સિંગર Alka Yagnikને અચાનક સંભળાતું બંધ થઈ ગયું? સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપવીતિ, બિમારીની જાણ થતા ફેન્સ તેમજ Youngstersને આપી આ સલાહ!


  • Published By :
  • Published Date : 2024-06-19 11:06:10

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અલકા યાજ્ઞિકના ગીતો સાંભળીને મોટા થયા હશે. અલકા યાજ્ઞિકને કોઈ ઓળખતું ના હોય તેવું રેર કેસમાં બનતું હશે. પોતાની ગાયકીથી તેમણે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે ના માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ.. અલકા યાજ્ઞિક દ્વારા મૂકવામાં આવેલી એક પોસ્ટની વાત કરવી છે...સોશિયલ મીડિયા પર તેમણે તેમના ફેન્સને જણાવ્યું કે તેઓ વાયરલ એટેકનો શિકાર થઈ ગયા છે જેને કારણે તેમને સંભળાવવાનું ઓછું થઈ ગયું છે. ડોક્ટરે તેમને જણાવ્યું કે તેમને Sensorineural Nerve Hearing Loss નામની ગંભીર બિમારી છે. 

(फोटो साभार इंस्टाग्राम @therealalkayagnik)

શું લખ્યું અલકા યાજ્ઞિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં?

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે થોડા અઠવાડિયા પહેલા, જ્યારે હું ફ્લાઇટમાંથી ઉતરી રહી હતી, ત્યારે મને અચાનક અહેસાસ થયો કે હું કંઈપણ સાંભળી શકતી નથી. ઘટના બાદ થોડા અઠવાડિયા પછી મેં હિંમત ભેગી કરી. હવે હું મારા બધા મિત્રો અને શુભચિંતકોની સામે મારું મૌન તોડવા માંગુ છું, જેઓ મને પૂછતા હતા કે હું આટલા લાંબા સમયથી કેમ ગુમ હતી? પછી ડોક્ટરે મને રેર Sensorineural Nerve Hearing Loss વિશે જણાવ્યું. તે ઉપરાંત તેમણે લોકોને અપીલ કરી કે લોકો તેમને પોતાની દુઆમાં યાદ રાખે. સાથે સાથે તેમણે તેમના ફેન્સ અને youngsters જે મોટા અવાજમાં સંગીત સાંભળે છે તેમને પણ સલાહ આપી હતી.   



 

જો તમે પણ મોટા અવાજે સોન્ગ સાંભળો છો તો..!

અનેક લોકોને મોટા અવાજમાં સંગીત સાંભળવાની આદત હોય છે. જ્યારે પણ બહાર નીકળે છે અથવા તો જ્યારે પણ ટાઈમ હોય છે ત્યારે તે હેડ ફોન લગાવી મોટા અવાજમાં ગીતો સાંભળતા હોય છે. જે બિમારીના શિકાર અલકા યાજ્ઞિક બન્યા છે તેમાં તે નસને નુકસાન પહોંચે છે જે મગજ સાથે જોડાયેલી હોય છે. જ્યારે મોટા અવાજમાં ગીતો સંભળાય છે ત્યારે આ નસને અસર પહોંચતી હોય છે. 




શું હોઈ શકે છે આ બિમારી થવા પાછળનું કારણ?  

જે પીડાથી અલકા યાજ્ઞિક પીડાઈ રહ્યા છે તે બિમારી થવા પાછળના કારણોની વાત કરીએ તો તે ઉંમર વધવાને કારણે પણ થઈ શકે છે. કાન અથવા તો માથામાં લાગેલી કોઈ ઈજા.. લાંબા સમય સુધી મોટા અવાજના સંપર્કમાં રહેવું.. લાંબા સમય સુધી હેડ ફોનનો ઉપયોગ કરવો તે પણ આ રોગનું કારણ હોઈ શકે છે. 

Sensorineural Nerve Hearing Lossના લક્ષણોની વાત કરીએ તો સાંભળવામાં તકલીફ પડવી. જ્યારે બહુ લોકો બોલતા હોય તો વાત ના ખબર પડવી. કાનોમાં અલગ અલગ અવાજ સંભળાવવા વગેરે વગેર...   



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.