Jamnagarમાં અંધશ્રદ્ધાના નામ પર બહેનને મારી નાખી, અંધશ્રદ્ધાના નામ પર ક્યાં સુધી લેવાતો રહેશે નિર્દોષ લોકોનો ભોગ?


  • Published By :
  • Published Date : 2023-10-19 17:26:46

આપણે ત્યાં નાની બાળકીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તો કુંવારી કન્યાઓની પૂજા કરવામાં આવે છે. ત્યારે હમણાં તો નવરાત્રી ચાલી રહી છે. શક્તિની આરાધના કરવામાં આવે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ત્યારે જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકીને અપશુકનીયાળ માનીને તેની બલી ચઢાવી દેવામાં આવી છે. સગા ભાઈએ અને તેની બહેને પોતાની નાની બહેનને મોતને ઘાટ ઉતારી છે. 15 વર્ષની સગીરાની બલી અંધશ્રદ્ધાને કારણે ચઢાવવામાં આવી છે.

ભાઈ-બહેને ભેગા મળીને નાની બહેનને મારી નાખી!

એક તરફ આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ. ચંદ્ર પર પહોંચવાની વાતો કરીએ છીએ પરંતુ આપણા સમાજમાં હજી પણ અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે માત્ર એક પાતળી લીટી હોય છે. શ્રદ્ધા રાખવી સારી છે પરંતુ જ્યારે તે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે ત્યારે તે કોઈનો ભોગ લઈ લેતી હોય છે. જામનગરથી જે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. જામનગરના ધ્રોલ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે પોતાની જ બહેનનો ભોગ લીધો. જ્યારે પરિવારને તાંત્રિકે કહ્યું કે આ દીકરી અપશુકનિયાળ છે. જો પ્રગતિ કરવી હશે તો તેની બલી ચઢાવી પડશે. આ સાંભળ્યા બાદ ભાઈએ અને બહેને 15 વર્ષની બહેનને મોતને ઘાટ ઉતારી છે. નાની બહેન માટે તેના જ ભાઈ બહેન રાક્ષસ બની ગયા. નાની બહેનને નિર્વસ્ત્ર કરી અને તેને લાકડાના ઘા માર્યા હતા.

 

પોલીસે આ મામલે કરી ત્વરીત કાર્યવાહી

15 વર્ષની સગીરા બૂમો પાડી રહી હતી પરંતુ તેનો અવાજ સાંભળવામાં આવ્યો નહીં. આખું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું. ભાઈ-બહેન અહીંયા પણ રોકાયા નહીં. દીકરીને બહાર લઈ આવ્યા અને તેનું માથું દીવાલ સાથે ભટકાવી દીધું. સગીરાનું મોત થઈ ગયું હતું, ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી હતી અને હત્યારા ભાઈ રાકેશની ધરપકડ કરી લીધી છે. બહેન સગીરા હોવાને કારણે પોલીસે તે રીતે કાયદાકીય પગલા લીધા છે. 

સાસુએ તાંત્રિક વિધિ કરાવ્યા પછી પતિએ વાળ પકડીને દિવાલમાં પછાડી, કાઢી મૂકી:  પરિણીતાએ નોંધાવી ફરિયાદ | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર  ...

અંધશ્રદ્ધા ફેલાવતા તાંત્રિકો વિરૂદ્ધ ક્યારે કરાશે કાર્યવાહી?

અંધશ્રદ્ધાના નામે અનેક લોકોના ભોગ લેવાયા છે. અનેક એવી ઘટનાઓ આપણી સામે છે જેમાં નિર્દોષ લોકોની બલી ચઢાવવામાં આવી હોય. મહત્વનું છે કે જે લોકો અંધશ્રદ્ધાના નામે નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યા છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તે લોકો વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે જેમના કહેવાથી અંધશ્રદ્ધાના નામે લોકોના જીવ જઈ રહ્યા છે. એ તાંત્રિકો, એ બાબાઓ વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે જે અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે?

સ્મશાનમાં વિધિ કરીશ, તારું આખું ખાનદાન સાફ થઈ જશે.. તાંત્રિકે રૂપિયા  ખંખેર્યા | 1 13 lakh has been lost due to falling into the trap of Tantrik


ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી