Jamnagarમાં અંધશ્રદ્ધાના નામ પર બહેનને મારી નાખી, અંધશ્રદ્ધાના નામ પર ક્યાં સુધી લેવાતો રહેશે નિર્દોષ લોકોનો ભોગ?


  • Published By :
  • Published Date : 2023-10-19 17:26:46

આપણે ત્યાં નાની બાળકીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તો કુંવારી કન્યાઓની પૂજા કરવામાં આવે છે. ત્યારે હમણાં તો નવરાત્રી ચાલી રહી છે. શક્તિની આરાધના કરવામાં આવે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ત્યારે જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકીને અપશુકનીયાળ માનીને તેની બલી ચઢાવી દેવામાં આવી છે. સગા ભાઈએ અને તેની બહેને પોતાની નાની બહેનને મોતને ઘાટ ઉતારી છે. 15 વર્ષની સગીરાની બલી અંધશ્રદ્ધાને કારણે ચઢાવવામાં આવી છે.

ભાઈ-બહેને ભેગા મળીને નાની બહેનને મારી નાખી!

એક તરફ આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ. ચંદ્ર પર પહોંચવાની વાતો કરીએ છીએ પરંતુ આપણા સમાજમાં હજી પણ અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે માત્ર એક પાતળી લીટી હોય છે. શ્રદ્ધા રાખવી સારી છે પરંતુ જ્યારે તે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે ત્યારે તે કોઈનો ભોગ લઈ લેતી હોય છે. જામનગરથી જે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. જામનગરના ધ્રોલ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે પોતાની જ બહેનનો ભોગ લીધો. જ્યારે પરિવારને તાંત્રિકે કહ્યું કે આ દીકરી અપશુકનિયાળ છે. જો પ્રગતિ કરવી હશે તો તેની બલી ચઢાવી પડશે. આ સાંભળ્યા બાદ ભાઈએ અને બહેને 15 વર્ષની બહેનને મોતને ઘાટ ઉતારી છે. નાની બહેન માટે તેના જ ભાઈ બહેન રાક્ષસ બની ગયા. નાની બહેનને નિર્વસ્ત્ર કરી અને તેને લાકડાના ઘા માર્યા હતા.

 

પોલીસે આ મામલે કરી ત્વરીત કાર્યવાહી

15 વર્ષની સગીરા બૂમો પાડી રહી હતી પરંતુ તેનો અવાજ સાંભળવામાં આવ્યો નહીં. આખું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું. ભાઈ-બહેન અહીંયા પણ રોકાયા નહીં. દીકરીને બહાર લઈ આવ્યા અને તેનું માથું દીવાલ સાથે ભટકાવી દીધું. સગીરાનું મોત થઈ ગયું હતું, ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી હતી અને હત્યારા ભાઈ રાકેશની ધરપકડ કરી લીધી છે. બહેન સગીરા હોવાને કારણે પોલીસે તે રીતે કાયદાકીય પગલા લીધા છે. 

સાસુએ તાંત્રિક વિધિ કરાવ્યા પછી પતિએ વાળ પકડીને દિવાલમાં પછાડી, કાઢી મૂકી:  પરિણીતાએ નોંધાવી ફરિયાદ | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર  ...

અંધશ્રદ્ધા ફેલાવતા તાંત્રિકો વિરૂદ્ધ ક્યારે કરાશે કાર્યવાહી?

અંધશ્રદ્ધાના નામે અનેક લોકોના ભોગ લેવાયા છે. અનેક એવી ઘટનાઓ આપણી સામે છે જેમાં નિર્દોષ લોકોની બલી ચઢાવવામાં આવી હોય. મહત્વનું છે કે જે લોકો અંધશ્રદ્ધાના નામે નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યા છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તે લોકો વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે જેમના કહેવાથી અંધશ્રદ્ધાના નામે લોકોના જીવ જઈ રહ્યા છે. એ તાંત્રિકો, એ બાબાઓ વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે જે અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે?

સ્મશાનમાં વિધિ કરીશ, તારું આખું ખાનદાન સાફ થઈ જશે.. તાંત્રિકે રૂપિયા  ખંખેર્યા | 1 13 lakh has been lost due to falling into the trap of Tantrik


ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.