સિંગર Alka Yagnikને અચાનક સંભળાતું બંધ થઈ ગયું? સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપવીતિ, બિમારીની જાણ થતા ફેન્સ તેમજ Youngstersને આપી આ સલાહ!


  • Published By :
  • Published Date : 2024-06-19 11:06:10

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અલકા યાજ્ઞિકના ગીતો સાંભળીને મોટા થયા હશે. અલકા યાજ્ઞિકને કોઈ ઓળખતું ના હોય તેવું રેર કેસમાં બનતું હશે. પોતાની ગાયકીથી તેમણે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે ના માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ.. અલકા યાજ્ઞિક દ્વારા મૂકવામાં આવેલી એક પોસ્ટની વાત કરવી છે...સોશિયલ મીડિયા પર તેમણે તેમના ફેન્સને જણાવ્યું કે તેઓ વાયરલ એટેકનો શિકાર થઈ ગયા છે જેને કારણે તેમને સંભળાવવાનું ઓછું થઈ ગયું છે. ડોક્ટરે તેમને જણાવ્યું કે તેમને Sensorineural Nerve Hearing Loss નામની ગંભીર બિમારી છે. 

(फोटो साभार इंस्टाग्राम @therealalkayagnik)

શું લખ્યું અલકા યાજ્ઞિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં?

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે થોડા અઠવાડિયા પહેલા, જ્યારે હું ફ્લાઇટમાંથી ઉતરી રહી હતી, ત્યારે મને અચાનક અહેસાસ થયો કે હું કંઈપણ સાંભળી શકતી નથી. ઘટના બાદ થોડા અઠવાડિયા પછી મેં હિંમત ભેગી કરી. હવે હું મારા બધા મિત્રો અને શુભચિંતકોની સામે મારું મૌન તોડવા માંગુ છું, જેઓ મને પૂછતા હતા કે હું આટલા લાંબા સમયથી કેમ ગુમ હતી? પછી ડોક્ટરે મને રેર Sensorineural Nerve Hearing Loss વિશે જણાવ્યું. તે ઉપરાંત તેમણે લોકોને અપીલ કરી કે લોકો તેમને પોતાની દુઆમાં યાદ રાખે. સાથે સાથે તેમણે તેમના ફેન્સ અને youngsters જે મોટા અવાજમાં સંગીત સાંભળે છે તેમને પણ સલાહ આપી હતી.   



 

જો તમે પણ મોટા અવાજે સોન્ગ સાંભળો છો તો..!

અનેક લોકોને મોટા અવાજમાં સંગીત સાંભળવાની આદત હોય છે. જ્યારે પણ બહાર નીકળે છે અથવા તો જ્યારે પણ ટાઈમ હોય છે ત્યારે તે હેડ ફોન લગાવી મોટા અવાજમાં ગીતો સાંભળતા હોય છે. જે બિમારીના શિકાર અલકા યાજ્ઞિક બન્યા છે તેમાં તે નસને નુકસાન પહોંચે છે જે મગજ સાથે જોડાયેલી હોય છે. જ્યારે મોટા અવાજમાં ગીતો સંભળાય છે ત્યારે આ નસને અસર પહોંચતી હોય છે. 




શું હોઈ શકે છે આ બિમારી થવા પાછળનું કારણ?  

જે પીડાથી અલકા યાજ્ઞિક પીડાઈ રહ્યા છે તે બિમારી થવા પાછળના કારણોની વાત કરીએ તો તે ઉંમર વધવાને કારણે પણ થઈ શકે છે. કાન અથવા તો માથામાં લાગેલી કોઈ ઈજા.. લાંબા સમય સુધી મોટા અવાજના સંપર્કમાં રહેવું.. લાંબા સમય સુધી હેડ ફોનનો ઉપયોગ કરવો તે પણ આ રોગનું કારણ હોઈ શકે છે. 

Sensorineural Nerve Hearing Lossના લક્ષણોની વાત કરીએ તો સાંભળવામાં તકલીફ પડવી. જ્યારે બહુ લોકો બોલતા હોય તો વાત ના ખબર પડવી. કાનોમાં અલગ અલગ અવાજ સંભળાવવા વગેરે વગેર...   



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .