સિંગર Alka Yagnikને અચાનક સંભળાતું બંધ થઈ ગયું? સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપવીતિ, બિમારીની જાણ થતા ફેન્સ તેમજ Youngstersને આપી આ સલાહ!


  • Published By :
  • Published Date : 2024-06-19 11:06:10

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અલકા યાજ્ઞિકના ગીતો સાંભળીને મોટા થયા હશે. અલકા યાજ્ઞિકને કોઈ ઓળખતું ના હોય તેવું રેર કેસમાં બનતું હશે. પોતાની ગાયકીથી તેમણે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે ના માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ.. અલકા યાજ્ઞિક દ્વારા મૂકવામાં આવેલી એક પોસ્ટની વાત કરવી છે...સોશિયલ મીડિયા પર તેમણે તેમના ફેન્સને જણાવ્યું કે તેઓ વાયરલ એટેકનો શિકાર થઈ ગયા છે જેને કારણે તેમને સંભળાવવાનું ઓછું થઈ ગયું છે. ડોક્ટરે તેમને જણાવ્યું કે તેમને Sensorineural Nerve Hearing Loss નામની ગંભીર બિમારી છે. 

(फोटो साभार इंस्टाग्राम @therealalkayagnik)

શું લખ્યું અલકા યાજ્ઞિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં?

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે થોડા અઠવાડિયા પહેલા, જ્યારે હું ફ્લાઇટમાંથી ઉતરી રહી હતી, ત્યારે મને અચાનક અહેસાસ થયો કે હું કંઈપણ સાંભળી શકતી નથી. ઘટના બાદ થોડા અઠવાડિયા પછી મેં હિંમત ભેગી કરી. હવે હું મારા બધા મિત્રો અને શુભચિંતકોની સામે મારું મૌન તોડવા માંગુ છું, જેઓ મને પૂછતા હતા કે હું આટલા લાંબા સમયથી કેમ ગુમ હતી? પછી ડોક્ટરે મને રેર Sensorineural Nerve Hearing Loss વિશે જણાવ્યું. તે ઉપરાંત તેમણે લોકોને અપીલ કરી કે લોકો તેમને પોતાની દુઆમાં યાદ રાખે. સાથે સાથે તેમણે તેમના ફેન્સ અને youngsters જે મોટા અવાજમાં સંગીત સાંભળે છે તેમને પણ સલાહ આપી હતી.   



 

જો તમે પણ મોટા અવાજે સોન્ગ સાંભળો છો તો..!

અનેક લોકોને મોટા અવાજમાં સંગીત સાંભળવાની આદત હોય છે. જ્યારે પણ બહાર નીકળે છે અથવા તો જ્યારે પણ ટાઈમ હોય છે ત્યારે તે હેડ ફોન લગાવી મોટા અવાજમાં ગીતો સાંભળતા હોય છે. જે બિમારીના શિકાર અલકા યાજ્ઞિક બન્યા છે તેમાં તે નસને નુકસાન પહોંચે છે જે મગજ સાથે જોડાયેલી હોય છે. જ્યારે મોટા અવાજમાં ગીતો સંભળાય છે ત્યારે આ નસને અસર પહોંચતી હોય છે. 




શું હોઈ શકે છે આ બિમારી થવા પાછળનું કારણ?  

જે પીડાથી અલકા યાજ્ઞિક પીડાઈ રહ્યા છે તે બિમારી થવા પાછળના કારણોની વાત કરીએ તો તે ઉંમર વધવાને કારણે પણ થઈ શકે છે. કાન અથવા તો માથામાં લાગેલી કોઈ ઈજા.. લાંબા સમય સુધી મોટા અવાજના સંપર્કમાં રહેવું.. લાંબા સમય સુધી હેડ ફોનનો ઉપયોગ કરવો તે પણ આ રોગનું કારણ હોઈ શકે છે. 

Sensorineural Nerve Hearing Lossના લક્ષણોની વાત કરીએ તો સાંભળવામાં તકલીફ પડવી. જ્યારે બહુ લોકો બોલતા હોય તો વાત ના ખબર પડવી. કાનોમાં અલગ અલગ અવાજ સંભળાવવા વગેરે વગેર...   



ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.