટા અવાજે સોન્ગ સાંભળો છો તો..!

અનેક લોકોને મોટા અવાજમાં સંગીત સાંભળવાની આદત હોય છે. જ્યારે પણ બહાર નીકળે છે અથવા તો જ્યારે પણ ટાઈમ હોય છે ત્યારે તે હેડ ફોન લગાવી મોટા અવાજમાં ગીતો સાંભળતા હોય છે. જે બિમારીના શિકાર અલકા યાજ્ઞિક બન્યા છે તેમાં તે નસને નુકસાન પહોંચે છે જે મગજ સાથે જોડાયેલી હોય છે. જ્યારે મોટા અવાજમાં ગીતો સંભળાય છે ત્યારે આ નસને અસર પહોંચતી હોય છે. 




શું હોઈ શકે છે આ બિમારી થવા પાછળનું કારણ?  

જે પીડાથી અલકા યાજ્ઞિક પીડાઈ રહ્યા છે તે બિમારી થવા પાછળના કારણોની વાત કરીએ તો તે ઉંમર વધવાને કારણે પણ થઈ શકે છે. કાન અથવા તો માથામાં લાગેલી કોઈ ઈજા.. લાંબા સમય સુધી મોટા અવાજના સંપર્કમાં રહેવું.. લાંબા સમય સુધી હેડ ફોનનો ઉપયોગ કરવો તે પણ આ રોગનું કારણ હોઈ શકે છે. 

Sensorineural Nerve Hearing Lossના લક્ષણોની વાત કરીએ તો સાંભળવામાં તકલીફ પડવી. જ્યારે બહુ લોકો બોલતા હોય તો વાત ના ખબર પડવી. કાનોમાં અલગ અલગ અવાજ સંભળાવવા વગેરે વગેર...   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.