Jamnagarમાં અંધશ્રદ્ધાના નામ પર બહેનને મારી નાખી, અંધશ્રદ્ધાના નામ પર ક્યાં સુધી લેવાતો રહેશે નિર્દોષ લોકોનો ભોગ?


  • Published By :
  • Published Date : 2023-10-19 17:26:46

આપણે ત્યાં નાની બાળકીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તો કુંવારી કન્યાઓની પૂજા કરવામાં આવે છે. ત્યારે હમણાં તો નવરાત્રી ચાલી રહી છે. શક્તિની આરાધના કરવામાં આવે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ત્યારે જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકીને અપશુકનીયાળ માનીને તેની બલી ચઢાવી દેવામાં આવી છે. સગા ભાઈએ અને તેની બહેને પોતાની નાની બહેનને મોતને ઘાટ ઉતારી છે. 15 વર્ષની સગીરાની બલી અંધશ્રદ્ધાને કારણે ચઢાવવામાં આવી છે.

ભાઈ-બહેને ભેગા મળીને નાની બહેનને મારી નાખી!

એક તરફ આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ. ચંદ્ર પર પહોંચવાની વાતો કરીએ છીએ પરંતુ આપણા સમાજમાં હજી પણ અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે માત્ર એક પાતળી લીટી હોય છે. શ્રદ્ધા રાખવી સારી છે પરંતુ જ્યારે તે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે ત્યારે તે કોઈનો ભોગ લઈ લેતી હોય છે. જામનગરથી જે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. જામનગરના ધ્રોલ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે પોતાની જ બહેનનો ભોગ લીધો. જ્યારે પરિવારને તાંત્રિકે કહ્યું કે આ દીકરી અપશુકનિયાળ છે. જો પ્રગતિ કરવી હશે તો તેની બલી ચઢાવી પડશે. આ સાંભળ્યા બાદ ભાઈએ અને બહેને 15 વર્ષની બહેનને મોતને ઘાટ ઉતારી છે. નાની બહેન માટે તેના જ ભાઈ બહેન રાક્ષસ બની ગયા. નાની બહેનને નિર્વસ્ત્ર કરી અને તેને લાકડાના ઘા માર્યા હતા.

 

પોલીસે આ મામલે કરી ત્વરીત કાર્યવાહી

15 વર્ષની સગીરા બૂમો પાડી રહી હતી પરંતુ તેનો અવાજ સાંભળવામાં આવ્યો નહીં. આખું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું. ભાઈ-બહેન અહીંયા પણ રોકાયા નહીં. દીકરીને બહાર લઈ આવ્યા અને તેનું માથું દીવાલ સાથે ભટકાવી દીધું. સગીરાનું મોત થઈ ગયું હતું, ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી હતી અને હત્યારા ભાઈ રાકેશની ધરપકડ કરી લીધી છે. બહેન સગીરા હોવાને કારણે પોલીસે તે રીતે કાયદાકીય પગલા લીધા છે. 

સાસુએ તાંત્રિક વિધિ કરાવ્યા પછી પતિએ વાળ પકડીને દિવાલમાં પછાડી, કાઢી મૂકી:  પરિણીતાએ નોંધાવી ફરિયાદ | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર  ...

અંધશ્રદ્ધા ફેલાવતા તાંત્રિકો વિરૂદ્ધ ક્યારે કરાશે કાર્યવાહી?

અંધશ્રદ્ધાના નામે અનેક લોકોના ભોગ લેવાયા છે. અનેક એવી ઘટનાઓ આપણી સામે છે જેમાં નિર્દોષ લોકોની બલી ચઢાવવામાં આવી હોય. મહત્વનું છે કે જે લોકો અંધશ્રદ્ધાના નામે નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યા છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તે લોકો વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે જેમના કહેવાથી અંધશ્રદ્ધાના નામે લોકોના જીવ જઈ રહ્યા છે. એ તાંત્રિકો, એ બાબાઓ વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે જે અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે?

સ્મશાનમાં વિધિ કરીશ, તારું આખું ખાનદાન સાફ થઈ જશે.. તાંત્રિકે રૂપિયા  ખંખેર્યા | 1 13 lakh has been lost due to falling into the trap of Tantrik


ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.